LICના ચેરમેને અદાણી ગ્રુપ વિશે આપ્યું મોટું નિવેદન, ગૌતમ અદાણી માટે રાહત

અદાણી ગ્રુપની કંપનીમાં ચાલી રહેલી આલોચના વચ્ચે LICએ ઓકટોબર-ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા છે. પરિમામ જાહેર કરવાની સાથે LICના ચેરમેને અદાણી ગ્રુપ માટે મહત્ત્વનું નિવેદન પણ આપ્યું છે, જે ગૌતમ અદાણીને મુશ્કેલીમાં થોડી રાહત આપી શકે તેવું છે. LICએ આ ત્રિમાસિક ગાળામાં 8334.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જે ગયા વર્ષે આ સમાન ગાળામાં માત્ર 235 કરોડ રૂપિયાનો નફો હતો. જો કે આની પહેલાના એટલે સપ્ટેમ્બર 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં LICનો ચોખ્ખો નફો 15, 952 કરોડ રૂપિયા હતો. તેની સરખામણીએ જોઇએ તો આ ક્વાર્ટરમાં નફો ઘટ્યો છે.

LICના ચેરમેન  એમ. આર કુમારે પરિણામ જાહેર થયા પછી નિવેદન આપતા કહ્યુ હતું કે, LIC અદાણી ગ્રુપમાં કરેલું રોકાણ ઘટાડવાની નથી. ચેરમેને કહ્યું કે, અમે સમયાતંરે અમારા રોકાણનો રિવ્યુ કરતા રહીશું. LICનું અદાણી ગ્રુપમાં રોકાણને કારણે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસી હોલ્ડર્સમાં પણ ચિંતા હતી કે LICનું અદાણીમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક ડુબી ન જાય. આ બધા વચ્ચે જયારે  LICએ અદાણીમાં રોકાણ નહીં ઘટાડવાની વાત કરી છે તે ખરેખર ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે.

અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે વાત કરતા, એલઆઈસી ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી વખતે અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે કહેવામાં આવ્યું હતું કે તેની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ના માત્ર 0.97 ટકા અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું છે. બીજી તરફ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કિસનરાવ કરાડે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ સંસદમાં આપવામાં આવેલી માહિતીમાં કહ્યું હતું કે, LIC એ અદાણી જૂથની તમામ કંપનીઓમાં 30,127 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

LICની 2022ના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં પ્રીમીમયની ચોખ્ખી આવક 1,11,787.6 કરોડ રૂપિયા થઇ છે, જે ગયા વર્ષે આ સમાન ગાળામાં રૂપિયા 97.620.34 કરોડ રૂપિયા હતી.

અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ 24 જાન્યુઆરી 2023ના દિવસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેને કારણે અદાણી ગ્રુપ કંપનીના બધા શેરોમાં મોટા ગાબડાં પડી ગયા હતા અને ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું હતું.

About The Author

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.