રિલાયન્સ કેપિટલનું ટ્રેડિંગ બંધ થયું, શું શેર હોલ્ડર્સના રૂપિયા ડુબી જશે?

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડીંગ 26 ફેબ્રુઆરી 2024થી બંધ થઇ ગયું છે, છેલ્લો ભાવ 11.90 રૂપિયા હતો. ત્યારે રોકાણકારોને એ વાતની ચિંતા છે કે, શું રિલાયન્સ કેપિટલના શેરનું ફરી લિસ્ટીંગ થશે? કે પછી રૂપિયા ડુબી જશે?

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ 38000 કરોડ રૂપિયના દેવામાં ડુબી ગઇ હતી. કંપનીને ખરીદવા માટે અનેક વખત બિડ પછી આખરે હિંદુજા ગ્રુપની કંપની ઇંડસઇંડ ઇન્ટરનેશનલે સમાધાનમાં 9861 કરોડ રૂપિયામાં રિલાયન્સ કેપિટલ ખરીદી લીધી છે.

જાણવા મળેલી વિગત મુજબ 31 માર્ચ 2024 સુધીમાં ઇંડસઇંડ ઇન્ટરનેશનલ રિલાયન્સ કેપિટલના શેરને ડિલીસ્ટ કરાવી દેશે. મતલબ કે શેરની વેલ્યૂ ઝીરો થઇ જશે. આ સંજોગોમાં રિલાયન્સ કેપિટલના શેર હોલ્ડર્સને રૂપિયા ગુમાવવાનો વારો આવશે, કારણકે એક પણ રૂપિયો મળે તેવી કોઇ શક્યતા નથી.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.