અમદાવાદમાં આગ દુર્ઘટનામાં બહાદુરી દેખાડનાર 6 વર્ષની વીરાંગનાને મળશે નેશનલ એવોર્ડ

‘જેવુ નામ તેવું કામ’ આ કહેતા તો તમે ઘણા લોકોને સાંભળ્યા જ હશે, પરંતુ અમદાવાદની એક 6 વર્ષની દીકરીએ આ કહેવત સાર્થક કરી બતાવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી 6 વર્ષની દીકરી ‘વીરાંગના ઝાલા’એ આગની દુર્ઘટનામાં બહાદુરી દેખાડવા બદલ 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં નેશનલ બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બોડકદેવમાં રહેતી વીરાંગના ઝાલાના ઘરમાં ભૂતકાળમાં તણખો ઊડ્યા બાદ આગ લાગવાની ઘટના બની હતી એ વખત 6 વર્ષની વીરાંગનાએ સમયસૂચકતા દેખાડીને આગની ઘટના પોતાના માતા-પિતાને જાણ કરી હતી.

તે ઉપરાંત આડોશ-પાડોશમાં રહેતા લોકોને તેની જાણ કરીને આખી બિલ્ડિંગ ખાલી કરાવી હતી. 6 વર્ષીય વીરાંગનાએ દેખાડેલી આ બહાદુરીના કારણે 60 કરતા વધુ લોકોના જીવ બચી ગયા હતા. એટલે જ તેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઘટના 7 ઑગસ્ટ 2022ની છે. આ દિવસે પાર્ક વ્યૂ અપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના થઇ હતી. પહેલા ધોરણમાં ભણતી વીરાંગના ટી.વી. જોવા માટે બેઠી અને જેવો જ તેને રિમોટ પ્રેસ કર્યો, તેની સાથે જ તેમાંથી એક આગને તણખો નીકળ્યો, જેથી આગ લાગી ગઇ હતી.

જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જો કે વીરાંગના આ આગને પહોંચીવળવા ખૂબ નાની હતી, જેની જગ્યાએ કોઇ બીજું જોઇ છોકરું હોત તો ડરી જતું, પરંતુ વીરાંગનાએ બહાદુરી દેખાડી. તેણે આસપાસના લોકોને આગ લાગવાની ઘટનાની જાણ કરી જેના કારણે જાનહાનિ થતા બચી ગઇ હતી. બ્રેવરી એવોર્ડ માટે બાળકોના નામની ભલામણ કરનાર ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચિલ્ડ્રન વેલફેર સંસ્થા (ICCW) સુધી વીરાંગનાની બહાદુરીની વાત પહોંચી હતી.

ત્યારબાદ બ્રેવરી એવોર્ડ માટે વીરાંગના ઝાલાનું નામ મોકલવા આ સંસ્થાએ તેના માતા-પિતા સાથે સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વીરાંગના પોતાના પરિવારમાંથી પહેલી વ્યક્તિ નથી કે જેને નેશનલ એવોર્ડ મળશે. NCC કેડેટ રહી ચૂકેલા તેના દાદા કૃષ્ણકુમાર સિંહ ઝાલાને પણ ‘ઓલ ઇન્ડિયા બેસ્ટ કેડેટ જુનિયર’નો એવોર્ડ મળી ચૂક્યો છે. તેના દાદાને વર્ષ 1969ના પ્રજાસત્તાક દિવસના અવસર પર તાત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એનાયત કર્યો હતો.

દાદાની જેમ જ વીરાંગનાએ પણ નેશનલ એવોર્ડ જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે. દર વર્ષે 18 વર્ષથી નીચેના 25 ભારતીય બાળકોને તેમના અદમ્ય સાહસ બદલ નેશનલ બ્રેવરી એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 1957મા ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરે મુશ્કેલ પરિસ્થિતિમાં સરાહનીય બહાદુરી દેખાડનાર બાળકોને સન્માનિત કરવા અને આ બાળકોથી અન્ય બાળકો પણ પ્રેરણા લે તે હેતુથી એવોર્ડની શરૂઆત કરી હતી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.