છ વર્ષમાં જે ન થયું તે થઇ ગયું... એક તરફ સેન્સેક્સમાં તેજી આવી, તો આ બાજુ સારા સમાચાર આવ્યા

માર્ચ મહિનામાં છૂટક ફુગાવો છ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો. શેરબજાર બંધ થયા પછી આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. મંગળવારે બજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ટેરિફ મુક્તિની જાહેરાત કર્યા પછી સેન્સેક્સ 1,578 પોઇન્ટ વધ્યો. માર્ચમાં જથ્થાબંધ ફુગાવામાં પણ ઘટાડો થયો છે. શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓના ભાવ ઘટવાને કારણે માર્ચમાં છૂટક ફુગાવો ઘટીને 3.34 ટકા થયો. આ છેલ્લા છ વર્ષમાં સૌથી નીચો છે. અગાઉ ઓગસ્ટ 2019માં આ દર 3.28 ટકા હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI) આ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને તેની નીતિઓ બનાવે છે. ગયા અઠવાડિયે, સેન્ટ્રલ બેંકે રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કર્યો હતો.

Retail Inflation
livevns.news

ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત છૂટક ફુગાવો 3.61 ટકા હતો. ગયા વર્ષે માર્ચમાં તે 4.85 ટકા હતો. આ વખતે માર્ચમાં તેમાં વધુ ઘટાડો થયો છે. માર્ચમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર 2.69 ટકા હતો. ફેબ્રુઆરીમાં તે 3.75 ટકા હતો. ગયા વર્ષે માર્ચમાં તે 8.52 ટકા હતો. આનો અર્થ એ થયો કે ખાવા પીવાની વસ્તુઓ હવે પહેલા કરતા સસ્તી થઇ રહી છે.

RBIનું કહેવું છે કે, આગામી નાણાકીય વર્ષ 2025-26માં છૂટક ફુગાવાનો દર 4 ટકાની આસપાસ રહેશે. તેમનો અંદાજ છે કે, તે પ્રથમ ક્વાર્ટરમાં 3.6 ટકા, બીજા ક્વાર્ટરમાં 3.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 3.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.4 ટકા રહેશે. RBI એમ પણ કહે છે કે, ફુગાવાનો દર ઉપર કે નીચે પણ જઈ શકે છે.

Stock Market
cnbctv18.com

માર્ચમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવાનો દર પણ ઘટીને 2.05 ટકા થયો છે. આ છેલ્લા છ મહિનામાં સૌથી નીચો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 1.91 ટકા હતો. આનો અર્થ એ થયો કે, જથ્થાબંધ બજારમાં પણ વસ્તુઓ સસ્તી થઈ રહી છે.

બીજી તરફ, મંગળવારે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી રહી. BSE સેન્સેક્સ 1,578 પોઈન્ટ વધ્યો. NSE નિફ્ટીમાં 500 પોઈન્ટનો વધારો થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ ઘટાડવા અને વાહનો પર ટેરિફ પર પુનર્વિચાર કરવાનો સંકેત આપ્યો હતો. આના કારણે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી. તેની અસર ભારત પર પણ પડી.

Retail Inflation
thehindu.com

BSE સેન્સેક્સ 1,577.63 પોઈન્ટ અથવા 2.10 ટકાના વધારા સાથે 76,734.89 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, તે એક સમયે 1,750.37 પોઈન્ટ સુધી વધી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી પણ 500 પોઈન્ટ અથવા 2.19 ટકાના વધારા સાથે 23,328.55 પોઈન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, તે એક સમયે 539.8 પોઈન્ટ સુધી ગયો હતો. 2 એપ્રિલના રોજ ટ્રમ્પ દ્વારા પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદવામાં આવ્યા પછી બજાર ઘટ્યું હતું. હવે બંને સૂચકાંકો તે નુકસાનમાંથી બહાર આવી ગયા છે.

Stock Market
ommcomnews.com

BSEના બધા ક્ષેત્રીય સૂચકાંકો નફામાં હતા. BSEના રિયલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાંચ ટકાનો વધારો થયો હતો.

About The Author

Related Posts

Top News

HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા...
National 
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં રાષ્ટ્ર ગીત ગાવા...
Education 
ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.