અમદાવાદમાં આગ દુર્ઘટનામાં બહાદુરી દેખાડનાર 6 વર્ષની વીરાંગનાને મળશે નેશનલ એવોર્ડ

On

‘જેવુ નામ તેવું કામ’ આ કહેતા તો તમે ઘણા લોકોને સાંભળ્યા જ હશે, પરંતુ અમદાવાદની એક 6 વર્ષની દીકરીએ આ કહેવત સાર્થક કરી બતાવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી 6 વર્ષની દીકરી ‘વીરાંગના ઝાલા’એ આગની દુર્ઘટનામાં બહાદુરી દેખાડવા બદલ 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં નેશનલ બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બોડકદેવમાં રહેતી વીરાંગના ઝાલાના ઘરમાં ભૂતકાળમાં તણખો ઊડ્યા બાદ આગ લાગવાની ઘટના બની હતી એ વખત 6 વર્ષની વીરાંગનાએ સમયસૂચકતા દેખાડીને આગની ઘટના પોતાના માતા-પિતાને જાણ કરી હતી.

તે ઉપરાંત આડોશ-પાડોશમાં રહેતા લોકોને તેની જાણ કરીને આખી બિલ્ડિંગ ખાલી કરાવી હતી. 6 વર્ષીય વીરાંગનાએ દેખાડેલી આ બહાદુરીના કારણે 60 કરતા વધુ લોકોના જીવ બચી ગયા હતા. એટલે જ તેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઘટના 7 ઑગસ્ટ 2022ની છે. આ દિવસે પાર્ક વ્યૂ અપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના થઇ હતી. પહેલા ધોરણમાં ભણતી વીરાંગના ટી.વી. જોવા માટે બેઠી અને જેવો જ તેને રિમોટ પ્રેસ કર્યો, તેની સાથે જ તેમાંથી એક આગને તણખો નીકળ્યો, જેથી આગ લાગી ગઇ હતી.

જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જો કે વીરાંગના આ આગને પહોંચીવળવા ખૂબ નાની હતી, જેની જગ્યાએ કોઇ બીજું જોઇ છોકરું હોત તો ડરી જતું, પરંતુ વીરાંગનાએ બહાદુરી દેખાડી. તેણે આસપાસના લોકોને આગ લાગવાની ઘટનાની જાણ કરી જેના કારણે જાનહાનિ થતા બચી ગઇ હતી. બ્રેવરી એવોર્ડ માટે બાળકોના નામની ભલામણ કરનાર ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચિલ્ડ્રન વેલફેર સંસ્થા (ICCW) સુધી વીરાંગનાની બહાદુરીની વાત પહોંચી હતી.

ત્યારબાદ બ્રેવરી એવોર્ડ માટે વીરાંગના ઝાલાનું નામ મોકલવા આ સંસ્થાએ તેના માતા-પિતા સાથે સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વીરાંગના પોતાના પરિવારમાંથી પહેલી વ્યક્તિ નથી કે જેને નેશનલ એવોર્ડ મળશે. NCC કેડેટ રહી ચૂકેલા તેના દાદા કૃષ્ણકુમાર સિંહ ઝાલાને પણ ‘ઓલ ઇન્ડિયા બેસ્ટ કેડેટ જુનિયર’નો એવોર્ડ મળી ચૂક્યો છે. તેના દાદાને વર્ષ 1969ના પ્રજાસત્તાક દિવસના અવસર પર તાત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એનાયત કર્યો હતો.

દાદાની જેમ જ વીરાંગનાએ પણ નેશનલ એવોર્ડ જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે. દર વર્ષે 18 વર્ષથી નીચેના 25 ભારતીય બાળકોને તેમના અદમ્ય સાહસ બદલ નેશનલ બ્રેવરી એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 1957મા ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરે મુશ્કેલ પરિસ્થિતિમાં સરાહનીય બહાદુરી દેખાડનાર બાળકોને સન્માનિત કરવા અને આ બાળકોથી અન્ય બાળકો પણ પ્રેરણા લે તે હેતુથી એવોર્ડની શરૂઆત કરી હતી.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.