દેવામાં ડુબેલી કંપનીને ખરીદવા અંબાણી-અદાણી રેસમાં, આ શેરનું ટ્રેડીંગ બંધ

તમને યાદ હશે કે એક જમાનામાં કિશોર બિયાનીની બિગ બાઝારના નામથી જાણીતી બ્રાન્ડની કંપની ફ્યુટર રિટેલને ખરીદવા માટે મુકેશ અંબાણીએ ડીલ કરી હતી, પરંતુ  એમેઝોને કેસ કરી દેતા આ ડીલ ઘોંચમાં પડી હતી અને એ પછી મુકેશ અંબાણીએ ફ્યુચર રિટેલ ડીલમાંથી પીછેહઠ કરી લીધી હતી. હવે ફરી એકવાર દેવામાં ડુબેલી ફ્યુચર રિટેલને ખરીદવા માટે અંબાણી-અદાણી રેસમાં છે.

નાદારીની પ્રક્રિયાનો સામનો કરી રહેલી ફ્યુચર રિટેલને ખરીદવા માટે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટેસ્ટ રજૂ કરી દીધા છે. આ બંને દિગ્ગજ ઉદ્યોગપતિઓ સહિત 49 કંપનીઓએ આ કંપનીને ખરીદવામાં રસ દાખવ્યો છે. National Company Law Tribunal (NCLT)એ Corporate Insolvency Resolution Process પુરી કરવા માટે ફ્યુચર રિટેલને 90 દિવસનો સમય આપ્યો છે.

NCLTની મુંબઇ બેન્ચે ફ્યુચર રિટેલની અરજી મંજૂર કરીને સમય મર્યાદા વધારીને 15 જુલાઇ 2023 કરી દીધી છે. શેરબજારમાં ફ્યુટર રિટેલના શેરોમા ટ્રેડીંગ બંધ થઇ ગયું છે. આ પહેલા શેરનો ભાવ 2.83 રૂપિયા હતો.

એક જમાનામાં દેશના મોટા ભાગના શહેરોમાં રિટેલ ચેઇન બિગ બાજારનો ડંકો વાગતો હતો, પરંતુ તેના કપરા દિવસો શરૂ થયા અને આ કંપની નાદાર થઇ ગઇ. આ કંપનીની હરાજીની પ્રક્રિયા અગાઉ પણ થઇ ચૂકી છે, પરંતુ તે વખતે વાત બની નહોતી. હવે ફરી એકવાર તેના વેચાણની પ્રક્રિયા શરૂ થઇ છે. 49 કંપનીઓએ ફ્યુટર રિટેલને ખરીદવા માટે રસ દાખવ્યો છે.

ફ્યુચર રિટેલને ખરીદવા માટે અદાણી- અંબાણી ઉપરાંત W H SMITH, જિંદાલ પાવર્સ, જે સી ફ્લાવર્સ જેવા નામ છે. ગયા વર્ષે 2022 માં, ફ્યુચર રિટેલ અને મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વચ્ચેનો સોદો પૂર્ણ થવાનો હતો, પરંતુ એમેઝોનના વિરોધ પછી, સોદો ખોરંભે પડ્યો હતો અને રિલાયન્સ પીછેહઠ કરી હતી.પરંતુ હવે ફરી એકવાર નાદાર થયેલી કંપનીને ખરીદવાની હોડ લાગી છે. એક જમાનામાં દેશના સૌથી મોટા બીજા નંબરના રિટેલ સ્ટોર્સ તરીકે જાણીતા બિગ બાજારની કંપની ફ્યુચર રિટેલના માથે 21000 કરોડ રૂપિયાનું દેવું છે.

દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેલી ફ્યુચર રિટેલને  નાદારીની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે. આવી સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેને ખરીદવા માટે આગળ આવી હતી અને કંપનીને 24,713 કરોડ રૂપિયામાં હસ્તગત કરવાની ઓફર કરી, પરંતુ ઘણા ઉતાર-ચઢાવ બાદ આ સોદો રદ કરવામાં આવ્યો. હવે તેને ખરીદવા માટે 49 ખરીદદારો મેદાનમાં ઉતર્યા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.