શું નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે? ભાગેડુ હીરા વેપારી બ્રિટનમાં અંતિમ કાનૂની લડાઈ હારી ગયો

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ હવે સંપૂર્ણપણે ચોખ્ખો થઇ ગયો છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ECHR)માં તેની અંતિમ કાનૂની પડકારમાં નિષ્ફળતા મળ્યા પછી, નીરવ મોદી પાસે બ્રિટનમાં રહેવા માટે તમામ કાનૂની માર્ગો ખતમ થઇ ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા પછી, બ્રિટિશ સરકારે નીરવ મોદીને ભારતીય અધિકારીઓને સોંપવા માટે વહીવટી ઔપચારિકતાઓ શરૂ કરી દીધી છે.

બ્રિટનની વિવિધ કોર્ટોમાં વારંવાર ઝટકા મળ્યા પછી, નીરવ મોદીએ યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ECHR)નો દરવાજો ખખડાવ્યો હતો. જો કે, તે આ આંતરરાષ્ટ્રીય કોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી. ઘણા વર્ષોથી ચાલી રહેલી પ્રત્યાર્પણ પ્રક્રિયામાં છેલ્લો કાનૂની અવરોધ પણ દૂર થઈ ગયો છે. રાજદ્વારી સૂત્રોનું કહેવું છે કે ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી તેને ગમે ત્યારે ભારત લાવવામાં આવી શકાય છે.

4

 નીરવ મોદી માર્ચ 2019થી લંડનની વાન્ડ્સવર્થ જેલમાં બંધ છે. ભારતના સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પંજાબ નેશનલ બેંક (PNB)ના આશરે 2 અબજ ડૉલર (લગભગ ₹14,000 કરોડ)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યા હતા. એપ્રિલ 2021માં, તત્કાલીન બ્રિટિશ ગૃહ સચિવ પ્રીતિ પટેલે તેના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા; ત્યારથી, નીરવ મોદી ઉપલી કોર્ટોમાં અપીલ અને જામીન અરજીઓ દાખલ કરી રહ્યો હતો.

 આ વર્ષના માર્ચમાં, નીરવે ભારત મોકલવામાં આવે તો અત્યાચારિત કરવાના વાસ્તવિક જોખમ હોવાનું જણાવીને પ્રત્યાર્પણ કાર્યવાહીને ફરીથી ખોલવાનો અંતિમ પ્રયાસ કર્યો હતો, જેને બ્રિટિશ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ, તેને ગોપનીયતા હેઠળ ECHRમાં અપીલ દાખલ કરી, જેને હવે ફગાવી દેવામાં આવી છે.

3

 લંડનની એક વાણિજ્યિક કોર્ટે તાજેતરમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા એક અલગ સિવિલ કેસમાં નીરવ મોદી વિરુદ્ધ ચૂકાદો આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો કે નીરવ મોદી દુબઈ સ્થિત એન્ટિટી 'ફાયરસ્ટાર ડાયમંડ FZE'ને આપવામાં આવેલી લોન માટે વ્યક્તિગત ગેરંટી હેઠળ બેંક ઓફ ઈન્ડિયાને વ્યાજ સહિત $11.5 મિલિયનથી વધુ રકમ ચૂકવવા માટે જવાબદાર છે. જો કે, બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર લોન વસૂલાત સંબંધિત સંપૂર્ણપણે સિવિલ મામલો છે અને તેનો PNB કૌભાંડ સંબંધિત ફોજદારી કેસ સાથે કોઈ સીધો સંબંધ નથી.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.