- Agriculture
- હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો
આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ કરવા માંગતા હો, તો કેન્દ્ર સરકાર તમને 50 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડશે. હા, આ કોઈ મજાક નથી. ગધેડાની સંખ્યા ખુબ ઝડપથી ઘટી રહી છે, તેથી સરકારે રાષ્ટ્રીય પશુધન મિશન (NLM) યોજનામાં ગધેડાનો સમાવેશ કર્યો છે. હવે, ગધેડા, ઘોડા અને ઊંટ ઉછેર કરનારાઓને પણ ઘણો વધારે લાભ મળી રહ્યા છે. એટલું જ નહીં, જો કોઈ રાજ્ય ગધેડાની જાતિના સંરક્ષણ માટે કામ કરે છે, તો આવા રાજ્યોને પણ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવશે.
સરકારી માહિતી (2019ની 20મી પશુધન વસ્તી ગણતરી) અનુસાર, દેશમાં કુલ 1.23 લાખ (આશરે 1.2 લાખ) ગધેડા બચેલા છે. 2012થી, ગધેડાની સંખ્યામાં આશરે 60 ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. આ ઘટાડાને પહોંચી વળવા માટે, કેન્દ્ર સરકાર ગધેડા ઉછેરને પ્રોત્સાહન આપી રહી છે. હકીકતમાં, ગધેડાઓનો ઉપયોગ હવે પહેલા જેવા કામ જેવા કે, (વજન ઉંચકવાનું, ઇંટો અને રેતી વહન) માટે ઓછો થાય છે, જેના કારણે તેમની સંખ્યા ઘટી રહી છે. સરકાર તેમની જાતિને બચાવવા અને લોકોને તેમના ઉછેર માટે પ્રોત્સાહિત કરવા માંગે છે.
રાજ્ય સરકારોને પણ જાતિ સંરક્ષણ માટે કેન્દ્રીય સહાય મળશે. તેથી જ ગધેડીના દૂધના ઉત્પાદનોનો પણ ભારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક સરકારી સંસ્થાએ FSSAIને ગધેડીના દૂધને ખાદ્ય પદાર્થોમાં સમાવવા વિનંતી પણ કરી છે. એટલું જ નહીં, બાબા રામદેવે તાજેતરમાં ગધેડીનું દૂધ પીધા પછી જાહેરમાં તેની પ્રશંસા કરી હતી.
રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ ગધેડા છે. ઘણા રાજ્યોમાં તો ફક્ત 2થી 10 જ ગધેડા બચેલા છે, અને ગધેડા ફક્ત 28 રાજ્યોમાં જ જોવા મળે છે.
રાષ્ટ્રીય પશુધન મિશન (NLM) 2014-15માં શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ 2021-22માં તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યું. તેનો મુખ્ય ઉદ્દેશ રોજગારી પેદા કરવાનો, પ્રાણીઓની જાતિઓમાં સુધારો કરવાનો અને માંસ, દૂધ, ઊન અને ચારાનું ઉત્પાદન વધારવાનો છે.
NLM યોજના હેઠળ, જો કોઈ વ્યક્તિ, FPO, SHG, JLG, FCO, અથવા કલમ 8 કંપની NLM હેઠળ ગધેડા, ઘોડા અને ઊંટ ઉછેર માટે અરજી કરે છે, તો તેમને કુલ ખર્ચ પર 50 ટકા સબસિડી આપવામાં આવશે. આ સબસિડીની રકમ રૂ. 50 લાખ સુધીની હશે. આનો અર્થ એ થયો કે જો તમારી યોજના રૂ. 1 કરોડની હોય, તો કેન્દ્ર સરકાર રૂ. 50 લાખ આપશે.
એટલું જ નહીં, જો કોઈ રાજ્ય સરકાર ગધેડા, ઘોડા અને ઊંટની જાતિઓના સંરક્ષણ માટે કામ કરે છે, તો કેન્દ્ર સરકાર પણ સહાય પૂરી પાડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ રાજ્ય સરકાર ગધેડા, ઘોડા અને ઊંટના સંરક્ષણ માટે વીર્ય સ્ટેશન અથવા ન્યુક્લિયસ બ્રીડિંગ ફાર્મ સ્થાપિત કરવા માંગે છે, તો તેને કેન્દ્ર સરકાર તરફથી રૂ. 10 કરોડ આપવામાં આવશે.
ગધેડા ઉછેર માટે ખાસ નિયમો: ન્યૂનતમ એકમ: 50 માદા+ 5 નર ગધેડા, સબસિડી: 50 લાખ રૂપિયા સુધી (50 ટકા મૂડી સબસિડી), ફક્ત સ્વદેશી જાતિઓ (વિદેશી જાતિઓ નહીં) માટે. સબસિડી બે હપ્તામાં ઉપલબ્ધ છે: પહેલા બેંક લોન મેળવ્યા પછી, પછી પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી.
ઘોડા અને ઊંટ માટે: ઘોડા: 10 માદા+ 2 નર- 50 લાખ રૂપિયા સુધી, ઊંટ: 3 લાખથી 50 લાખ રૂપિયા એકમના કદના આધારે.
2019ની પશુધન ગણતરીના આધારે, સરકારી અહેવાલ મુજબ, દેશમાં ગધેડાની કુલ સંખ્યા 1.23 લાખ છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ ગધેડા જોવા મળે છે. આ રાજ્યોમાં ગધેડાની સંખ્યા લગભગ એક લાખની આસપાસ છે. દેશના ફક્ત 28 રાજ્યોમાં જ ગધેડા બચેલા છે. એમાં પણ ઘણા રાજ્યો એવા છે જ્યાં ગધેડાની સંખ્યા બે થી ૧૦ સુધીની જ રહી ગઈ છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે, તમે સત્તાવાર વેબસાઇટ, nlm.udyamimitra.inની મુલાકાત લઈને અરજી કરી શકો છો. તમે બેંકમાંથી લોન લઈને તમારો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. સબસિડી સીધી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

