રોકાણકારોનો ભરોસો જીતવા માટે અદાણી ગ્રુપનો નવો દાવ, શું બનશે વાત?

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડેનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપને માઠી રીતે પ્રભાવિત કર્યું છે. કંપનીના ઘટતા શેરોના કારણે રોકાણકારોનો ભરોસો સતત અદાણી ગ્રુપ પરથી તૂટી રહ્યું છે. એવા સમાચાર મળી રહ્યા છે કે, રોકાણકારોને ભરોસાને જીતવા માટે અદાણી ગ્રુપ મોટી તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, ઇન્વેસ્ટર્સના વિશ્વાસને કાયમ રાખવા માટે અદાણી ગ્રુપ એક ફિક્સ્ડ ઇનકમવાળો રોડ શૉ આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

હિંડનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપના બિઝનેસ સાથે સાથે તેની છબીને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે 27 ફેબ્રુઆરીએ સિંગાપુરમાં એક રોડ શૉ થશે અને તેમાં અદાણી ગ્રુપના મુખ્ય નાણાંકીય અધિકારી જુગેશિંદર સિંહ ભાગ લેશે. રોડ શૉ બાદ આ પ્રકારનો વિશ્વાસ રાખવા માટે બેઠકો હોંગકોંગમાં 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે આયોજિતની કરવામાં આવશે.

ગ્રુપે બાર્કલેજ, BNP પરિબાસ, DBS બેંક, ડ્યુશ બેંક, અમીરાત NBD કેપિટલ, ING, IMI ઇન્ટેસા સાનપોલો, MUFG, મિજુહો, SMBC નિક્કો અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક કથિત રીતે આગામી અઠવાડિયામાં બેંકોને રોડ શૉમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે. અમેરિકાની શૉર્ટ સેલિંગ હિંડનબર્ગ રિસર્ચ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેલ ફર્મોના માધ્યમથી સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત રિપોર્ટે અદાણીના શેરોમાં ભારે ઉથલ-પાથલ મચાવી છે.

આ કારણે કેટલીક કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન (Mcap)માં લગભગ 60-70 ટકાનો ઘટાડો આવ્યો છે. ગૌતમ અદાણીના નેતૃત્વવાળી 7 લિસ્ટેડ ફર્મોના માર્કેટ વેલ્યૂમાં લગભગ 140 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જો કે અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોનું ખંડન કર્યું છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે અદાણી ગ્રુપના રોકાણકારોનો વિશ્વાસ માટે કંઈક કરી રહ્યું છે. આ અગાઉ અદાણી ગ્રુપે કહ્યું હતું કે, કંપની પાસે મજબૂત કેશ ફ્લો છે અને તેનો બિઝનેસ પ્લાન પૂરી રીતે ફંડેડ છે.

રોકાણકારોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસમાં અદાણી પહેલા જ આ મહિનાની શરૂઆતમાં બોન્ડહોલ્ડર્સ સાથે વાત કરી હતી, જ્યાં ગ્રુપના અધિકારીઓએ કંપનીના કેટલાક યુનિટ્સને રિફાઇનાન્સ સાથે કંપનીઓને સુરક્ષિત બધી લોનને પૂરી રીતે પ્રી-પેમેન્ટ કરવાની યોજના પર ચર્ચા કરી હતી. 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર પોતાનો રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં શેરોના હેરફેર અને લોનને લઈને મોટા દાવા કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણીના શેરોમાં જે ઘટાડો આવ્યો છે, તેના કારણે અદાણી ગ્રૂપુના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 12 લાખ કરોડ રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે અને 100 અબજ ડોલર નીચે પહોંચી ગયું છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.