‘તેના પર પ્રતિબંધ ન મૂકી શકો’, ફવાદ ખાનની ફિલ્મના સમર્થનમાં પ્રકાશ રાજ, તેને રીલિઝ કરવા કહ્યું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના પછી દેશભરના લોકોમાં ગુસ્સો અને શોક છે. ભારત સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કડક વલણ અપનાવ્યું અને ઘણા ગંભીર અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. આમાંનો એક નિર્ણય પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો હતો. આ નિર્ણય હેઠળ, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી ફિલ્મ 'અબીર ગુલાલ'ની રિલીઝ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, હવે દક્ષિણ અને બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજે ફિલ્મ પર પ્રતિબંધ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેની રિલીઝની માંગ કરી છે.

Prakash Raj
hindi.newsbytesapp.com

હકીકતમાં, પ્રકાશ રાજે હાલમાં જ એક મીડિયા ચેનલ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મો તેમજ અભિનય કારકિર્દી અને સામાજિક મુદ્દાઓ વિશે વાત કરી. આ દરમિયાન, તેમણે ભારતમાં સેન્સરશીપ અને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની પ્રતિબંધિત ફિલ્મ 'અબીર ગુલાલ' પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. દક્ષિણ અભિનેતાએ વાતચીતમાં કહ્યું કે, તેઓ કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન કરતા નથી, પછી ભલે તે પ્રચાર ફિલ્મ હોય કે અન્ય કોઈ પ્રકારની. તેને પ્રદર્શિત થવા દેવી જોઈએ. પ્રકાશ રાજ માને છે કે, આનો નિર્ણય લોકોએ લેવો જોઈએ અને તે તેમનો અધિકાર છે. તેમનું કહેવું છે કે, આ રીતે કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સિવાય કે તે પોર્નોગ્રાફી અથવા બાળ શોષણ જેવી વસ્તુઓ બતાવતી હોય.

આ સાથે, આ વાતચીતમાં પ્રકાશ રાજે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના દીપિકા પાદુકોણના ગીત 'બેશરમ રંગ' પર થયેલા વિવાદ પર પણ વાત કરી. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોઈને પણ કંઈપણથી દુઃખ થઈ શકે છે. દીપિકાની ફિલ્મના એક ગીતમાં, લોકો ફક્ત તેના ડ્રેસના રંગને કારણે ગુસ્સે થયા હતા. 'હું દીપિકાનું નાક કાપી નાખીશ, હું તેનું માથું કાપી નાખીશ' જેવા લોકોના નિવેદનોનો ઉલ્લેખ કરતા પ્રકાશ રાજે કહ્યું કે, લોકો કંઈપણ વસ્તુ પર હોબાળો મચાવી શકે છે. તેમણે આ માટે સરકારને દોષી ઠેરવી અને કહ્યું કે સરકાર લોકોને આવું કરવા માટે ટેકો આપી રહી છે, જેથી સમાજમાં એક પ્રકારનો ડર છવાયેલો રહે.

Prakash Raj
hindi.newsbytesapp.com

વધુમાં, સેન્સરશીપ વિશે વાત કરતી વખતે, પ્રકાશ રાજે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની 'L 2 એમ્પુરાં' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરી અને કહ્યું કે 'એમ્પુરાં' પહેલા પાસ કરવામાં આવી હતી પરંતુ જ્યારે વિવાદ ઉભો થયો, ત્યારે તેમણે અમુક દ્રશ્યો દૂર કરવા કહ્યું. પ્રકાશ રાજ વધુમાં કહે છે કે, બધું જ પ્લાનિંગ મુજબ થાય છે, કારણ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી ફિલ્મો કોઈપણ સમસ્યા વિના પસાર થઇ જશે.

About The Author

Related Posts

Top News

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ...
National 
હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.