આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી

એમેઝોનના કર્મચારીઓ માટે ફરી એક વખત છટણીના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે એમેઝોન વર્ષ 2025ની શરૂઆત સુધીમાં 14,000 મેનેજર પદોની જગ્યામાં કપાત કરવા જઈ રહી છે, જેથી 2.1 અબજ ડોલરથી લઈને 3.6 અબજ ડોલર વચ્ચે વાર્ષિક ખર્ચની બચત થઈ શકે. જો એમેઝોન છટણી કરે છે, તો તે ટૂંક સમયમાં મેનેજર લેવલ પર 14,000 કર્મચારીઓને કાઢી શકે છે.

આ છટણી સાથે, એમેઝોન કંપનીના ગ્લોબલ મેનેજમેન્ટ વર્કફોર્સમાં 13 ટકાનો ઘટાડો લાવશે, જેથી મેનેજરોની સંખ્યા 105,770 થી ઘટાડીને 91,936 થઇ જશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ કંપની તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવી રહ્યો છે, જ્યારે આ પહેલા કંપનીએ કોમ્યુનિકેશન એન્ડ સસ્ટેનેબિલિટી ડિવિઝનમાં પણ છટણી કરી હતી. કંપની એમ કરીને પોતાના કામકાજને ફરીથી વ્યવસ્થિત કરવા અને ટીમને ફરી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

Amazon2
youtube.com

બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ મુજબ, આ છટણી CEO એન્ડી જેસીની કોર્પોરેટ નિર્ણય લેવાની પ્રોસેસને સરળ બનાવવા અને વર્ક સ્કીલને વધારવાની રણનીતિનો એક હિસ્સો છે. કાર્યકારી અધિકારીએ 2025ના પહેલા ત્રિમાસિક સુધીમાં મેનેજરોની તુલનામાં વ્યક્તિગત યોગદાનના રેશિયોને ઓછામાં ઓછા 15 ટકા સુધી વધારવાની યોજના બનાવી છે.

 શું કહે છે મોર્ગન સ્ટેનલીના એક્સપર્ટ?

મેનેજર લેવલને ફરીથી તૈયાર કરીને, એમેઝોન નાકરશાહી ઘટાડવા અને વર્કફ્લોની ગતિને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. મોર્ગન સ્ટેનલીના એક્સપર્ટે અનુમાન લગાવ્યું છે કે, આ પહેલ હેઠળ લગભગ 13,834 મેનેજરવાળી જગ્યાઓ ખતમ થઇ જશે, જે Amezonના ખર્ચ ઘટાડવાના પ્રયાસોમાં મહત્ત્વનું યોગદાન આપશે.

Amazon1
businesstoday.in

નોકરીમાં કપાત સિવાય, એમેઝોનએ ઘણી કોસ્ટ કટિંગ પોલિસી શરૂ કરી છે, જેમાં 'બ્યૂરોક્રેસી ટિપલાઈન' પણ સામેલ છે, જેના માધ્યમથી કર્મચારીઓ ખામીઓની બાબતે રિપોર્ટ કરી શકે છે. મેનેજરોને ખાસ ઉપાયો લાગૂ કરવાના નિર્દેશ પણ આપ્યા છે, જેમ કે સીનિયર લેવલ પર નવી ભરતી રોકવી, ડાયરેક્ટ રિપોર્ટની સંખ્યા વધારવી અને સેલેરીની સમીક્ષા કરવી.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.