શું ફૂગ્ગો ફૂટ્યો? એક ઝટકામાં ચાંદીનો ભાવ 21500 તૂટ્યો

આજકાલ ચાંદીની ખુબ ચર્ચા થઈ રહી છે, અને સોમવારે ચાંદીના ભાવમાં ખુબ વધારે પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો. MCX પર ભાવ પ્રતિ કિલો રૂ. 2.54 લાખ સુધી વધી ગયો. જોકે, ત્યારપછી અચાનક ઘટાડો જોવા મળ્યો અને ભાવ પ્રતિ કિલો રૂ. 21,500 સુધી ઘટી ગયો, જેનો અર્થ એ થયો કે ચાંદી એક જ ઝટકામાં રૂ. 21,000થી વધુ સસ્તી થઈ ગઈ.

એક રીતે, બુલિયન બજારમાં એક મોટું વેપારી નાટક જોવા મળ્યું. દિવસની શરૂઆતમાં ચાંદીના ભાવે ઇતિહાસ રચ્યો, પરંતુ એક કલાકમાં જ રૂ. 21,500 ઘટી ગયા. રોકાણકારો સમજી શક્યા નહીં કે ભાવમાં ઘટાડો શા માટે થયો.

Silver Price Drop
jagran.com

સવારે, જ્યારે MCX પર માર્ચ મહિનામાં ચાંદીના વાયદાના ભાવે પ્રતિ કિલો રૂ. 2,54,174નો રેકોર્ડ તોડ્યો, ત્યારે એવું લાગતું હતું કે ચાંદી માટે આ 2025નું છેલ્લું ટ્રેડિંગ સત્ર હશે. પરંતુ જેવું માર્કેટમાં નફા-બુકિંગ શરુ થઇ ગયું, ભાવ ઝડપી ગતિએ ઉંધી દિશામાં જવા લાગ્યા અને રૂ. 2,32,663 પર આવી ગયા, એટલે કે ચાંદીના ભાવ થોડા જ સમયમાં આશરે રૂ. 21,500 ઘટી ગયા.

નિષ્ણાતોના મતે, આ ઘટાડો અચાનક નથી, પરંતુ તીવ્ર વધારા સામે સામાન્ય પ્રતિક્રિયા છે. ઘણા વેપારીઓએ નફો મેળવવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેનાથી બજારમાં ઘટાડો વધુ ઝડપી બન્યો.

Silver Price Drop
indiatv.in

અહીં તમને બતાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારે શરૂઆતમાં ચાંદી પર દબાણ બનાવ્યું. વૈશ્વિક ચાંદીના ભાવ શરૂઆતમાં 80 પ્રતિ ડૉલર ઔંસ સુધી પહોંચ્યા હતા, પરંતુ પછી 75 ડૉલર પર આવી ગયા, જેના કારણે સ્થાનિક ભાવ પર અસર પડી. આ ફેરફાર યુક્રેન-રશિયા તણાવમાં થોડી રાહતના સમાચાર સાથે પણ હતો, જેના કારણે સલામત આશ્રયસ્થાનોની માંગમાં ઘટાડો થયો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંદીએ ગયા વર્ષે મજબૂત વળતર આપ્યું છે. ડિસેમ્બર 2024માં, ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 90 લાખ હતો, જ્યાંથી તે 150 ટકાથી વધુ વધ્યો છે. સોમવારે, MCX પર ચાંદીનો ભાવ ₹254,000 પ્રતિ કિલો પર પહોંચી ગયો.

Silver Price Drop
livehindustan.com

નિષ્ણાતો કહે છે કે, ચાંદીના ભાવમાં વધારો અનેક પરિબળોને કારણે થઇ રહ્યો છે. ઔદ્યોગિક માંગમાં વધારો, રોકાણકારોનો સલામત સંપત્તિમાં વધતો રસ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા ચાંદીની માંગને આગળ વધતી રહી છે. ખાસ કરીને ગ્રીન એનર્જી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલ્સમાં ચાંદીની વધતી માંગના કારણે ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે.

About The Author

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.