ઇસ્લામમાં નમાઝ પછી કંઇ પણ કરવાની છૂટ છે, કહેનાર રામદેવ સામે ફરિયાદ

On

રાજસ્થાનમાં એક આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રામદેવ ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ એવું બોલી ગયા કે દેશભરમાં હોબાળો મચી ગયો છે અને બાબા ભેરવાઇ ગયા છે. રામદેવને રાજસ્થાનમાં મુસ્લિમ સમાજ પર ટીપ્પણી કરવાનું ભારે પડી ગયું છે. રામદેવના વિવાદીત નિવેદનના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજસ્થાનમાં અનેક જગ્યાઓ પર બાબાનો વિરોધ થઇ રહ્યો છે. ટોંકમાં મુસ્લિમ સમાજ અને વકીલોએ રામદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજ્ય લઘુમતી આયોગે પણ રામદેવના નિવેદન સામે નારાજગી દર્શાવી છે.

રામદેવે રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મસભાને સંબોધિત કરતી વખતે ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ વિવાદીત ટીપ્પણી કરી હતી. તેમણે ધર્મસભાના મંચ પરથી કહ્યુ કે, ઇસ્લામ ધર્મનો મતલબ માત્ર નમાઝ અદા કરવાનો છે. મુસલમાનોએ માત્ર નમાઝ અદા કરવી જરૂરી છે અને એક વાર નમાઝ પુરી થઇ જાય પછી કઇં પણ કરો, તેને ઉચિત માનવામાં આવે છે. પછી ભલે હિંદુ યુવતીઓનું અપહરણ કરો, પછી ભલે જિહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો, પરંતુ દિવસમાં 5 વાર નમાઝ જરૂર પઢો. નમાઝ અદા કરી લીધા પછી બધું યોગ્ય ગણાશે.

રાજસ્થાન અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને બાબાની વાતને ખૂબ જ ખરાબ ગણાવી અને તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું કે રામદેવની કંપનીઓ કેન્દ્ર સરકારના આશીર્વાદથી પ્રગતિ કરી રહી છે, તેથી તેમને રાજસ્થાનમાં સાંપ્રદાયિકતા અને જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. તેઓ એક ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા. યોગ ગુરુ માટે કોઈપણ ધર્મ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવી એ ખૂબ જ શરમજનક છે. કોઇ પણ ધર્મ દુશ્મની શિખવતો નથી. કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામદેવ સામે કાર્યવાહી કરવી જોઇએ.

ટોંક કલેક્ટરાલયમાં લોકોએ રામદેવ સામે જબરદસ્ત નારેબાજી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યુ કે રામદેવે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનું કામ કર્યું છે. વકીલોએ રામદેવ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું કે વકીલોની ફરિયાદને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે અને કેસની તપાસ કરવામાં આવશે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.