LICના ચેરમેને અદાણી ગ્રુપ વિશે આપ્યું મોટું નિવેદન, ગૌતમ અદાણી માટે રાહત

અદાણી ગ્રુપની કંપનીમાં ચાલી રહેલી આલોચના વચ્ચે LICએ ઓકટોબર-ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા છે. પરિમામ જાહેર કરવાની સાથે LICના ચેરમેને અદાણી ગ્રુપ માટે મહત્ત્વનું નિવેદન પણ આપ્યું છે, જે ગૌતમ અદાણીને મુશ્કેલીમાં થોડી રાહત આપી શકે તેવું છે. LICએ આ ત્રિમાસિક ગાળામાં 8334.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જે ગયા વર્ષે આ સમાન ગાળામાં માત્ર 235 કરોડ રૂપિયાનો નફો હતો. જો કે આની પહેલાના એટલે સપ્ટેમ્બર 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં LICનો ચોખ્ખો નફો 15, 952 કરોડ રૂપિયા હતો. તેની સરખામણીએ જોઇએ તો આ ક્વાર્ટરમાં નફો ઘટ્યો છે.

LICના ચેરમેન  એમ. આર કુમારે પરિણામ જાહેર થયા પછી નિવેદન આપતા કહ્યુ હતું કે, LIC અદાણી ગ્રુપમાં કરેલું રોકાણ ઘટાડવાની નથી. ચેરમેને કહ્યું કે, અમે સમયાતંરે અમારા રોકાણનો રિવ્યુ કરતા રહીશું. LICનું અદાણી ગ્રુપમાં રોકાણને કારણે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસી હોલ્ડર્સમાં પણ ચિંતા હતી કે LICનું અદાણીમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક ડુબી ન જાય. આ બધા વચ્ચે જયારે  LICએ અદાણીમાં રોકાણ નહીં ઘટાડવાની વાત કરી છે તે ખરેખર ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે.

અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે વાત કરતા, એલઆઈસી ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી વખતે અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે કહેવામાં આવ્યું હતું કે તેની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ના માત્ર 0.97 ટકા અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું છે. બીજી તરફ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કિસનરાવ કરાડે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ સંસદમાં આપવામાં આવેલી માહિતીમાં કહ્યું હતું કે, LIC એ અદાણી જૂથની તમામ કંપનીઓમાં 30,127 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

LICની 2022ના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં પ્રીમીમયની ચોખ્ખી આવક 1,11,787.6 કરોડ રૂપિયા થઇ છે, જે ગયા વર્ષે આ સમાન ગાળામાં રૂપિયા 97.620.34 કરોડ રૂપિયા હતી.

અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ 24 જાન્યુઆરી 2023ના દિવસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેને કારણે અદાણી ગ્રુપ કંપનીના બધા શેરોમાં મોટા ગાબડાં પડી ગયા હતા અને ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું હતું.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.