ગૌતમ અદાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વોશિંગ્ટન પોષ્ટના એક અહેવાલે દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અહેવાલમાં એવું કહેવાયું છે કે, આ વર્ષમાં ગૌતમ અદાણી પર અમેરિકામાં કેસ થયો અને વિદેશી ફંડોએ ઇન્વેસ્ટમેન્ટ બંધ કરી દીધું એવા સમયે દેવામાં ડુબેલા અદાણીને બચાવવા માટે ભારતની મોદી સરકારે LIC પર દબાણ કરીને ગૌતમ અદાણીની કંપનીમાં 33000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું.
મે 2025માં નાણા મંત્રાલય, નીતી આયોગ, LIC અને નાણા સેવા આયોગે એક યોજના બનાવીને અદાણીની કંપનીમાં રોકાણ કરવા માટે સંમતિ દર્શાવી હતી. અદાણી પોર્ટના 5000 કરોડના બોન્ડ ઇસ્યુમાં સંપૂર્ણ 5000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ માત્ર LICએ કર્યું હતું. જો કે LICએ ચોખવટ કરી છે કે સરકારના દબાણમાં આવીને રોકાણ નથી કરાયું, પરંતુ ઇમાનદારી અને સાવધાનીપૂર્વક અદાણી ગ્રુપમાં રોકાણ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...