‘તેના પર પ્રતિબંધ ન મૂકી શકો’, ફવાદ ખાનની ફિલ્મના સમર્થનમાં પ્રકાશ રાજ, તેને રીલિઝ કરવા કહ્યું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના પછી દેશભરના લોકોમાં ગુસ્સો અને શોક છે. ભારત સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કડક વલણ અપનાવ્યું અને ઘણા ગંભીર અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. આમાંનો એક નિર્ણય પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો હતો. આ નિર્ણય હેઠળ, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી ફિલ્મ 'અબીર ગુલાલ'ની રિલીઝ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, હવે દક્ષિણ અને બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજે ફિલ્મ પર પ્રતિબંધ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેની રિલીઝની માંગ કરી છે.

Prakash Raj
hindi.newsbytesapp.com

હકીકતમાં, પ્રકાશ રાજે હાલમાં જ એક મીડિયા ચેનલ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મો તેમજ અભિનય કારકિર્દી અને સામાજિક મુદ્દાઓ વિશે વાત કરી. આ દરમિયાન, તેમણે ભારતમાં સેન્સરશીપ અને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની પ્રતિબંધિત ફિલ્મ 'અબીર ગુલાલ' પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. દક્ષિણ અભિનેતાએ વાતચીતમાં કહ્યું કે, તેઓ કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન કરતા નથી, પછી ભલે તે પ્રચાર ફિલ્મ હોય કે અન્ય કોઈ પ્રકારની. તેને પ્રદર્શિત થવા દેવી જોઈએ. પ્રકાશ રાજ માને છે કે, આનો નિર્ણય લોકોએ લેવો જોઈએ અને તે તેમનો અધિકાર છે. તેમનું કહેવું છે કે, આ રીતે કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સિવાય કે તે પોર્નોગ્રાફી અથવા બાળ શોષણ જેવી વસ્તુઓ બતાવતી હોય.

આ સાથે, આ વાતચીતમાં પ્રકાશ રાજે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના દીપિકા પાદુકોણના ગીત 'બેશરમ રંગ' પર થયેલા વિવાદ પર પણ વાત કરી. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોઈને પણ કંઈપણથી દુઃખ થઈ શકે છે. દીપિકાની ફિલ્મના એક ગીતમાં, લોકો ફક્ત તેના ડ્રેસના રંગને કારણે ગુસ્સે થયા હતા. 'હું દીપિકાનું નાક કાપી નાખીશ, હું તેનું માથું કાપી નાખીશ' જેવા લોકોના નિવેદનોનો ઉલ્લેખ કરતા પ્રકાશ રાજે કહ્યું કે, લોકો કંઈપણ વસ્તુ પર હોબાળો મચાવી શકે છે. તેમણે આ માટે સરકારને દોષી ઠેરવી અને કહ્યું કે સરકાર લોકોને આવું કરવા માટે ટેકો આપી રહી છે, જેથી સમાજમાં એક પ્રકારનો ડર છવાયેલો રહે.

Prakash Raj
hindi.newsbytesapp.com

વધુમાં, સેન્સરશીપ વિશે વાત કરતી વખતે, પ્રકાશ રાજે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની 'L 2 એમ્પુરાં' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરી અને કહ્યું કે 'એમ્પુરાં' પહેલા પાસ કરવામાં આવી હતી પરંતુ જ્યારે વિવાદ ઉભો થયો, ત્યારે તેમણે અમુક દ્રશ્યો દૂર કરવા કહ્યું. પ્રકાશ રાજ વધુમાં કહે છે કે, બધું જ પ્લાનિંગ મુજબ થાય છે, કારણ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી ફિલ્મો કોઈપણ સમસ્યા વિના પસાર થઇ જશે.

Related Posts

Top News

5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ચીન-અમેરિકા ટેરિફ, ભારત-પાકિસ્તાન તણાવ અને જિયો પોલિટિકલ ટેંશનને કારણે બજારમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, બિઝનેસ ટુડે...
Business 
 5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે.  પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
World 
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.