કાશ્મીરના આ મંદિરમાં 75 વર્ષ પછી નવરાત્રિમાં પહેલીવાર પૂજા થઇ, જાણો શું છે ખાસ

1947 પછી એટલે કે 75 વર્ષ બાદ પહેલી વખત, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં LOC નજીકના શારદા દેવી મંદિરમાં નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે શરદ નવરાત્રીના પ્રથમ દિવસે પૂજા યોજાઈ હતી અને આ ઐતિહાસિક પ્રસંગમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. હમ્પીના સ્વામી ગોવિંદાનંદ સરસ્વતી તેમના અનુયાયીઓ સાથે કર્ણાટકમા ભગવાન હનુમાનના જન્મસ્થળ કિષ્કિંધાથી રથયાત્રા પર સવાર થઇને ટીટવાલ ગામ પહોંચ્યા હતા.

કાશ્મીર વિશે કહેવાય છે કે તે ધરતી પરનું સ્વર્ગ છે. તેની પ્રાકૃતિક સુંદરતા જોઈને કોઈપણ મંત્રમુગ્ધ થઈ શકે છે. પરંતુ આતંકવાદ અને અલગતાવાદે આખી ખીણને દાયકાઓ સુધી ગુલામ બનાવી દીધી હતી. જો કે ધીમે ધીમે ભારતીય જવાનોના બલિદાન અને બહાદુરીના કારણે હવે ઘાટીમાં શાંતિ છે. આ શાંતિના કારણે ત્યાં કંઈક એવું બન્યું જે ભાગલા પછી ક્યારેય બન્યું ન હતું.

અમે જે મંદિરની વાત કરી રહ્યા છે તે મા શારદાનું મંદિર છે, જે POKથી માત્ર 500 મીટરના અંતરે કુપવાડાના ટીટવાલ ગામમાં આવેલું છે. આ મંદિરમાં આઝાદી પછી ક્યારેય પૂજા થઇ નથી.

આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે સદીઓ જૂનું છે. મા શારદાના આ મંદિરની ગણના દેશના 18 મહા શક્તિપીઠોમાં થાય છે. કાશ્મીરમાં જે રીતે પર્યટન ઝડપથી વધી રહ્યું છે તે જોતા લાગે છે કે આવનારા સમયમાં કુપવાડામાં પણ આ મંદિરના કારણે પર્યટન વધશે.

કાશ્મીર એક સમયે આધ્યાત્મિકતાની રાજધાની તરીકે જાણીતું હતું. અહીં દુનિયાભરના ઋષિઓનો મેળાવડો રહેતો હતો. આ જ કારણ છે કે અહીં અનેક ભવ્ય મંદિરો બનાવવામાં આવ્યા હતા. અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે શારદા મંદિર કુશાણ સામ્રાજ્યમાં પહેલી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

જો કે, હવે આ મંદિરો માત્ર ખંડેર બની ગયા છે. કટ્ટરપંથીઓએ અહીં હિંદુ મંદિરોનો ભારે વિનાશ કર્યો હતો. આજે પણ અનેક મંદિરો તુટેલી સ્થિતિમાં છે. જો કે ભારત સરકાર હવે ધીમે ધીમે મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી છે.

આ મંદિર હિંદુ દેવી મા શારદાને સમર્પિત છે, જે જ્ઞાન અને શાણપણની દેવી સરસ્વતીનો અવતાર માનવામાં આવે છે. દંતકથા અનુસાર, મંદિર મૂળ પાંડવો દ્વારા તેમના વનવાસ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે 8મી સદી દરમિયાન આ પ્રદેશ પર શાસન કરનારા રાજા લલિતાદિત્ય મુક્તપિડાએ પાછળથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

About The Author

Top News

મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

મહારાષ્ટ્રના રમતગમત મંત્રીએ જ મોટી 'ગેમ' રમી. નામ-માણિકરાવ કોકાટે, પક્ષ-DyCM અજિત પવારની NCP, આ કેસ ત્રણ...
National 
મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.