‘તેના પર પ્રતિબંધ ન મૂકી શકો’, ફવાદ ખાનની ફિલ્મના સમર્થનમાં પ્રકાશ રાજ, તેને રીલિઝ કરવા કહ્યું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના પછી દેશભરના લોકોમાં ગુસ્સો અને શોક છે. ભારત સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કડક વલણ અપનાવ્યું અને ઘણા ગંભીર અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. આમાંનો એક નિર્ણય પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો હતો. આ નિર્ણય હેઠળ, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી ફિલ્મ 'અબીર ગુલાલ'ની રિલીઝ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, હવે દક્ષિણ અને બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજે ફિલ્મ પર પ્રતિબંધ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેની રિલીઝની માંગ કરી છે.

Prakash Raj
hindi.newsbytesapp.com

હકીકતમાં, પ્રકાશ રાજે હાલમાં જ એક મીડિયા ચેનલ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મો તેમજ અભિનય કારકિર્દી અને સામાજિક મુદ્દાઓ વિશે વાત કરી. આ દરમિયાન, તેમણે ભારતમાં સેન્સરશીપ અને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની પ્રતિબંધિત ફિલ્મ 'અબીર ગુલાલ' પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. દક્ષિણ અભિનેતાએ વાતચીતમાં કહ્યું કે, તેઓ કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન કરતા નથી, પછી ભલે તે પ્રચાર ફિલ્મ હોય કે અન્ય કોઈ પ્રકારની. તેને પ્રદર્શિત થવા દેવી જોઈએ. પ્રકાશ રાજ માને છે કે, આનો નિર્ણય લોકોએ લેવો જોઈએ અને તે તેમનો અધિકાર છે. તેમનું કહેવું છે કે, આ રીતે કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સિવાય કે તે પોર્નોગ્રાફી અથવા બાળ શોષણ જેવી વસ્તુઓ બતાવતી હોય.

આ સાથે, આ વાતચીતમાં પ્રકાશ રાજે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના દીપિકા પાદુકોણના ગીત 'બેશરમ રંગ' પર થયેલા વિવાદ પર પણ વાત કરી. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોઈને પણ કંઈપણથી દુઃખ થઈ શકે છે. દીપિકાની ફિલ્મના એક ગીતમાં, લોકો ફક્ત તેના ડ્રેસના રંગને કારણે ગુસ્સે થયા હતા. 'હું દીપિકાનું નાક કાપી નાખીશ, હું તેનું માથું કાપી નાખીશ' જેવા લોકોના નિવેદનોનો ઉલ્લેખ કરતા પ્રકાશ રાજે કહ્યું કે, લોકો કંઈપણ વસ્તુ પર હોબાળો મચાવી શકે છે. તેમણે આ માટે સરકારને દોષી ઠેરવી અને કહ્યું કે સરકાર લોકોને આવું કરવા માટે ટેકો આપી રહી છે, જેથી સમાજમાં એક પ્રકારનો ડર છવાયેલો રહે.

Prakash Raj
hindi.newsbytesapp.com

વધુમાં, સેન્સરશીપ વિશે વાત કરતી વખતે, પ્રકાશ રાજે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની 'L 2 એમ્પુરાં' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરી અને કહ્યું કે 'એમ્પુરાં' પહેલા પાસ કરવામાં આવી હતી પરંતુ જ્યારે વિવાદ ઉભો થયો, ત્યારે તેમણે અમુક દ્રશ્યો દૂર કરવા કહ્યું. પ્રકાશ રાજ વધુમાં કહે છે કે, બધું જ પ્લાનિંગ મુજબ થાય છે, કારણ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી ફિલ્મો કોઈપણ સમસ્યા વિના પસાર થઇ જશે.

About The Author

Related Posts

Top News

GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના...
Education 
GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.