ઇથેનોલ બ્લેન્ડ E20 પેટ્રોલ પર નીતિન ગડકરીએ કહ્યું, 'માઇલેજ થોડું ઓછું થશે પણ...'

દેશમાં ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ અંગે હોબાળો મચી રહ્યો છે. તાજેતરના સમયમાં, ઘણા એવા અહેવાલો બહાર આવ્યા છે, જેમાં કેટલાક વાહન માલિકોએ કહ્યું છે કે માઇલેજ ઘટ્યું છે અને રિપેરિંગ ખર્ચ વધ્યો છે. પરંતુ આ બાબતે સરકારનું વલણ સ્પષ્ટ કરતા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, 'પેટ્રોલિયમ લોબી આ જ કરી રહી છે... ઇથેનોલ બ્લેન્ડિંગને કારણે કોઈપણ વાહનમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.'

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ BT India@ 100 સમિટ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેમણે ભારતમાં વધતા રોડ નેટવર્ક અને ઓટો સેક્ટરમાં આવી રહેલા મોટા ફેરફારો વિશે વાત કરી. આ પ્રસંગે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (E20 ફ્યુઅલ)ના ઉપયોગને કારણે વાહનોના માઇલેજમાં ઘટાડા અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે તેમણે કહ્યું કે, 'આવી કોઈ ચર્ચા ચાલી રહી નથી... આ પેટ્રોલિયમ લોબીના લોકો રાજકીય રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે.'

Nitin-Gadkari2
news18.com

ગડકરીએ વધુમાં કહ્યું, 'પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાથી દેશભરમાં કોઈપણ વાહનમાં કોઈ સમસ્યા થઈ નથી. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI)એ પણ આ વિષય પર પોતાનું નિવેદન બહાર પાડ્યું છે.' કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે ઇથેનોલને કારણે કોઈપણ વાહનમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.

તેમણે કહ્યું, 'શું દેશ ઇંધણની આયાત પર 22 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે તે ઓછા થવા જોઈએ કે નહીં? શું પ્રદૂષણ ઘટવું ન જોઈએ? આજે, ઇથેનોલના ઉપયોગને કારણે, મકાઈનો ઉપયોગ વધ્યો છે અને મકાઈના ભાવ પણ વધ્યા છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે. આપણે ઊર્જા આયાત કરનાર નહીં, પણ ઊર્જા નિકાસ કરનાર દેશ બનવું જોઈએ. આપણી અર્થવ્યવસ્થા મજબૂત હોવી જોઈએ અને અમારી સરકાર આ દિશામાં કામ કરી રહી છે.'

Nitin-Gadkari1
swarajyamag.com

જોકે, ગડકરીએ આગળ કહ્યું, 'તમે કહ્યું તે એક વાત સાચી છે કે, પેટ્રોલમાં ઇથેનોલ ઉમેર્યા પછી, વાહનનું માઇલેજ તેના કેલરીફિક મૂલ્યને કારણે થોડું ઘટી શકે છે.' ઇથેનોલના વધતા ઉપયોગના ફાયદાઓ વિશે વાત કરતા ગડકરીએ કહ્યું કે, ઇથેનોલનો ઉપયોગ કરીને ખેડૂતોને 1 લાખ 14 હજાર કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે સરકારે લગભગ 1 લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે.

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણની ટકાવારી વધારવાની સરકારની યોજના અંગે નીતિન ગડકરીએ કહ્યું, 'તે હજુ નક્કી નથી. પહેલા તેનું ARAI દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે અને તેના ધોરણો નક્કી કરવામાં આવે છે. આ પછી, દરખાસ્ત પેટ્રોલિયમ મંત્રાલય પાસે જાય છે અને તેમની પાસે તેને અંતિમ સ્વરૂપ આપવાનો અધિકાર છે. ઇન્ડિયન ઓઇલે 350 ઇથેનોલ પેટ્રોલ પંપ શરૂ કર્યા છે.'

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.