સરકારે રિલાયન્સ-BP પાસેથી 2.6 લાખ કરોડ રૂપિયા કેમ માંગ્યા?

ભારત સરકારે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BP પાસેથી 30 અબજ ડૉલર (આશરે 2.6 લાખ કરોડ રૂપિયાથી વધુ)નું વળતર માંગ્યું છે. કેન્દ્ર સરકારનો આરોપ છે કે, આ કંપનીઓએ કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ઓફશોર ફિલ્ડમાંથી કહ્યા મુજબ ગેસનું ઉત્પાદન કર્યું નથી.

Reliance-BP
livehindustan.com

કૃષ્ણા ગોદાવરી બેસિનમાં સેક્ટરોમાંથી ઉત્પાદિત ગેસના જથ્થા અંગેનો આ દાવો ભારત સરકાર દ્વારા કોઈપણ કોર્પોરેશન સામે દાખલ કરાયેલો સૌથી મોટો દાવો માનવામાં આવે છે. આ સાથે એવું પણ બહાર આવ્યું છે કે, ગેરવહીવટને કારણે સેક્ટર D1 અને D3માં નોંધપાત્ર ભંડાર સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રિબ્યુનલ 2016થી આ વિવાદની સુનાવણી કરી રહ્યું છે.

એક સમાચાર એજન્સી પાસેથી મળતા અહેવાલ મુજબ, આ બાબતથી પરિચિત લોકોનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે, વિવાદમાં અંતિમ દલીલો 7 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી, અને 2026ના મધ્ય સુધીમાં નિર્ણય આવવાની અપેક્ષા છે. જો કે, કેટલાક નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે, આ નિર્ણયને ભારતીય અદાલતોમાં પડકારવામાં આવી શકે છે.

આ વિવાદની આસપાસના પ્રોજેક્ટની ચર્ચા કરવી પણ મહત્વપૂર્ણ છે. અહીં તમને બતાવી દઈએ કે, ભારતના પ્રથમ મુખ્ય ઊંડા પાણીના ગેસ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલા, D-1 અને D-3 ક્ષેત્રો શરૂઆતમાં દેશની ઉર્જા સ્વનિર્ભરતાને વેગ આપશે તેવી અપેક્ષા હતી. જોકે, આ પ્રોજેક્ટમાં પાણીના લીકેજથી લઈને જળાશયના દબાણ અને ખર્ચ-વસૂલીના મુદ્દાઓ સહિત અનેક ગંભીર ઉત્પાદન-સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

અહેવાલ મુજબ, 2012માં, તેલ મંત્રાલયે સંસદને જાણ કરી હતી કે, D6 ગેસ બ્લોક પર કામ શરૂ કરતા પહેલા, રિલાયન્સે D-1 અને D-3 ક્ષેત્રોમાંથી ઉત્પાદનક્ષમ ભંડારનો અંદાજ 10.3 ટ્રિલિયન ક્યુબિક ફૂટ (TCF) રાખ્યો હતો, જેને પાછળથી સુધારીને 3.1 TCF કરવામાં આવ્યો હતો.

Reliance-BP
tv9hindi.com

અહેવાલ મુજબ, આ બાબતથી પરિચિત બે સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારનો દાવો છે કે રિલાયન્સ અને BPએ જે ગેસનું ઉત્પાદન કરી શકાતું નથી તેના મૂલ્ય જેટલું વળતર ચૂકવવું જોઈએ. જોકે, રિલાયન્સ અને BP બંનેએ સરકારના દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તેમને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવાની જરૂર નથી.

રિલાયન્સના પ્રવક્તાએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે મધ્યસ્થી ગુપ્ત છે. અહીં તમને જણાવી દઈએ કે 2011માં, RILD-6 બ્લોક અને અન્ય કોન્ટ્રાક્ટમાં તેનો 30 ટકા હિસ્સો BPને 7.2 બિલિયન ડૉલરમાં વેચી દીધો હતો.

About The Author

Top News

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.