- National
- શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ
શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવી દીધો છે, જેને કારણે ભારત સહિત ઘણા દેશ ઈરાની તેલ ખરીદવા તૈયાર છે. આ દરમિયાન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત તરફ આવી રહેલું ઈરાની તેલથી ભરેલું એક જહાજ ભારાત તરફ આવી રહ્યું હતું, પરંતુ પેમેન્ટ સાથે જોડાયેલી પરેશાનીઓને કારણે તેને ચીન તરફ વાળી દેવામાં આવ્યું છે. જો કે, હવે આ મામલે સરકારનો જવાબ આવ્યો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ઈરાની ક્રૂડ ઓઈલના કાર્ગોને પેમેન્ટ સંબંધિત સમસ્યાઓને કારણે ભારતના વડિનારથી ચીન તરફ વાળવાના સમાચારો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ હકીકતમાં ખોટા છે. ભારત 40થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઈલ આયાત કરે છે, અને કંપનીઓને વેપારના આધારે વિવિધ સ્ત્રોતો અને સ્થળોએથી તેલ લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.
મધ્ય-પૂર્વમાં પુરવઠામાં વિક્ષેપો વચ્ચે ભારતીય રિફાઇનરોએ ઈરાન સહિત તેમની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો પૂરી લીધી છે, જેમાં ઇરાનથી આવતા તેલનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, એ અફવા છે કે પેમેન્ટની સમસ્યાને કારણે ભારત આવી રહેલું ઈરાની જહાજ ચીન વાળવામાં આવ્યું છે. ઈરાની ક્રૂડ ઓઈલની આયાતમાં કોઈ ચૂકવણી સંબંધિત વિક્ષેપો નથી, અને ન તો કે ભારત આવી રહેલું કોઈ જહાજ ચીન તરફ વળ્યું છે.
https://twitter.com/PetroleumMin/status/2040340806805094607?s=20
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે જહાજને વાળવા અંગે કરવામાં આવલી રહેલા દાવાઓ એ વાતને નજરઅંદાજ કરે છે કે તેલ વેપાર કેવી રીતે કાર્ય કરે છે. બિલ ઓફ લેડિંગ ઘણીવાર મોટાભાગે માલ ઉતારવા માટે સંભાવિત બંદરોના નામ લખ્યા હોય છે અને, અને સમુદ્રમાં ચાલી રહેલા કાર્ગો વેપારને વધુ સુધારવા માટે અમે ઓપરેશનલ ફ્રીડમના આધાર પર મુસાફરી વચ્ચે જ તેમનો માર્ગ બદલી શકે છે.
પેટ્રોલિયમ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે આગામી મહિનાઓ માટે ભારતની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો સંપૂર્ણપણે સુરક્ષિત છે. LPG અંગે, કેટલાક દાવાઓ પણ ખોટા છે, કારણ કે LPG જહાજ ‘સી બર્ડ’, જેમાં લગભગ 44 TMT ઈરાની LPG લઈને આવ્યું હતું, 2 એપ્રિલના રોજ ભારતના મેંગલોર બંદર પર પહોંચ્યું હતું અને હાલમાં ત્યાં માલ ઉતારી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

