રોકાણકારોનો ભરોસો જીતવા માટે અદાણી ગ્રુપનો નવો દાવ, શું બનશે વાત?

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડેનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપને માઠી રીતે પ્રભાવિત કર્યું છે. કંપનીના ઘટતા શેરોના કારણે રોકાણકારોનો ભરોસો સતત અદાણી ગ્રુપ પરથી તૂટી રહ્યું છે. એવા સમાચાર મળી રહ્યા છે કે, રોકાણકારોને ભરોસાને જીતવા માટે અદાણી ગ્રુપ મોટી તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, ઇન્વેસ્ટર્સના વિશ્વાસને કાયમ રાખવા માટે અદાણી ગ્રુપ એક ફિક્સ્ડ ઇનકમવાળો રોડ શૉ આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

હિંડનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપના બિઝનેસ સાથે સાથે તેની છબીને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે 27 ફેબ્રુઆરીએ સિંગાપુરમાં એક રોડ શૉ થશે અને તેમાં અદાણી ગ્રુપના મુખ્ય નાણાંકીય અધિકારી જુગેશિંદર સિંહ ભાગ લેશે. રોડ શૉ બાદ આ પ્રકારનો વિશ્વાસ રાખવા માટે બેઠકો હોંગકોંગમાં 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે આયોજિતની કરવામાં આવશે.

ગ્રુપે બાર્કલેજ, BNP પરિબાસ, DBS બેંક, ડ્યુશ બેંક, અમીરાત NBD કેપિટલ, ING, IMI ઇન્ટેસા સાનપોલો, MUFG, મિજુહો, SMBC નિક્કો અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક કથિત રીતે આગામી અઠવાડિયામાં બેંકોને રોડ શૉમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે. અમેરિકાની શૉર્ટ સેલિંગ હિંડનબર્ગ રિસર્ચ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેલ ફર્મોના માધ્યમથી સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત રિપોર્ટે અદાણીના શેરોમાં ભારે ઉથલ-પાથલ મચાવી છે.

આ કારણે કેટલીક કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન (Mcap)માં લગભગ 60-70 ટકાનો ઘટાડો આવ્યો છે. ગૌતમ અદાણીના નેતૃત્વવાળી 7 લિસ્ટેડ ફર્મોના માર્કેટ વેલ્યૂમાં લગભગ 140 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જો કે અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોનું ખંડન કર્યું છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે અદાણી ગ્રુપના રોકાણકારોનો વિશ્વાસ માટે કંઈક કરી રહ્યું છે. આ અગાઉ અદાણી ગ્રુપે કહ્યું હતું કે, કંપની પાસે મજબૂત કેશ ફ્લો છે અને તેનો બિઝનેસ પ્લાન પૂરી રીતે ફંડેડ છે.

રોકાણકારોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસમાં અદાણી પહેલા જ આ મહિનાની શરૂઆતમાં બોન્ડહોલ્ડર્સ સાથે વાત કરી હતી, જ્યાં ગ્રુપના અધિકારીઓએ કંપનીના કેટલાક યુનિટ્સને રિફાઇનાન્સ સાથે કંપનીઓને સુરક્ષિત બધી લોનને પૂરી રીતે પ્રી-પેમેન્ટ કરવાની યોજના પર ચર્ચા કરી હતી. 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર પોતાનો રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં શેરોના હેરફેર અને લોનને લઈને મોટા દાવા કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણીના શેરોમાં જે ઘટાડો આવ્યો છે, તેના કારણે અદાણી ગ્રૂપુના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 12 લાખ કરોડ રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે અને 100 અબજ ડોલર નીચે પહોંચી ગયું છે.

Top News

આ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન, અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં ઉનાળાનો અંત આવતાં ચોમાસાની સગોળે તૈયારી થઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે 10...
Gujarat 
આ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન, અંબાલાલ પટેલની મોટી આગાહી

દશરથ માંઝીની પૌત્રી લડવા માગે છે બિહાર વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પાસે માગી ટિકિટ

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ગયા જિલ્લાના ગહલોર ગામની મુલાકાત લીધી હતી.. આ ગામ માઉન્ટેન...
National  Politics 
દશરથ માંઝીની પૌત્રી લડવા માગે છે બિહાર વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પાસે માગી ટિકિટ

શું મસ્ક નવી પાર્ટી બનાવશે? X પર લખ્યું- 'ધ અમેરિકા પાર્ટી'; 'સોશિયલ મીડિયા પોલમાં 80 ટકા સમર્થન'

ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા તૂટી ગઈ છે. બંને વચ્ચે શબ્દ યુદ્ધ ચાલુ છે....
World 
શું મસ્ક નવી પાર્ટી બનાવશે? X પર લખ્યું- 'ધ અમેરિકા પાર્ટી'; 'સોશિયલ મીડિયા પોલમાં 80 ટકા સમર્થન'

આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

તમે કેરીની વેરાયટી બાબતે સાંભળ્યું જ હશે, પરંતુ દુનિયાની સૌથી મોંઘી કેરી કેવી હોય છે અને તે કેવી દેખાય છે....
National 
આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ
Copyright (c) Khabarchhe All Rights Reserved.