શું ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જયા કિશોરી કરવાના છે લગ્ન? કિશોરીએ પોતે કર્યો ખુલાસો

અત્યારે દેશભરમાં બે કથાકાર જબરદસ્ત ચર્ચામાં છે. બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અને મોયટીવેશનલ સ્પીકર અને કથાકાર જયા કિશોરીના લગ્નનની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. હવે જયા કિશોરીએ પોતાના લગ્નની આ ચર્ચા પર મૌન તોડ્યું છે અને એક મોટુ  નિવેદન આપ્યું છે.

મોટીવેશનલ સ્પીકર અને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવનારા જયા કિશોરી તાજેતરમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

જ્યારે મીડિયાએ જયા કિશોરીને ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો વિશે ઉભા થયેલા વિવાદ પર સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, એ વિશે મને કોઇ જાણકારી નથી. બધાની પોત પોતાની વિદ્યા હોય છે. તમે મને મારી કથા વિશે પુછશો તો હું કોઇ પણ વાત જણાવી શકીશ. કારણકે એ હું વાંચી રહી છું. જે વિશે હું જાણતી જ નથી એની પર ટીપ્પણી કરવી યોગ્ય નથી.

પત્રકારોએ જ્યારે તેમના લગ્નની ચર્ચા વિશે સવાલ પુછ્યો તો તેમણે સીધો તો જવાબ આપ્યો નહોતો, પરંતુ આ વાત ફેક હોવાનો તેમણે આડકતરો ઇશારો કરી દીધો હતો. તેમણે કહ્યું કે, આપણને સારી ચીજ મળતી હોય છે, પરંતુ  તમે તેનો ખોટો ઉપયોગ કરો છો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક સારા કામ માટે મળ્યો છે.

તેમણે કહ્યું કે અત્યારે હું તમારી સામે બેઠી છું અને તમે મારી સામે. તમે મારી વાત લોકોને ઘર ઘર સુધી પહોંચાડો છો તે સારી વાત છે, પરંતુ, આ જ વાત તમે ગોળ ગોળ કરીને લોકો સુધી પહોંચાડો તે ખોટું છે. જયા કિશોરીએ કહ્યું કે, હું મારી વાત સોશિયલ મીડિયા પર મારી ચેનલ મારફતે લોકો સુધી પહોંચાડું છું. જો હું લગ્ન કરીશ તો મારી ચેનલ મારફતે બધાને જાણ થવાની જ છે. પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફેક ચેનલ બનાવીને ભ્રામક પ્રચાર ફેલાવે છે.

જયા કિશોરીએ કહ્યું હતું કે હું કોઇ સાધુ સંત નથી, હું એક સાધારણ છોકરી છું જેમ બધા પરિવારોમાં હોય છે. બધાની જુદી જુદી રૂચિ હોય છે, એ રીતે મને આધ્યાત્મમાં રસ છે, એટલે એમાં હું આગળ વધી રહી છું.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.