ઇસ્લામમાં નમાઝ પછી કંઇ પણ કરવાની છૂટ છે, કહેનાર રામદેવ સામે ફરિયાદ

રાજસ્થાનમાં એક આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રામદેવ ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ એવું બોલી ગયા કે દેશભરમાં હોબાળો મચી ગયો છે અને બાબા ભેરવાઇ ગયા છે. રામદેવને રાજસ્થાનમાં મુસ્લિમ સમાજ પર ટીપ્પણી કરવાનું ભારે પડી ગયું છે. રામદેવના વિવાદીત નિવેદનના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજસ્થાનમાં અનેક જગ્યાઓ પર બાબાનો વિરોધ થઇ રહ્યો છે. ટોંકમાં મુસ્લિમ સમાજ અને વકીલોએ રામદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજ્ય લઘુમતી આયોગે પણ રામદેવના નિવેદન સામે નારાજગી દર્શાવી છે.

રામદેવે રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મસભાને સંબોધિત કરતી વખતે ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ વિવાદીત ટીપ્પણી કરી હતી. તેમણે ધર્મસભાના મંચ પરથી કહ્યુ કે, ઇસ્લામ ધર્મનો મતલબ માત્ર નમાઝ અદા કરવાનો છે. મુસલમાનોએ માત્ર નમાઝ અદા કરવી જરૂરી છે અને એક વાર નમાઝ પુરી થઇ જાય પછી કઇં પણ કરો, તેને ઉચિત માનવામાં આવે છે. પછી ભલે હિંદુ યુવતીઓનું અપહરણ કરો, પછી ભલે જિહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો, પરંતુ દિવસમાં 5 વાર નમાઝ જરૂર પઢો. નમાઝ અદા કરી લીધા પછી બધું યોગ્ય ગણાશે.

રાજસ્થાન અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને બાબાની વાતને ખૂબ જ ખરાબ ગણાવી અને તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું કે રામદેવની કંપનીઓ કેન્દ્ર સરકારના આશીર્વાદથી પ્રગતિ કરી રહી છે, તેથી તેમને રાજસ્થાનમાં સાંપ્રદાયિકતા અને જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. તેઓ એક ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા. યોગ ગુરુ માટે કોઈપણ ધર્મ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવી એ ખૂબ જ શરમજનક છે. કોઇ પણ ધર્મ દુશ્મની શિખવતો નથી. કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામદેવ સામે કાર્યવાહી કરવી જોઇએ.

ટોંક કલેક્ટરાલયમાં લોકોએ રામદેવ સામે જબરદસ્ત નારેબાજી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યુ કે રામદેવે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનું કામ કર્યું છે. વકીલોએ રામદેવ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું કે વકીલોની ફરિયાદને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે અને કેસની તપાસ કરવામાં આવશે.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.