કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર બાળકો ફ્લાઇટમાં પરિવાર સાથે બેસી શકશે! DGCAનો નિર્ણય

દેશમાં હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાલમાં જો આપણે ઘરેલુ હવાઈ મુસાફરી પર નજર કરીએ તો, ભારત વિશ્વનું ત્રીજું ઉડ્ડયન બજાર બની ગયું છે. આવી સ્થિતિમાં સરકારે હવાઈ મુસાફરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હવે, પ્લેનની ટિકિટમાં જબરદસ્તી ભોજનનો ચાર્જ સામેલ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, જો કોઈ ગ્રુપમાં 12 વર્ષ સુધીનું બાળક હોય તો તેને પરિવાર સાથે સીટ આપવા માટે પસંદગીનો સીટ ચાર્જ લેવામાં આવશે નહીં.

કેન્દ્ર સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી મળેલી માહિતી અનુસાર, હવે એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલરમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ સાથે જ નિર્ધારિત એરલાઇન્સની સેવાઓ અને ફી પણ અનબંડલ કરવામાં આવી છે. જેનો અર્થ છે કે, એરલાઇન મુસાફરોને ભોજન, નાસ્તા, પીણાં વગેરે માટે ચાર્જ નહીં કરી શકશે. આનો અર્થ એ છે કે જો તમે વિસ્તારા અથવા એર ઈન્ડિયા જેવી સંપૂર્ણ સેવા કેરિયર સાથે મુસાફરી કરી રહ્યાં છો, તો તમે ઈચ્છો તો ભોજન અથવા નાસ્તાના ચાર્જીસ ન ચૂકવો તો પણ ચાલશે, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી બજેટ ફ્લાઈટમાં પહેલાથી જ આવી વ્યવસ્થા છે.

સુધારેલા DGCAના પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, એરલાઈન્સ તેમના માતા-પિતા અથવા વાલી સાથે મુસાફરી કરતા બાળકો પાસેથી સીટ શેર કરવા માટે કોઈ પસંદગીનો સીટ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. હવે 12 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ ફી લીધા વિના તેમના માતાપિતા અથવા વાલીની બાજુમાં સીટ ફાળવવાની રહેશે. અગાઉ એવું જોવામાં આવ્યું હતું કે, એરલાઈન્સ માતા-પિતા અથવા વાલી સાથે મુસાફરી કરતા બાળકોને તેમની સાથે બેસવા માટે, સીટ ફાળવવા માટે કેટલીક ફી વસૂલતી હતી.

છેલ્લા 10 વર્ષોમાં દેશમાં હવાઈ સેવાનું જબરદસ્ત વિસ્તરણ થયું છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી PM બન્યા ત્યારે દેશમાં કુલ ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા લગભગ 60 મિલિયન હતી. હવે તે વધીને લગભગ 143 મિલિયન થઈ ગઈ છે. એ જ રીતે, આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ તે  તેટલી ઝડપથી નથી થઇ. વર્ષ 2024માં, આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 43 મિલિયન હતી, જે હવે વધીને 64 મિલિયન થઈ ગઈ છે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ GVL નરસિમ્હા રાવે તાજેતરમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં વિમાનોની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. 10 વર્ષ પહેલા દેશમાં કુલ 400 એરક્રાફ્ટ હતા. હવે આ સંખ્યા વધીને 723 થઈ ગઈ છે. એ જ રીતે એરપોર્ટની સંખ્યા પણ 74થી વધીને 150 થઈ ગઈ છે.

Top News

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.