હવે તમે PF ખાતામાંથી પુરી રકમ ઉપાડી શકશો, EPFOએ 7 કરોડ લોકોને આપી ભેટ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તમારા PF ખાતામાંથી ફંડ ઉપાડવાનું હવે વધુ સરળ બનાવ્યું છે. 7 કરોડથી વધુ સભ્યો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા, સંગઠને સ્પષ્ટતા કરી છે કે, તેઓ હવે કોઈપણ મુશ્કેલી વિના તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ છોડીને બાકી બચેલી પુરી રકમ ઉપાડી શકશે. ઉપાડવાની આ નવી લિમિટને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ બોર્ડે EPFO ​​સભ્યો માટે PF ઉપાડવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અન્ય ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે.

EPFO1
hindi.moneycontrol.com

આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ વંદના ગુરનાની અને EPFO ​​કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ પણ હાજર હતા. CBTની મીટિંગ દરમિયાન લેવાયેલો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ હતો કે, EPFO ​​સભ્યો હવે તેમના PF ખાતામાં મિનિમમ બેલેન્સ સિવાય, કર્મચારી અને નોકરીદાતાના હિસ્સા સહિત પુરી બેલેન્સ ઉપાડી શકશે. મિનિમમ બેલેન્સ કુલ ડિપોઝિટના 25 ટકા છે, જે 75 ટકા ઉપાડવાની મંજૂરી આપે છે.

આ અગાઉ, આ લિમિટ મર્યાદિત હતી, ફક્ત બેરોજગારી અથવા નિવૃત્તિના કિસ્સામાં જ સંપૂર્ણ ઉપાડની મંજૂરી અપાતી હતી. એક મહિનાની બેરોજગારી પછી, સભ્ય તેમના PF ખાતાના બેલેન્સમાંથી 75 ટકા ઉપાડી શકતો હતો, અને તેના બે મહિના પછી, બાકીની 25 ટકા રકમ ઉપાડી શકતો હતો. જ્યારે નિવૃત્તિના કિસ્સામાં, સંપૂર્ણ રકમ એક જ સમયે ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી.

EPFO3
bholuchand.com

CBTની મીટિંગ દરમિયાન લેવામાં આવેલા આ મોટા નિર્ણય અંગે, શ્રમ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, આ રાહત હવે બધા EPFO ​​સભ્યોને આપવામાં આવી છે. જેમાં સભ્યો તેમના PF ખાતામાં 25 ટકા લઘુત્તમ બેલેન્સ જાળવી રાખીને બાકીના 75 ટકા સરળતાથી ઉપાડી શકે છે. આનાથી EPFO ​​દ્વારા ચૂકવવામાં આવતા 8.25 ટકા વાર્ષિક વ્યાજ દરનો લાભ સભ્યોને મળતો રહેશે. મિનિમમ બેલેન્સ જાળવી રાખવાથી રીટાયરમેન્ટ ફંડ પણ ઉમેરાતું રહેશે.

નવી દિલ્હીમાં આ મહત્વપૂર્ણ બેઠકમાં લેવામાં આવેલા અન્ય નિર્ણયોની વાત કરીએ, તો શિક્ષણ માટે 10 વખત ઉપાડ કરી શકાશે અને જ્યારે લગ્ન માટે જરૂરત પડવાથી પાંચ વખત ઉપાડ કરી શકાશે. આ અગાઉ, આ મર્યાદા ત્રણ વખત તબક્કાવાર ઉપાડી શકાતી હતી, જે બંધ કરીને રાહત આપવામાં આવી છે. EPFO​​એ આંશિક ઉપાડ માટે અલગ અલગ મામલામાં સેવા સમયગાળાની મર્યાદાને પણ તમામ માટે એક કરી દીધી છે, અને તેને 12 મહિના નક્કી કરવામાં આવી છે. આ નિર્ણય ખાસ કરીને નવા કર્મચારીઓ માટે ઘણો ફાયદાકારક રહેશે.

EPFO2
money9live.com

આ અગાઉ, કુદરતી આફતો અથવા રોગચાળા જેવી ખાસ પરિસ્થિતિઓમાં, PF ભંડોળ ઉપાડવા માટે કારણ બતાવવું જરૂરી હતું. આ કિસ્સાઓમાં ઘણા દાવાઓ નકારી પણ કાઢવામાં આવ્યા હતા. જો કે, હવે, આ શ્રેણી હેઠળના સભ્યોને હવે કોઈ કારણ આપવાની જરૂર રહેશે નહીં. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હવે દસ્તાવેજોની જરૂરિયાત દૂર કરવામાં આવી છે, જેના કારણે આંશિક ઉપાડના દાવાઓનું 100 ટકા સ્વચાલિત સમાધાન સુનિશ્ચિત કરશે અને સભ્યોને સરળ સુવિધા પૂરી પાડશે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.