શું માર્ચથી ATMમાં નહીં મળે રૂ. 500ની નોટ, સરકારે આપી દીધો જવાબ

500 રૂપિયાની નોટ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટો મળવાની બંધ થઈ જશે. હવે આ વાત કેમ ઉઠી રહી છે? આમાં કેટલું સત્ય છે અને સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ શું કહ્યું? ચાલો વિસ્તારથી સમજીએ.

ગયા વર્ષે, સરકારે નાની નોટોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. બેંકોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ ATMમાં નાની નોટોની સંખ્યા વધારે. સરકારનું કહેવું હતું કે બેંકોએ ATMમાં 100 અને 200 રૂપિયા જેવી નાની નોટોની સંખ્યા વધારવી જોઈએ. ત્યારબાદ, બેંકોએ તેનો અમલ કર્યોં. જોકે આનો અર્થ એ નથી કે સરકારે 500 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.

સત્ય શું છે?

હવે સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ફેક્ટ-ચેકિંગ એજન્સીએ જણાવ્યું છે કે આ બધુ જે ચાલી રહ્યું છે, તે પૂરી રીતે નિરાધાર છે. સરકારની 500 રૂપિયાની નોટને બંધ કરવાની કોઈ યોજના નથી. ન તો તેણે આ નોટોને ATMમાંથી હટાવવાની વાત કહી છે.

RS-500-Notes
ndtv.com

સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સી PIB, એ પણ સ્પષ્ટ કર્યું કે 500 રૂપિયાની નોટો હજુ પણ લીગલ ટેન્ડર છે, એટલે કે તે પહેલાની જેમ વ્યવહારો માટે પૂરી રીતે માન્ય છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અપ્રમાણિત અને ભ્રામક સમાચાર પર વિશ્વાસ ન કરે. કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેને સત્તાવાર સોર્સથી તેની પુષ્ટિ જરૂર કરો.

આ પહેલી વખત નથી, જ્યારે 500 રૂપિયાની નોટો અંગે આવી અફવાઓ ફેલાઈ હોય. આ અગાઉ પણ નોટબંધી અથવા 500 રૂપિયાની નોટો બંધ થવાને લઈને દવા કરવામાં આવ્યા છે, જેને સરકારે ફગાવી દીધા છે. જૂનમાં, PIBX પર સ્પષ્ટતા કરી હતી કે માર્ચ 2026માં કથિત ડિમોનેટાઇઝેશન અંગેના દાવા સંપૂર્ણપણે ખોટા છે અને ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-03-2026 વાર - ગુરુવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.