શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ

અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન નર-નારાયણ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર- પાર્વતી દેવી, ભગવાન હયગ્રીવની પુજા આરાધના કરી અક્ષય, સમૃદ્ધિ, સંપત્તિ પ્રાપ્ત કરીએ. આ દિવસે અક્ષય કળશની પુજા કરી સોનું, ચાંદી, વાહન શુભ-લાભ-અમૃતના ચોઘડિયામાં ખરીદવું લાભદાયી લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણોની ખરીદી કે જમીન કે મકાન વગેરેની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ. આ દિવસે બધા જ શુભ કાર્યો કરી શકાય. 

મુહૂર્ત ગ્રંથ પ્રમાણે અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે હોય છે. આ અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં આ તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઇપણ મંગલ કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર જોવાની જરૂર હોતી નથી. 

આ અક્ષય તૃતિયાના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે પ્રોપર્ટી બૂક કરાવવી હોય, ખરીદવી હોય તે માટે પણ દિવસ શ્રેષ્ઠ છે.

અખાત્રીજ એટલે કદી ક્ષય ન થનારી તિથિ. આ દિવસે કરાયેલા દાન પુણ્ય, હવન, જપનો વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેનાથી એને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને ભગવાન પરશુરામનો અવતાર થયો હતો. આ દિવસે ભારતમાં અનેક શહેરોમાં મેળાઓ, શોભાયાત્રાના આયોજન પણ થાય છે. 

અખાત્રીજ સ્વયં સિદ્ધિ મુહૂર્ત છે. આ દિવસે વિવાહ-લગ્ન, વ્યવસાયનો શુભારંભ, ગૃહ પ્રવેશ, સોના-ચાંદી, વસ્ત્રાલંકારની ખરીદી કરી શકાય. આ દિવસથી વર્ષમાં તેજી-મંદી (કોમોડીટી) કેવી રહેશે તે વિશે ગણતરી કરવામાં આવતી હોય છે. અખાત્રીજના દિવસે આર્થિક સમૃદ્ધિ વધારવા માટે મહાલક્ષ્મીજીની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. જન્મકુંડળીના ગ્રહયોગો પ્રમાણે વિવાહ-લગ્નમાં વિલંબ યોગ બનતાં હોય તો આદિવસે ભગવાન શિવજી-મા પાર્વતી દેવીનું વિધીવત પૂજન કરી તાંબા અથવા માટીના કળશમાં પાણી ભરી પુષ્પ, ફળ, ગંધ, તલ અને અન્નવસ્ત્ર સાથે કળશ શિવ મંદિરે મૂકવામાં આવે છે અને માં પાર્વતી દેવીના ૐ કલીમ્‍ કલીમ્‍ નમઃ મંત્રના જપ કરી મનોવાંચ્છિત કન્યા-વર પ્રાપ્તિ માટે ઉપાસના કરવામાં આવતી હોય છે. આ દિવસે શુભ કાર્યો માટે મુહૂર્ત આ પ્રમાણે છે.

About The Author

Related Posts

Top News

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.