શેરબજાર ડાઉન; IT શેરોમાં કડાકો અને રોકાણકારોના લગભગ 4 લાખ કરોડ ડૂબ્યા! આ રહ્યા બજાર ઘટવાના ત્રણ કારણો

મંગળવારે બજાર ખુલતા જ શરૂ થયેલો શેરબજારનો કડાકો છેલ્લે સુધી ચાલુ રહ્યો. શેરબજારના કડાકાને કારણે રોકાણકારોને લગભગ રૂ. 4 લાખ કરોડનું નુકસાન થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 1,068 પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ એક દિવસના ઘટાડા પછી 288 પોઈન્ટ ઘટીને 25,500ના સ્તરથી નીચે બંધ થયો. આ દરમિયાન, IT શેરોમાં ભારે ઉથલપાથલ જોવા મળી અને ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને HCL ટેક જેવા મુખ્ય શેરો નીચેની તરફ જતા જોવા મળ્યા.

મંગળવારે BSE સેન્સેક્સ 83,052 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જે તેના અગાઉના 83,294.66ના બંધથી નીચે હતું, અને ઘટાડો વધતો રહ્યો. બપોરે 2 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 1,300 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. જો કે, બજારના છેલ્લા કલાકમાં થોડી રિકવરી જોવા મળી હોવા છતાં, 30 શેરનો ઇન્ડેક્સ તો પણ 1,068.74 પોઇન્ટ ઘટીને 82,225.92 પર બંધ થયો હતો.

સેન્સેક્સની જેમ, NSEનો 50 શેરનો ઇન્ડેક્સ, નિફ્ટી-50, પણ દિવસભર ઘટ્યો હતો. તે 25,641 પર ખુલ્યો હતો, જે સોમવારના 25,713ના બંધથી નીચે હતો, અને ખુલ્યા પછી તરત જ તેમાં તીવ્ર ઘટાડો શરૂ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે 330 પોઇન્ટથી વધુ ઘટીને 25,327 પર પહોંચ્યો હતો. જોકે, તેમાં થોડી ઘણી રિકવરી પણ જોવા મળી હતી અને અંતે 288.35 પોઇન્ટ ઘટીને 25,424.65 પર બંધ થયો હતો.

Share Market Crash
hindi.economictimes.com

શેરબજાર ક્રેશને કારણે, મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) ઘટીને રૂ. 465 લાખ કરોડ થઈ ગયું હતું, જે અગાઉના ટ્રેડિંગ દિવસે રૂ. 469 લાખ કરોડ હતું અને તે મુજબ, શેરબજારના રોકાણકારોને લગભગ રૂ. 4 લાખ કરોડનું નુકસાન સહન કરવાનું આવ્યું હતું.

જો આપણે બજારના ઘટાડા વચ્ચે સૌથી વધુ ઘટેલા શેરોની વાત કરીએ, તો IT ક્ષેત્રની કંપનીઓના શેર તૂટતા જોવા મળ્યા. બજાર બંધ થવાના સમયે, BSE લાર્જકેપ કેટેગરીમાં સમાવિષ્ટ ટેક મહિન્દ્રા શેર (6.60 ટકા), HCL ટેક શેર (6.10 ટકા), ઇન્ફોસિસ શેર (3.91 ટકા), TCS શેર (3.79 ટકા) ઘટાડા સાથે બંધ થયા. આ ઉપરાંત, Zomatoની પેરેન્ટ કંપની Eternal શેર (5.28 ટકા), LT શેર (3.59 ટકા), ટ્રેન્ટ શેર (2.93 ટકા), ભારતી એરટેલ શેર (2.83 ટકા) અને HDFC બેંક શેર (1.42 ટકા), BEL શેર (1.07 ટકા) ઘટાડા સાથે બંધ થયા.

મંગળવારના શેરબજારના ઘટાડા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો, ફક્ત એક નહીં પરંતુ અનેક કારણો હોવાનું જણાય છે. આમાંથી સૌથી મુખ્ય વિશે આપણે વાત કરીશું...

પહેલું કારણ: IT શેરોમાં વૈશ્વિક કડાકો જોવા મળ્યો છે. ભારતીય IT કંપનીના શેરમાં ઘટાડાને કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું, પરંતુ Anthropic AIના ભયથી પણ US બજારમાં IT શેરોમાં હલચલ મચી ગઈ હતી. અહેવાલો અનુસાર, એન્થ્રોપિકે જાહેરાત કરી હતી કે, તેનું ક્લાઉડ કોડ ટૂલ COBL પર બનેલી જૂની સિસ્ટમોને સ્વચાલિત કરી શકે છે. આ પછી, IT શેરોમાં વેચાણ વધુ તીવ્ર બન્યું, જેના કારણે બજારમાં ભારે કડાકો થઇ ગયો હતો.

Share Market Crash
upstox.com

બીજું કારણ: મિશ્ર, નબળા વૈશ્વિક સંકેતોને કારણે, ભારતીય શેરબજાર શરૂઆતથી અંત સુધી રેડ ઝોનથી ગ્રીન ઝોન તરફ જવામાં નિષ્ફળ રહ્યું. હકીકતમાં, સોમવારે US શેરબજારના ક્રેશની અસર મંગળવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન એશિયન બજારોમાં અનુભવાઈ હતી. જાપાનના નિક્કી સિવાય, મોટાભાગના એશિયન બજારો નીચા ટ્રેડિંગ કરી રહ્યા હતા. આની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.

ત્રીજું કારણ: બજારમાં ઘટાડાનું ત્રીજું કારણ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને આભારી છે. ટેરિફ પર સુપ્રીમ કોર્ટમાં તેમની હાર પછી, ટ્રમ્પે 15 ટકા વૈશ્વિક ટેરિફની જાહેરાત કરી, જેનાથી ફરી એકવાર વૈશ્વિક તણાવ વધ્યો. ત્યાર પછી તેમણે વધુ એક ઊંચા ટેરિફ લાદવાની નવી ધમકી પણ આપી. તેમણે જણાવ્યું હતું કે, જે દેશો કોર્ટના નિર્ણયનો ઉપયોગ કરીને અમેરિકા સાથે છેડછાડ કરશે તેમને પહેલા કરતાં વધુ ટેરિફનો સામનો કરવો પડશે.

નોંધ: શેરબજારમાં તમારે તમારું કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ લેવી આવશ્યક છે.

About The Author

Top News

શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

ભારતીય ક્રિકેટર શિખર ધવનને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને 5.7 કરોડ...
Sports 
શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

બુધવારે શેરબજાર જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, પરંતુ તેમ છતા રેલવે સંબંધિત કંપની IRFCનો સ્ટોક ખૂલતાની...
Business 
અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ભારત અને શ્રિલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2026માં જ્યારે ટીમ ઇન્ડિયા, ઝિમ્બાબ્વે સામેની મહત્ત્વપૂર્ણ મેચ અગાઉ તૈયારીઓ અને...
Sports 
રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં હર્ષ સંઘવીનું નામ આજે વિશ્વાસ અને કાર્યક્ષમ વ્યક્તિત્વ તરીકે જોવામાં આવે છે. યુવા વયે ધારાસભ્ય...
Opinion 
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.