રોકાણકારોનો ભરોસો જીતવા માટે અદાણી ગ્રુપનો નવો દાવ, શું બનશે વાત?

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડેનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપને માઠી રીતે પ્રભાવિત કર્યું છે. કંપનીના ઘટતા શેરોના કારણે રોકાણકારોનો ભરોસો સતત અદાણી ગ્રુપ પરથી તૂટી રહ્યું છે. એવા સમાચાર મળી રહ્યા છે કે, રોકાણકારોને ભરોસાને જીતવા માટે અદાણી ગ્રુપ મોટી તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, ઇન્વેસ્ટર્સના વિશ્વાસને કાયમ રાખવા માટે અદાણી ગ્રુપ એક ફિક્સ્ડ ઇનકમવાળો રોડ શૉ આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

હિંડનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપના બિઝનેસ સાથે સાથે તેની છબીને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે 27 ફેબ્રુઆરીએ સિંગાપુરમાં એક રોડ શૉ થશે અને તેમાં અદાણી ગ્રુપના મુખ્ય નાણાંકીય અધિકારી જુગેશિંદર સિંહ ભાગ લેશે. રોડ શૉ બાદ આ પ્રકારનો વિશ્વાસ રાખવા માટે બેઠકો હોંગકોંગમાં 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે આયોજિતની કરવામાં આવશે.

ગ્રુપે બાર્કલેજ, BNP પરિબાસ, DBS બેંક, ડ્યુશ બેંક, અમીરાત NBD કેપિટલ, ING, IMI ઇન્ટેસા સાનપોલો, MUFG, મિજુહો, SMBC નિક્કો અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક કથિત રીતે આગામી અઠવાડિયામાં બેંકોને રોડ શૉમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે. અમેરિકાની શૉર્ટ સેલિંગ હિંડનબર્ગ રિસર્ચ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેલ ફર્મોના માધ્યમથી સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત રિપોર્ટે અદાણીના શેરોમાં ભારે ઉથલ-પાથલ મચાવી છે.

આ કારણે કેટલીક કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન (Mcap)માં લગભગ 60-70 ટકાનો ઘટાડો આવ્યો છે. ગૌતમ અદાણીના નેતૃત્વવાળી 7 લિસ્ટેડ ફર્મોના માર્કેટ વેલ્યૂમાં લગભગ 140 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જો કે અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોનું ખંડન કર્યું છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે અદાણી ગ્રુપના રોકાણકારોનો વિશ્વાસ માટે કંઈક કરી રહ્યું છે. આ અગાઉ અદાણી ગ્રુપે કહ્યું હતું કે, કંપની પાસે મજબૂત કેશ ફ્લો છે અને તેનો બિઝનેસ પ્લાન પૂરી રીતે ફંડેડ છે.

રોકાણકારોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસમાં અદાણી પહેલા જ આ મહિનાની શરૂઆતમાં બોન્ડહોલ્ડર્સ સાથે વાત કરી હતી, જ્યાં ગ્રુપના અધિકારીઓએ કંપનીના કેટલાક યુનિટ્સને રિફાઇનાન્સ સાથે કંપનીઓને સુરક્ષિત બધી લોનને પૂરી રીતે પ્રી-પેમેન્ટ કરવાની યોજના પર ચર્ચા કરી હતી. 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર પોતાનો રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં શેરોના હેરફેર અને લોનને લઈને મોટા દાવા કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણીના શેરોમાં જે ઘટાડો આવ્યો છે, તેના કારણે અદાણી ગ્રૂપુના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 12 લાખ કરોડ રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે અને 100 અબજ ડોલર નીચે પહોંચી ગયું છે.

About The Author

Related Posts

Top News

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.