વર્ષ 2026: દેશના 6 મુખ્ય મંદિરોમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા, જાણો શું થશે બદલાવ

નવું વર્ષ 2026 સુખ-સમૃદ્ધિ સાથે શરૂ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર દર્શનનું આયોજન કરી રહ્યા હશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાલ, વૈષ્ણોદેવી, તિરુપતિ બાલાજી, ખાટું શ્યામ, શિરડી અને અયોધ્યા જેવા દેશના છ મુખ્ય તીર્થસ્થાનો પર ભક્તોની ભારે ભીડ જોવા મળશે. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસનોએ દર્શન વ્યવસ્થામાં અનેક ફેરફારો કર્યા છે. આવો જાણીએ, નવા વર્ષના દિવસોમાં આ મંદિરોમાં કેવી રહેશે દર્શન વ્યવસ્થા.

Darshan
gujaratsamachar.com

ખાટું શ્યામમાં બદલાયો દર્શન માર્ગ

રાજસ્થાનના ખાટું શ્યામ મંદિરમાં નવા વર્ષ અને અગિયારસને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 30 અને 31 ડિસેમ્બરના રોજ વધતી ભીડને કારણે VIP દર્શન બંધ રાખવામાં આવ્યા છે. ભક્તોને મંદિર સુધી પહોંચવા માટે લખદાતાર મેદાન મારફતે જ દર્શન માર્ગ અપનાવવો પડશે.

ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં VIP દર્શન બંધ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં 5 જાન્યુઆરી સુધી VIP દર્શન બંધ રહેશે. પૂજારીઓ સિવાય કોઈને પણ ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી નહીં મળે. સામાન્ય ભક્તો માટે 250 રૂપિયામાં નિયમિત અથવા ઝડપી દર્શનની સુવિધા ચાલુ રહેશે. ભસ્મ આરતી માટે 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ઓનલાઇન બુકિંગ બંધ રહેશે, જ્યારે 1 જાન્યુઆરીએ ઓફલાઇન સિસ્ટમ પણ બંધ રહેશે. આ દરમિયાન ભક્તો ફરતી ભસ્મ આરતીના દર્શન કરી શકશે.

Darshan
abplive.com

તિરુપતિ બાલાજી મંદિરમાં ટોકન વિના પ્રવેશ નહીં

આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ફક્ત એડવાન્સ બુકિંગ ટોકન ધરાવતા ભક્તોને જ દર્શનની મંજૂરી મળશે. 29થી 31 ડિસેમ્બર દરમિયાન માટે જાહેર કરાયેલા 1.89 લાખ દર્શન ટોકન પૂર્ણ થતાં જ કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને આ કડક નિર્ણય લીધો છે.

અયોધ્યામાં તમામ પાસ પૂર્ણ, રહેવાની જગ્યા ફુલ

નવા વર્ષ પહેલા જ અયોધ્યાની તમામ હોટલો અને ધર્મશાળાઓ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. મંદિર સમિતિના અંદાજ મુજબ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ લગભગ 2 લાખ ભક્તો રામલલ્લાના દર્શન કરી શકે છે. એક કલાકના દર્શન સ્લોટ માટે 400 પાસ જાહેર કરવામાં આવ્યા છે, જે 1 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે ભક્તો અડધા કલાકમાં સરળતાથી દર્શન કરી શકશે.

શિરડીમાં સોનાની બારીમાંથી થશે સાંઈ બાબાના દર્શન

મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાંઈ બાબા મંદિરમાં નવા વર્ષના દિવસે આશરે 6 લાખ ભક્તો પહોંચવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને 31 ડિસેમ્બરે મંદિર આખી રાત ખુલ્લું રહેશે. રાત્રે 10 વાગ્યે અને સવારે 5:15 વાગ્યે થતી સામાન્ય આરતી રદ કરવામાં આવી છે. ભક્તો સોનાની બારીમાંથી સાંઈ બાબાના ચહેરાના દર્શન કરી શકશે.

વૈષ્ણોદેવી યાત્રા માટે ઓળખ કાર્ડ ફરજિયાત

જમ્મુના કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં નવા વર્ષે દર્શન માટે નિયમો વધુ કડક બનાવાયા છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ આવનારા શ્રદ્ધાળુઓને માન્ય ઓળખ દસ્તાવેજ રજૂ કર્યા બાદ જ રેડિયો ફ્રીક્વન્સી ઓળખ કાર્ડ મળશે. આ કાર્ડ વિના યાત્રાની મંજૂરી નહીં મળે. કાર્ડ મળ્યા બાદ 10 કલાકમાં યાત્રા શરૂ કરવી પડશે અને 24 કલાકમાં પરત ફરવું ફરજિયાત રહેશે, જેથી યાત્રા માર્ગ પર ભક્તો અટવાઈ ન જાય.

 

 

 

About The Author

Related Posts

Top News

શું રાહુલ હિન્દુ નથી? શંકરાચાર્ય તો કહે છે તેમને અયોધ્યા મંદિરમાં પ્રવેશ નહીં મળે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે એવે બારાબંકાના કોંગ્રેસ સાસંદે જાહેરાત કરી એ પછી સાધુ સંતોમાં વિરોધનો...
National 
શું રાહુલ હિન્દુ નથી? શંકરાચાર્ય તો કહે છે તેમને અયોધ્યા મંદિરમાં પ્રવેશ નહીં મળે

આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દક્ષિણ આફ્રિકા સામે 2-1થી વન-ડે સીરિઝ જીતનાર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય...
Sports 
આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ...
Governance 
દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

વ્યારાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયો

ભારતીય અમેરિકન ન્યાયાધીશ સંજય ઠાકોરભાઇ ટેલરની ઇલિનોયસ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે અને 30 જાન્યુઆરીએ તેઓ તેમનું...
World 
વ્યારાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયો

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.