ન્યૂ યરની ઉજવણી મુસલમાનો માટે હરામ છે: રઝા એકેડમી પ્રમુખ સઇદ નૂરી

આમ તો નવા વર્ષ 2023નું સ્વાગત થઇ ચૂક્યું છે અને નવા વર્ષને વધાવતી ઉજવણીઓ પણ થઇ ચૂકી છે, પરંતુ મુંબઇની રઝા એકેડમીના પ્રમુખનો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સંદેશો આપતો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. રઝા એકેડમીના પ્રમુખ સઇદ નૂરી વીડિયોમાં મુસ્લિમ યુવાનોને થર્ટી ફર્સ્ટની ઉજવણીથી દુર રહેવા અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ન્યૂ યરની ઉજવણી મુસલમાનો માટે હરામ છે.

રઝા એકેડમી મુંબઇના પ્રમુખ સઇદ નૂરીએ વીડિયો સંદેશમાં મુસલમાનોને કહ્યું છે કે થર્ટી ફર્સ્ટના દિવસે શૈતાની ખુરાફતથી દુર રહેજો. આ એવી ખુરાફાત હોય છે જેને જોઇને શેતાન પણ શરમાઇ જાય છે. એટલા માટે આવી અશ્લીલ હરકતોથી દુર રહેજો. આવા સમયે મસ્જિદ કે દરગાહ પર જઇને નમાઝ અદા કરજો

સઇદ નૂરીએ ટવીટ કરીને કહ્યું કે, તે અફસોસની વાત છે કે લોકો વર્ષની છેલ્લી રાતને થર્ટી ફર્સ્ટ નાઈટ કહે છે. આ રાતે એવી કઈ અભદ્રતા છે, જે આ રાત્રે કરવામાં આવતી નથી. આવા કૃત્યો ખુલ્લેઆમ કરવામાં આવે છે, જેને જોઈને શેતાન પણ શરમાઈ જાય. દરેક ધર્મ, દરેક જાતિ અને દરેક વયના લોકો આવા ગેરકાયદેસર અને હરામ કાર્યોમાં સામેલ થતા હોય છે.

મુસ્લિમ યુવાનો આવી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેતા થયા છે. જો અત્યારે પણ આપણે બધા નિષ્કલંક નહીં બનીએ અને આપણી જાતિ અને આપણા સમુદાયને આ બેશરમીના શેતાની કૃત્યથી બચાવીશું નહીં, તો તેનું નુકસાન ખૂબ મોટું થશે, જે પછીથી ભરવું અશક્ય હશે.

નૂરીએ મુસ્લિમોને તેમના બાળકો પર નજર રાખવા કહ્યું. તેમણે કહ્યું કે યુવાનોને બેશરમી અને અશ્લીલતાથી રોકો. તેમને આવી મહેફિલના નુકસાનથી બચાવો. નૂરીએ કહ્યુ કે, રઝા એકેડમી અપીલ કરે છે કે થર્ટી ફર્સ્ટની રાત્રે મસ્જિદો આખી રાત ખુલી રાખવામાં આવે, અઝાન કરવામાં આવે અને નમાઝ અદા કરવામાં આવે

.

માત્ર મુસલમાન જ થર્ટી ફર્સ્ટ કે ન્યૂ યરની ઉજવણીનો વિરોધ કરે છે એવું નથી, પરંતુ વિશ્વ હિંદુ પરિષદ પણ ન્યૂ યરની ઉજવણી શાંતા કલોઝનો વિરોધ કરે છે.

જો કે દુનિયાભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી રંગેચંગે પુરી થઇ અને નવા વર્ષના વધામણાં પછી લોકો કામે પણ લાગી ગયા છે.

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.