આ છે દેશના સૌથી અમીર રાજ્યો, જુઓ ગુજરાત છે કે નહીં

વિવિધતામાં એકતા એટલે ભારત. આપણા દેશમાં દરેક કિસ્સાઓમાં વિવિધતા જોવા મળે છે. ઘણાં રાજ્યો એવા છે જે ઘણાં અમીર છે તો કેટલાક એવા પણ રાજ્યો છે જ્યાં હજુ પણ ગરીબી છે. જેની ગણતરી ગરીબ રાજ્યોમાં કરવામાં આવે છે. વર્ષ 2021-22માં GSDP ગણના અનુસાર, આ લેખમાં એવા રાજ્યો વિશે જણાવી રહ્યા છે, જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. જુઓ આ લિસ્ટમાં કદાચ તમારુ શહેર તો નથી!

400 બિલિયન અમેરિકન ડૉલર GSDPની સાથે મહારાષ્ટ્ર ભારતનું સૌથી અમીર રાજ્ય છે. રાજ્યની રાજધાની મુંબઈને દેશની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. આ શહેર સૌથી વધારે વસતી ધરાવતા રાજ્યમાં આવે છે.

તમિલનાડુ ભારતના બીજા સૌથી ધનિક રાજ્યોમાં આવે છે. જેનો જીએસડીપી રૂપિયા 19.43 ટ્રિલિયન કહેવામાં આવે છે. અહીં પણ 50 ટકા વસતી રહે છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, ગુજરાત 259.25 બિલિયન અમેરિકન ડૉલર GSDPની સાથે દેશના અમીર રાજ્યોમાં આવે છે. ગુજરાતને તમાકુ, કપાસ, બદામ જેવી વસ્તુઓનો પ્રમુખ ઉત્પાદક માનવામાં આવે છે. રાજ્ય ન માત્ર પૈસાથી બલ્કે કલ્ચર, રેલવે, પોર્ટ અને રોડ નેટવર્કમાં પણ આગળ છે.

ત્યાર પછી આ લિસ્ટમાં કર્ણાટક આવે છે. જેની 247.38 બિલિયન અમેરિકન ડૉલર જીએસડીપી છે. આ ભારતના અમીર રાજ્યોની લિસ્ટમાં આવે છે. અહીં ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરાંત ખેતીનો પણ વિસ્તાર થયો છે. આઈટી, બાયો-ટેક અને એરોસ્પેસમાં પણ કર્ણાટક આગળ છે.

234.96 બિલિયન અમેરિકન ડૉલર જીએસડીપીની સાથે ઉત્તર પ્રદેશ પણ ભારતના સૌથી અમીર રાજ્યોમાં આવે છે. ઉત્તર પ્રદેશ અન્ય રાજ્યોની જેમ ખૂબ જ ઝડપથી વિકસિત થઇ રહ્યું છે.

2020-21માં રાજસ્થાનની જીએસડીપી 11.98 ટ્રિલિયન રહી છે. આ એક ખનીજ સમૃદ્ધ રાજ્ય છે. રાજ્યમાં ગોલ્ડ, ચાંદી, બલુઆ પથ્થરનો ભંડાર છે. રાજસ્થાનનો ટૂરિઝમ અને બીજા સેક્ટરોમાં પણ વિકાસ વિસ્તાર થયો છે. સારી જીડીપી અને 150 બિલિયન ડૉલરની જીએસડીપીની સાથે પશ્ચિમ બંગાળ 6ઠ્ઠા નંબરે છે. આ રાજ્ય કલ્ચર અને કમર્શિયલ સેક્ટરમાં પણ અમીર છે.

આંધ્રપ્રદેશની જીએડીપી 120 બિલિયન ડૉલર છે. અહીં વિશાખાપટ્ટનમમાં પોર્ટ અને ઔદ્યોગિક સેક્ટર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ત્યાર બાદ મધ્ય પ્રદેશ 120 બિલિયન જીએસડીપીની સાથે 10માં સ્થાને આવે છે.

About The Author

Related Posts

Top News

શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવી દીધો છે, જેને કારણે ભારત સહિત ઘણા દેશ...
National 
શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ

ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ

બોટાદ જિલ્લાના યાત્રાધામ ગઢડા શહેરમાં પશુને માર મારવા જેવી સામાન્ય બાબતને કારણે પરિસ્થિતી વણસી છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં બપોરના...
Gujarat 
ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ

સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

(દિલીપ પટેલ) સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર...
Gujarat 
સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાલમાં જ ગુજરાતના વિરોધ પક્ષોને તીખી ટકોર કરી છે. તેમણે કહ્યું કે જેમ ચોમાસું પતે...
Politics 
જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા
Copyright (c) Khabarchhe All Rights Reserved.