શેરબજાર કેમ આટલું તૂટ્યું? તમને પણ આ જ પ્રશ્ન છે... આ રહ્યા 3 મોટા કારણો

શેરબજાર કેમ તૂટી રહ્યું છે? હવે લગભગ દરેક નાના-મોટા રોકાણકારોના મનમાં આ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે, કારણ કે છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન રિટેલ રોકાણકારોએ આવા ઘટાડાનો સામનો કર્યો ન હતો. આંકડાઓની દ્રષ્ટિએ, કોવિડ સમયગાળા પછી, ઓક્ટોબર 2024 એટલે કે વર્તમાન મહિનો શેરબજાર માટે સૌથી ખરાબ સાબિત થયો છે. આવી સ્થિતિમાં રોકાણકારો ગભરાય તે સ્વાભાવિક છે.

હકીકતમાં, રોકાણકારો દરરોજ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે, કારણ કે એવી આશા રહે છે કે, ઘટાડો હવે અટકશે, પરંતુ તે થઈ રહ્યું નથી, ઘટાડો ચાલુ છે. ગુરુવારે પણ બજારમાં વધઘટ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ શરૂઆતમાં 135 પોઈન્ટ ઉછળ્યો હતો, પરંતુ થોડા સમય પછી લપસી ગયો હતો. બપોરે 2.30 વાગ્યે સેન્સેક્સ 80 પોઈન્ટ ઘટીને 80000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 54 અંક ઘટીને 24380ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

જો આપણે ડેટા પર નજર કરીએ તો માત્ર થોડા જ અઠવાડિયામાં સેન્સેક્સમાં લગભગ 6000 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે, જ્યારે નિફ્ટીએ લગભગ 1900 પોઈન્ટ્સ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં રોકાણકારોની ધીરજ જવાબ આપી રહી છે. આ સમયગાળા દરમિયાન મિડકેપ અને સ્મોલ કેપ શેરોને સૌથી વધુ નુકસાન થયું છે. તમામ લોકપ્રિય શેર તેમની ઊંચાઈથી 40 થી 50 ટકા ઘટ્યા છે. ઉદાહરણ તરીકે, OLA ઈલેક્ટ્રિકનો શેર ઘટીને રૂ. 80 થયો છે, જ્યારે તેનો ઓલ-ટાઇમ હાઈ રૂ. 156 છે. NHPCના શેરમાં લગભગ 35 ટકા, BEMLના શેરમાં 35 ટકા, Voda-Ideaના શેરમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે, બજાર આ રીતે કેમ ઘટી રહ્યું છે અને તે ક્યાં જઈને ટેકો લઇ લેશે. નિષ્ણાતોના મતે બજારમાં આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો છે, જેનું સૌથી મોટું કારણ બીજા ક્વાર્ટરના પરિણામો છે.

પહેલું કારણ: બીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા મુજબ ન આવવાને કારણે, જે શેરો નબળા પરિણામો રજૂ કરી રહ્યા છે તે પીટાઈ રહ્યા છે. જેના કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ સતત કથળી રહ્યું છે. ખાસ કરીને ઓટો સેક્ટર, FMCG અને કેટલીક ટેક કંપનીઓના પરિણામોએ બજારને મોટો ઝટકો આપ્યો છે.

બીજું કારણ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યા છે, જ્યારે સ્થાનિક રોકાણકારો તે પ્રમાણમાં ખરીદી કરતા નથી, થોડા મહિના પહેલા સુધી એવું થતું હતું કે, જ્યારે પણ FII દ્વારા વેચાણ થતું હતું ત્યારે સ્થાનિકમાં ઘટાડો થતો હતો અને મોટી ખરીદી જોવા મળી શકતી હતી. પરંતુ આ વખતે એવું થઈ રહ્યું નથી. છેલ્લા એક મહિનામાં FIIએ ભારતીય બજારમાંથી લગભગ રૂ. 1 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે.

હકીકતમાં ચીનમાં આર્થિક પેકેજની સતત જાહેરાતને કારણે કેટલાક વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી ચીન તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘટાડાનો દબદબો છે.

ત્રીજું કારણઃ છેલ્લા દોઢ વર્ષમાં ફંડામેન્ટલ શેરોમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ ભીડમાં આવા કેટલાક શેરો પણ ખૂબ દોડ્યા હતા, જેના માટે તેજીનું કોઈ ખાસ કારણ નહોતું. ખાસ કરીને સરકારી કંપનીઓના શેર, રેલવેના શેર, નવી ટેક્નોલોજી કંપનીઓના શેર અને સરકારી બેંકોના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જે વૃદ્ધિ કરતા ઘણો વધારે હતો. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં, કેટલાક શેરો જંગલી ચાલ ચાલ્યા હતા, હવે આવા શેરો ખૂબ પીટાઈ રહ્યા છે. ખાસ કરીને મોંઘા વેલ્યુએશનવાળા શેર્સમાં વેચાણ પ્રચલિત છે અને આવા શેર તેમની ઊંચાઈના 50 ટકા સુધી તૂટી ચુક્યા છે.

નિષ્ણાતોના મતે બજાર સેલિંગ ઝોનમાં છે, નિફ્ટીનો પહેલો સપોર્ટ 24000 પોઈન્ટ પર છે, ત્યાર પછી મજબૂત સપોર્ટ 23800 પોઈન્ટ પર છે, જ્યાંથી બજારનો મૂડ બદલાઈ શકે છે.

નોંધઃ શેરબજારમાં કોઈ પણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલા તમે તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.