હવે તમે જૂના ઘરેણાં નહીં વેચી શકો, હોલમાર્કમાં ફસાયો પેંચ, જાણી લો નવા નિયમ

જો તમારી પાસે ઘરમાં જૂના ઘરેણાં છે અને તમે તેને વેચવા કે તોડાવીને નવા ઘરેણાં બનાવવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે જરૂરી સમાચાર છે. એમ એટલે છે કેમ કે સરકારે ઘરેણાં વેચવાને લઈને નવા નિયમ બનાવી દીધા છે. ઘરમાં રાખેલી જૂની જ્વેલરી તમે ત્યાં સુધી નહીં વેચી શકો, જ્યાં સુધી તમે તેની હોલમાર્કિંગ નહીં કરાવી લો. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ, સોનું ખરીદવા અને વેચવા માટે નવા નિયમ જાહેર કરી દીધા છે.

નિયમ અનુસાર, હવે ઘરોમાં રાખેલી જૂની જ્વેલરીનું હોલમાર્કિંગ પણ અનિવાર્ય થઈ ગયું છે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલ 2023થી બધા સોનાના ઘરેણાંઓ અને કલાકૃતિઓ પર હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર હોવો જોઈએ. જો કે, પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, હોલમાર્કિંગ નવા ઘરેણાં કે સોનાના પ્રોડક્ટ ખરીદવા પર જ લાગૂ થશે.

એક રિપોર્ટ મુજબ, સરકારે તેનાથી પણ એક પગલું આગળ વધારી દીધું છે અને હવે જૂના ઘરેણાંને વેચવા માટે પણ હોલમાર્કિંગ અનિવાર્ય કરી દીધું છે. BIS મુજબ, જે ઉપભોક્તાઓ પાસે હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાં છે, તેમને તેને વેચવા કે નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરવા અગાઉ તેને અનિવાર્ય રૂપે હોલમાર્ક કરાવવા પડશે. જૂની જ્વેલરીને હોલમાર્ક કરવા માટે ગ્રાહકો પાસે 2 વિકલ્પ છે. તેઓ BIS રજીસ્ટર્ડ જ્વેલરી પાસે જૂના, હોલમાર્ક વિનાના ઘરેણાંને હોલમાર્ક કરાવી શકે છે.

BIS રજિસ્ટર્ડ જ્વેલર હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાંને હોલમાર્ક કરાવવા માટે BIS એસેઇંગ અને હોલમાર્ક સેન્ટર લઈ જશે. ગ્રાહકો પાસે બીજો વિકલ્પ છે કે તેઓ કોઈ પણ BIS માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટરથી ઘરેણાઓની તપાસ કરાવીને હોલમાર્કિંગ કરાવી લે. ઘરેણાંઓની સંખ્યા 5 કે વધુ હોવા પર હોલમાર્કિંગ કરાવવા માટે ઉપભોક્તાઓએ દરેક ઘરેણાં માટે 45 રૂપિયા ચૂકવવા પડશે. 4 પીસ હોલમાર્ક કરાવવા માટે 200 રૂપિયા આપવા પડશે.

BIS પાસેથી માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્ર જ્વેલરીને ચેક કરીને પોતાનું સર્ટિફિકેટ આપશે. ઉપભોક્તા પોતાના જૂના હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાંને વેચવા માટે આ રિપોર્ટને કોઈ પણ સોનાના જ્વેલર પાસે લઈ જઈ શકે છે. જો કોઈ ગ્રાહક પાસે જૂના/પહેલાના હોલમાર્કના નિશાનો સાથે હોલમાર્કવાળા સોનાના ઘરેણાં છે તો પણ તેને હોલમાર્કવાળી જ્વેલરી માનવામાં આવશે. સોનાના ઘરેણાં પહેલાથી જ જૂના નિશાનો સાથે હોલમાર્ક છે તો HUID નંબર સાથે ફરીથી હોલમાર્ક કરવાની જરૂરિયાત નથી. આ પ્રકારની હોલમાર્કવાળી જ્વેલરીને નવી ડિઝાઇન માટે સરળતાથી વેચી કે એક્સચેન્જ કરી શકાય છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.