હવે તમે જૂના ઘરેણાં નહીં વેચી શકો, હોલમાર્કમાં ફસાયો પેંચ, જાણી લો નવા નિયમ

જો તમારી પાસે ઘરમાં જૂના ઘરેણાં છે અને તમે તેને વેચવા કે તોડાવીને નવા ઘરેણાં બનાવવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે જરૂરી સમાચાર છે. એમ એટલે છે કેમ કે સરકારે ઘરેણાં વેચવાને લઈને નવા નિયમ બનાવી દીધા છે. ઘરમાં રાખેલી જૂની જ્વેલરી તમે ત્યાં સુધી નહીં વેચી શકો, જ્યાં સુધી તમે તેની હોલમાર્કિંગ નહીં કરાવી લો. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ, સોનું ખરીદવા અને વેચવા માટે નવા નિયમ જાહેર કરી દીધા છે.

નિયમ અનુસાર, હવે ઘરોમાં રાખેલી જૂની જ્વેલરીનું હોલમાર્કિંગ પણ અનિવાર્ય થઈ ગયું છે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલ 2023થી બધા સોનાના ઘરેણાંઓ અને કલાકૃતિઓ પર હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર હોવો જોઈએ. જો કે, પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, હોલમાર્કિંગ નવા ઘરેણાં કે સોનાના પ્રોડક્ટ ખરીદવા પર જ લાગૂ થશે.

એક રિપોર્ટ મુજબ, સરકારે તેનાથી પણ એક પગલું આગળ વધારી દીધું છે અને હવે જૂના ઘરેણાંને વેચવા માટે પણ હોલમાર્કિંગ અનિવાર્ય કરી દીધું છે. BIS મુજબ, જે ઉપભોક્તાઓ પાસે હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાં છે, તેમને તેને વેચવા કે નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરવા અગાઉ તેને અનિવાર્ય રૂપે હોલમાર્ક કરાવવા પડશે. જૂની જ્વેલરીને હોલમાર્ક કરવા માટે ગ્રાહકો પાસે 2 વિકલ્પ છે. તેઓ BIS રજીસ્ટર્ડ જ્વેલરી પાસે જૂના, હોલમાર્ક વિનાના ઘરેણાંને હોલમાર્ક કરાવી શકે છે.

BIS રજિસ્ટર્ડ જ્વેલર હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાંને હોલમાર્ક કરાવવા માટે BIS એસેઇંગ અને હોલમાર્ક સેન્ટર લઈ જશે. ગ્રાહકો પાસે બીજો વિકલ્પ છે કે તેઓ કોઈ પણ BIS માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટરથી ઘરેણાઓની તપાસ કરાવીને હોલમાર્કિંગ કરાવી લે. ઘરેણાંઓની સંખ્યા 5 કે વધુ હોવા પર હોલમાર્કિંગ કરાવવા માટે ઉપભોક્તાઓએ દરેક ઘરેણાં માટે 45 રૂપિયા ચૂકવવા પડશે. 4 પીસ હોલમાર્ક કરાવવા માટે 200 રૂપિયા આપવા પડશે.

BIS પાસેથી માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્ર જ્વેલરીને ચેક કરીને પોતાનું સર્ટિફિકેટ આપશે. ઉપભોક્તા પોતાના જૂના હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાંને વેચવા માટે આ રિપોર્ટને કોઈ પણ સોનાના જ્વેલર પાસે લઈ જઈ શકે છે. જો કોઈ ગ્રાહક પાસે જૂના/પહેલાના હોલમાર્કના નિશાનો સાથે હોલમાર્કવાળા સોનાના ઘરેણાં છે તો પણ તેને હોલમાર્કવાળી જ્વેલરી માનવામાં આવશે. સોનાના ઘરેણાં પહેલાથી જ જૂના નિશાનો સાથે હોલમાર્ક છે તો HUID નંબર સાથે ફરીથી હોલમાર્ક કરવાની જરૂરિયાત નથી. આ પ્રકારની હોલમાર્કવાળી જ્વેલરીને નવી ડિઝાઇન માટે સરળતાથી વેચી કે એક્સચેન્જ કરી શકાય છે.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.