એક વર્ષમાં બીજી વખત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવી રહ્યા છે! શું છે કારણ?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લેશે. આ કાર્યક્રમ સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાવાનો છે. આ વર્ષમાં બીજી વખત હશે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન નવી દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિની આ મુલાકાત બંને દેશો વચ્ચેના મજબૂત અને ગાઢ થઇ રહેલા સંબંધોને પ્રતિબિંબિત કરે છે. પુતિનની ભારત મુલાકાતની ક્રેમલિન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.

26

હકીકતમાં, બ્રિક્સ સમિટ 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહી છે, જ્યાં બ્રિક્સ દેશોના નેતાઓ ભેગા થશે. આ મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે તે ભારત અને રશિયા વચ્ચે વધતા વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગ વચ્ચે થઇ રહી છે. આનાથી પણ વધુ ખાસ વાત એ છે કે, પુતિનની આ મુલાકાત એક વર્ષમાં બીજી વખતની છે. આ અગાઉ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બર 2025માં ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે તેમણે 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો.

વ્લાદિમીર પુતિન એક વર્ષમાં બીજી વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓએ આ અગાઉ ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચેની મુલાકાત દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ. પુતિનની 2025માં ભારતની મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી, કારણ કે 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રાષ્ટ્રપતિ પુતિનની આ પહેલી ભારત મુલાકાત હતી.

25

તે પહેલા, પુતિને છેલ્લી વખત 2021માં નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. અહીં તમને બતાવી દઈએ કે, આ વર્ષે નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટ વૈશ્વિક સુરક્ષા પડકારો, આર્થિક સહયોગ અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા સાથે ભારતના સંબંધો વિદેશ નીતિ માટે ઘણી રીતે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને, બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને ઉર્જા સહયોગ છેલ્લા કેટલાક દાયકાઓથી ખૂબ જ ગાઢ રહ્યો છે. રશિયાની મિત્રતા ભારત માટે પણ ખાસ છે કારણ કે રશિયાએ હંમેશા સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને ટેકો આપ્યો છે.

24

ભારતીય સશસ્ત્ર દળોના લશ્કરી હાર્ડવેરનો મોટો હિસ્સો રશિયાથી આયાત કરવામાં આવે છે. આ ઉપરાંત, રશિયા ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સૌથી અગત્યનું, વર્તમાન પરિસ્થિતિમાં રશિયા ભારતની ઉર્જા સુરક્ષા માટે નિર્ણાયક બની ગયું છે. યુક્રેન સંઘર્ષ પછી, પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. આમ છતાં, ભારતે રશિયા પાસેથી સૌથી વધુ પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આયાત કરવાનું ચાલુ રાખ્યું છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.