હવે તમે PF ખાતામાંથી પુરી રકમ ઉપાડી શકશો, EPFOએ 7 કરોડ લોકોને આપી ભેટ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તમારા PF ખાતામાંથી ફંડ ઉપાડવાનું હવે વધુ સરળ બનાવ્યું છે. 7 કરોડથી વધુ સભ્યો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા, સંગઠને સ્પષ્ટતા કરી છે કે, તેઓ હવે કોઈપણ મુશ્કેલી વિના તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ છોડીને બાકી બચેલી પુરી રકમ ઉપાડી શકશે. ઉપાડવાની આ નવી લિમિટને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ બોર્ડે EPFO ​​સભ્યો માટે PF ઉપાડવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અન્ય ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે.

EPFO1
hindi.moneycontrol.com

આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ વંદના ગુરનાની અને EPFO ​​કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ પણ હાજર હતા. CBTની મીટિંગ દરમિયાન લેવાયેલો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ હતો કે, EPFO ​​સભ્યો હવે તેમના PF ખાતામાં મિનિમમ બેલેન્સ સિવાય, કર્મચારી અને નોકરીદાતાના હિસ્સા સહિત પુરી બેલેન્સ ઉપાડી શકશે. મિનિમમ બેલેન્સ કુલ ડિપોઝિટના 25 ટકા છે, જે 75 ટકા ઉપાડવાની મંજૂરી આપે છે.

આ અગાઉ, આ લિમિટ મર્યાદિત હતી, ફક્ત બેરોજગારી અથવા નિવૃત્તિના કિસ્સામાં જ સંપૂર્ણ ઉપાડની મંજૂરી અપાતી હતી. એક મહિનાની બેરોજગારી પછી, સભ્ય તેમના PF ખાતાના બેલેન્સમાંથી 75 ટકા ઉપાડી શકતો હતો, અને તેના બે મહિના પછી, બાકીની 25 ટકા રકમ ઉપાડી શકતો હતો. જ્યારે નિવૃત્તિના કિસ્સામાં, સંપૂર્ણ રકમ એક જ સમયે ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી.

EPFO3
bholuchand.com

CBTની મીટિંગ દરમિયાન લેવામાં આવેલા આ મોટા નિર્ણય અંગે, શ્રમ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, આ રાહત હવે બધા EPFO ​​સભ્યોને આપવામાં આવી છે. જેમાં સભ્યો તેમના PF ખાતામાં 25 ટકા લઘુત્તમ બેલેન્સ જાળવી રાખીને બાકીના 75 ટકા સરળતાથી ઉપાડી શકે છે. આનાથી EPFO ​​દ્વારા ચૂકવવામાં આવતા 8.25 ટકા વાર્ષિક વ્યાજ દરનો લાભ સભ્યોને મળતો રહેશે. મિનિમમ બેલેન્સ જાળવી રાખવાથી રીટાયરમેન્ટ ફંડ પણ ઉમેરાતું રહેશે.

નવી દિલ્હીમાં આ મહત્વપૂર્ણ બેઠકમાં લેવામાં આવેલા અન્ય નિર્ણયોની વાત કરીએ, તો શિક્ષણ માટે 10 વખત ઉપાડ કરી શકાશે અને જ્યારે લગ્ન માટે જરૂરત પડવાથી પાંચ વખત ઉપાડ કરી શકાશે. આ અગાઉ, આ મર્યાદા ત્રણ વખત તબક્કાવાર ઉપાડી શકાતી હતી, જે બંધ કરીને રાહત આપવામાં આવી છે. EPFO​​એ આંશિક ઉપાડ માટે અલગ અલગ મામલામાં સેવા સમયગાળાની મર્યાદાને પણ તમામ માટે એક કરી દીધી છે, અને તેને 12 મહિના નક્કી કરવામાં આવી છે. આ નિર્ણય ખાસ કરીને નવા કર્મચારીઓ માટે ઘણો ફાયદાકારક રહેશે.

EPFO2
money9live.com

આ અગાઉ, કુદરતી આફતો અથવા રોગચાળા જેવી ખાસ પરિસ્થિતિઓમાં, PF ભંડોળ ઉપાડવા માટે કારણ બતાવવું જરૂરી હતું. આ કિસ્સાઓમાં ઘણા દાવાઓ નકારી પણ કાઢવામાં આવ્યા હતા. જો કે, હવે, આ શ્રેણી હેઠળના સભ્યોને હવે કોઈ કારણ આપવાની જરૂર રહેશે નહીં. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હવે દસ્તાવેજોની જરૂરિયાત દૂર કરવામાં આવી છે, જેના કારણે આંશિક ઉપાડના દાવાઓનું 100 ટકા સ્વચાલિત સમાધાન સુનિશ્ચિત કરશે અને સભ્યોને સરળ સુવિધા પૂરી પાડશે.

About The Author

Related Posts

Top News

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક...
National 
‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટના 22 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે વધુ બે...
Gujarat 
એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિશ્વભરમાં ચિંતા ઉભી કરી છે....
National 
LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.