ઇસ્લામમાં નમાઝ પછી કંઇ પણ કરવાની છૂટ છે, કહેનાર રામદેવ સામે ફરિયાદ

રાજસ્થાનમાં એક આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રામદેવ ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ એવું બોલી ગયા કે દેશભરમાં હોબાળો મચી ગયો છે અને બાબા ભેરવાઇ ગયા છે. રામદેવને રાજસ્થાનમાં મુસ્લિમ સમાજ પર ટીપ્પણી કરવાનું ભારે પડી ગયું છે. રામદેવના વિવાદીત નિવેદનના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજસ્થાનમાં અનેક જગ્યાઓ પર બાબાનો વિરોધ થઇ રહ્યો છે. ટોંકમાં મુસ્લિમ સમાજ અને વકીલોએ રામદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજ્ય લઘુમતી આયોગે પણ રામદેવના નિવેદન સામે નારાજગી દર્શાવી છે.

રામદેવે રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મસભાને સંબોધિત કરતી વખતે ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ વિવાદીત ટીપ્પણી કરી હતી. તેમણે ધર્મસભાના મંચ પરથી કહ્યુ કે, ઇસ્લામ ધર્મનો મતલબ માત્ર નમાઝ અદા કરવાનો છે. મુસલમાનોએ માત્ર નમાઝ અદા કરવી જરૂરી છે અને એક વાર નમાઝ પુરી થઇ જાય પછી કઇં પણ કરો, તેને ઉચિત માનવામાં આવે છે. પછી ભલે હિંદુ યુવતીઓનું અપહરણ કરો, પછી ભલે જિહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો, પરંતુ દિવસમાં 5 વાર નમાઝ જરૂર પઢો. નમાઝ અદા કરી લીધા પછી બધું યોગ્ય ગણાશે.

રાજસ્થાન અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને બાબાની વાતને ખૂબ જ ખરાબ ગણાવી અને તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું કે રામદેવની કંપનીઓ કેન્દ્ર સરકારના આશીર્વાદથી પ્રગતિ કરી રહી છે, તેથી તેમને રાજસ્થાનમાં સાંપ્રદાયિકતા અને જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. તેઓ એક ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા. યોગ ગુરુ માટે કોઈપણ ધર્મ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવી એ ખૂબ જ શરમજનક છે. કોઇ પણ ધર્મ દુશ્મની શિખવતો નથી. કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામદેવ સામે કાર્યવાહી કરવી જોઇએ.

ટોંક કલેક્ટરાલયમાં લોકોએ રામદેવ સામે જબરદસ્ત નારેબાજી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યુ કે રામદેવે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનું કામ કર્યું છે. વકીલોએ રામદેવ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું કે વકીલોની ફરિયાદને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે અને કેસની તપાસ કરવામાં આવશે.

About The Author

Top News

કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા...
National 
કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિમણૂંકને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ...
National 
બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

(ઉત્કર્ષ પટેલ)આજના વૈશ્વિકયુગમાં કોઈ પણ દેશની સમૃદ્ધિ તેની કંપનીઓની વૈશ્વિક હાજરી પર આધારિત છે. સરકાર દ્વારા પોતાની કંપનીઓને વિદેશમાં...
Opinion 
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના શીર્ષકને લઈને થયેલા વિવાદ બાદ, 'પંડિત' શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો...
National 
 ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.