શું તમારું SBIમાં ખાતું છે, તો આટલી વખત જ ATMમાંથી પૈસા ઉપાડજો નહિતર એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતા ધરાવતા ગ્રાહકો માટે નવા નિયમો બહાર પાડ્યા છે. BSBD ખાતાધારકો માટે મફત રોકડ ઉપાડ મર્યાદા અમલમાં મુકવામાં આવી છે. 1 ઓક્ટોબર, 2026થી, આ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ફી વસૂલવામાં આવશે. હવે મહિનામાં ફક્ત ચાર(4) વખત મફતમાં રોકડ ઉપાડ કરી શકાશે. આ મર્યાદા પૂર્ણ થયા પછી, એટલે કે એક મહિનામાં 5મી વખત રોકડ ઉપાડવા જશો તો દરેક વધારાના વ્યવહાર માટે ચાર્જ વસૂલવામાં આવશે.

SBI
hindi.asianetnews.com

SBI અનુસાર, 1 ઓક્ટોબર, 2026થી, મહિનાના પહેલા 4 વખત રોકડ ઉપાડ મફત રહેશે. ત્યાર પછીની થનારી દરેક રોકડ ઉપાડ માટે રૂ. 15+ GST​​નો ચાર્જ વસૂલવામાં આવશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ મર્યાદા પહેલા પણ અમલમાં હતી, પરંતુ તેમાં ડિજિટલ વ્યવહારોનો સમાવેશ થતો ન હતો. BSBD ખાતાઓ માટે 4-મુક્ત વ્યવહાર મર્યાદા મુખ્યત્વે રોકડ ઉપાડ પર લાગુ થતી હતી. UPI, NEFT અને RTGS જેવા ડિજિટલ વ્યવહારોને આ મર્યાદામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ડિજિટલ વ્યવહારોમાં UPIના વ્યવહારો ઉમેરવામાં આવશે કે નહીં.

હાલમાં, BSBD એકાઉન્ટ દર મહિને મહત્તમ 4 વખત ફ્રી ઉપાડની મંજૂરી આપે છે. આમાં SBI ATMમાંથી રોકડ ઉપાડ, અન્ય બેંકોના ATMમાંથી રોકડ ઉપાડ, બેંક શાખાઓમાંથી રોકડ ઉપાડ અને AEPS દ્વારા રોકડ વ્યવહારોનો સમાવેશ થાય છે. AEPS એટલે આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ, જે તમને ફક્ત તમારા આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક)નો ઉપયોગ કરીને ડેબિટ કાર્ડ, પિન અથવા પાસવર્ડ વગર આવશ્યક બેંકિંગ વ્યવહારો કરવાની મંજૂરી આપે છે.

SBI2
hindi.news18.com

બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ એ એક મૂળભૂત બચત ખાતું છે જેમાં ગ્રાહકને લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. SBI અનુસાર, આ ખાતું ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ઓછી ફી અને અનુકૂળ રીતે મૂળભૂત બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવા માંગે છે.

જોકે, આ ખાતું ચેકબુક સુવિધા પ્રદાન કરતું નથી અને તેમાં ફક્ત મૂળભૂત RuPay ATM-કમ-ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. આ બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ ખોલનારા SBI ગ્રાહકો પાસે અન્ય કોઈ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ન હોવું જોઈએ. જો ગ્રાહક પાસે પહેલેથી જ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ હોય, તો બેંકમાં બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ ખોલ્યાના 30 દિવસની અંદર તેને બંધ કરવું આવશ્યક છે.

About The Author

Related Posts

Top News

ક્રિકેટમાં આવું પહેલી વાર થયું? 5-5 વિકેટ લીધા બાદ બોલને અડધો-અડધો કાપીને લઈ ગયા ખેલાડીઓ

લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાનની ઇનિંગ વ ફક્ત 171 રનમાં જ સમેટાઈ ગઇ. ઈંગ્લેન્ડ માટે ઓલી રોબિન્સન અને જોશ ટંગ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વાર થયું? 5-5 વિકેટ લીધા બાદ બોલને અડધો-અડધો કાપીને લઈ ગયા ખેલાડીઓ

10મા ધોરણના 2 વિદ્યાર્થીઓએ પોતાના પ્રિન્સિપાલને 27 વાર ચાકૂના ઘા મારી પતાવી દીધા અને ગોવા ફરવા જતા રહ્યા

તેલંગાણાના નાલગોંડા જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી એક આઘાતજનક ઘટના સામે આવી, જ્યાં એક સ્કૂલ પ્રિન્સિપાલનો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી...
National 
10મા ધોરણના 2 વિદ્યાર્થીઓએ પોતાના પ્રિન્સિપાલને 27 વાર ચાકૂના ઘા મારી પતાવી દીધા અને ગોવા ફરવા જતા રહ્યા

હોમ મિનિસ્ટર અમિત શાહ સાથે દક્ષિણના મુખ્યમંત્રીઓની બેઠક: CM વિજયે કરી બે માંગ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી દક્ષિણ ઝોનલ કાઉન્સિલની બેઠકમાં તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે બે પ્રમુખ મુદ્દાઓ રજૂ કર્યા હતા, ...
National 
હોમ મિનિસ્ટર અમિત શાહ સાથે દક્ષિણના મુખ્યમંત્રીઓની બેઠક: CM વિજયે કરી બે માંગ

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને મળીને દિપકેએ કહ્યું, 'ગાંધીજીનો પરિવાર અમારી સાથે છે એ CJPની દેશભક્તિનો સૌથી મોટો પુરાવો'

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકેએ પ્રદર્શનકારીઓને દેશદ્રોહી, અરાજકતાવાદી અને હિંસક કહેનારાઓ પર વળતો પ્રહાર કર્યો...
National 
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને મળીને દિપકેએ કહ્યું, 'ગાંધીજીનો પરિવાર અમારી સાથે છે એ CJPની દેશભક્તિનો સૌથી મોટો પુરાવો'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.