સરકારે આ કંપનીને રૂ. 87695 કરોડ ચૂકવવા માટે 5 વર્ષની રાહત આપી

વર્ષ 2025 પૂરો થવાના આરે છે, ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને કેન્દ્ર સરકાર તરફથી ખુબ મોટી રાહત મળી છે. બુધવાર, 31 ડિસેમ્બરના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે વોડાફોન આઈડિયા માટે પાંચ વર્ષના મુદતને મંજૂરી આપી છે. કંપનીને સરકારને તેના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકી રૂ. 87,695 કરોડ ચૂકવવા માટે પાંચ વર્ષનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો છે. સરકારે હાલ માટે આ બાકી રકમ સ્થિર કરી દીધી છે, એટલે કે કંપનીને પાંચ વર્ષ માટે કોઈ ચુકવણી કરવાની રહેશે નહીં. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ એ કંપનીના કુલ આવકનો તે ભાગ છે, જેના પર સરકાર ટેલિકોમ કંપનીઓ પાસેથી લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ (SUC) લે છે.

Vodafone Idea
hindi.news18.com

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતીમાં જણાવાયું છે કે, વોડાફોન આઈડિયાએ હાલમાં તેના AGR બાકી રકમ ચૂકવવાની રહેશે નહીં. આ બાકી રકમ નાણાકીય વર્ષ 2032થી નાણાકીય વર્ષ 2041 સુધીના 10 વર્ષના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવશે. મોરેટોરિયમ (5 વર્ષ સુધી) દરમિયાન આ રકમ પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. મોરેટોરિયમ સમાપ્ત થયા પછી, બાકી રકમ 6 થી 10 હપ્તામાં ચૂકવવામાં આવશે. આનાથી કંપનીની તાત્કાલિક નાણાકીય મુશ્કેલીઓ ઓછી થશે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ટેલિકોમ વિભાગ 31 ડિસેમ્બર સુધી સ્થિર AGR બાકી રકમની સમીક્ષા કરશે.

વોડાફોન આઈડિયા કંપની ઘણા વર્ષોથી નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. આ ટેલિકોમ કંપનીએ માર્ચ 2026થી સરકારના AGR બાકી રકમ ચૂકવવાનું શરૂ કરવાનું હતું. કંપનીએ વાર્ષિક રૂ. 18,000 કરોડ AGR તરીકે ચૂકવવાના હતા. તેણે આ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે જો તેને AGR ચૂકવણીમાંથી રાહત નહીં મળે, તો તે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી શકે છે.

Vodafone Idea
hindi.newsbytesapp.com

મીડિયા સૂત્રોના એક અહેવાલમાં જણાવાયું છે કે, વોડાફોન આઈડિયામાં સરકારનો સૌથી મોટો હિસ્સો છે, જેના કારણે સરકાર આ ટેલિકોમ કંપનીને પતનથી બચાવવા માંગે છે. વોડાફોન આઈડિયામાં સરકારનો હિસ્સો 49 ટકા છે. વોડાફોન આઈડિયાના દેશભરમાં આશરે 19.8 કરોડ ગ્રાહકો છે. આ કંપનીમાં આશરે 18,000 લોકો કામ કરી રહ્યા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-03-2026 વાર - ગુરુવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.