ગૌતમ અદાણી આ કંપનીમાં લગાવશે 6000 કરોડ, ભાગ્યા કંપનીના શેર

ગૌતમ અદાણીની કંપનીએ પોતાના બિઝનેસને હજુ વધારવા માટે વધુ એક મોટા રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ અંબુજા સિમેન્ટ તરફથી ગ્રીન પાવરમાં 600 કરોડ રૂપિયાનું કરવામાં આવશે, જેનો ટારગેટ 1000 મેગાવોટની ક્ષમતા તૈયાર કરવાનો છે. અંબુજા સિમેન્ટ આ દેશમાં ગુજરાત અને રાજસ્થાનમાં રણનીતિક રૂપે સ્થિર સૌર અને પવન ઉર્જા પરિયોજનાઓ સામેલ છે.

અંબુજા સિમેન્ટે સોમવારે એક ફાઈલિંગમાં જણાવ્યું કે, કંપની ગુજરાતમાં 600 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજના, 150 મેગાવોટની પવન ઉર્જા પરિયોજના અને રાજસ્થાનમાં 250 મેગાવોટની સૌર સુરક્ષા પરિયોજનામાં 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે જેથી 1000 મેગાવોટની ક્ષમતા તૈયાર કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, ગ્રીન અનર્જીથી ઉત્પાદનનો ઓછો ખર્ચ થવા સાથે જ વીજળીનો ખર્ચ પણ ઓછો થઈ જશે.

તેનાથી વીજળીની કિંમત 6.46 રૂપિયા પ્રતિ kWhથી ઓછી થઈને 5.16 kWh થઈ જશે, જેનો અર્થ છે કે 1.30 રૂપિયા પ્રતિ kWh (20 ટકા)ની કમી આવશે. સિમેન્ટ બિઝનેસના CEO અજય કપૂરે કહ્યું કે, અમે ન માત્ર પોતાના લક્ષ્યોને પૂરા કરવા, પરંતુ સમયસીમા અગાઉ આગળ નીકળવાના માર્ગ પર છીએ. ગ્રીન અનર્જી સિમેન્ટનો પુરવઠો વધારવામાં પણ મદદ કરશે, જેનાથી ઉપયોગકર્તા ઉદ્યોગ માટે હરિત થવું સંભવ થઈ જશે. અદાણી ગ્રુપે જાહેરાત કરી હતી કે તે એક દશકમાં ગ્રીન એનર્જીમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે. કંપનીએ કહ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટનું લક્ષ્ય 2025 સુધી કે અ અગાઉ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન બનાવવનું છે.

તેને ધ્યાનમાં લઈને પહેલા રોકાણની જાહેરાત અંબુજા સિમેન્ટે કરી દીધું છે અને બાકી કંપનીઓ પોતાના કામની રીતોને બદલી રહી છે. ઉલ્લેખનીય છે કે અંબુજા સિમેન્ટ 5 વર્ષની અવધિમાં પોતાની વેસ્ટ હિટ રિકવરી (WRS) ક્ષમતાને હાલના 103 મેગાવોટથી વધારીને 397 મેગાવોટ કરી રહી છે. જેથી વીજળીના ખર્ચમાં હજુ કમી આવશે. સોમવારે અંબુજા સિમેન્ટના શેર 1.67 ટકા ચઢીને 531.15 રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યા હતા. એક મહિનામાં આ સ્ટોક 26 ટકા ચઢ્યો છે.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.