પોલીસકર્મીએ ડિવોર્સ લીધા વગર બીજી સાથે લગ્ન કર્યા, સંતાન થતા બીજીને કાઢી મૂકી

ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં માતા અને દીકરીનું મિલન કરાવતો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં એવું અવલોકન કર્યું કે, જો વ્યક્તિ સરકારી કર્મી હોય અને સર્વિલ લૉ લાગુ પડે તો ભલે કોઈ પણ ધર્મનો હોય પ્રસ્તુત કેસમાં રૂબિકા નામની અરજદાર મહિલાએ પોલીસ વિભાગમાં ફરજ અદા કરતા ફરહાન (નામ બદલ્યું છે) સાથે બીજા લગ્ન કર્યા હતા. પણ પતિએ પહેલી પત્નીને કોઈ રીતે છૂટાછેડા આપ્યા ન હતા. છતાં અરજદાર રૂહી (નામ બદલ્યું છે) સાથે લગ્ન કરી ફરીથી સંસાર માંડ્યો.

જેનાથી એમને ત્યાં એક બાળકીને જન્મ થયો.પછી રૂહી અને પતિ વચ્ચે મોટી માથાકુટ થઈ હતી. કારણ કે પતિ પહેલી પત્ની સાથે રહેવા માટે જતો રહ્યો હતો. જેના થોડા દિવસો બાદ જ બીજી પત્ની તરફથી જન્મેલી બાળકીની પતિએ કસ્ટડી લઈ લીધી હતી. 15 મહિનાની બાળકીની કસ્ટડી પરત મેળવવા રૂહીએ ગુજરાત હાઈકોર્ટ સામે આ અરજી કરી હતી. જેમાં કોર્ટે વચગાળાનો આદેશ કરી 15 મહિનાની બાળકીની કસ્ટડી ફરી અરજદાર રૂહીને સોપી. અહીં અરજદારની ઉંમર 31 વર્ષની છે. જ્યારે એનો પતિ ફરહાન 59 વર્ષનો છે. આણંદ ટ્રાફિક શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ડ્યૂટી કરે છે. હાલ તે નિવૃતિના આરે છે. અરજદાર રૂહીએ અગાઉ જેની સાથે લગ્ન કર્યા હતા. એને છૂટાછેડા આપી દીધા હતા. પહેલા લગ્નથી એને બે બાળકો હતા. પછી ફરહાનના સંપર્કમાં આવી એની સાથે ફરીથી લગ્ન કર્યા. ફરહાનને પહેલી પત્નીથી કોઈ સંતાન ન હતા. પણ બીજી પત્ની સાથે રહેવા ગયો પછી બીજી પત્ની રૂહીથી બાળકીનો જન્મ થયો. થોડા સમયમાં બીજી પત્ની રૂહી અને પહેલા લગ્નથી આવેલા બે બાળકોને ઘરેથી કાઢી મૂક્યા. જ્યારે રૂહીએ નવી દીકરીને જન્મ આપ્યો એની કસ્ટડી ફરહાને લઈ લીધી. પહેલે નીચલી કોર્ટેમાં આ અંગે અરજી કરવામાં આવી હતી. પણ આવી અરજી ફગાવી દેતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

રૂહીએ પોતાની બાળકીની કસ્ટડી મેળવવા હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટ વચગાળાના આદેશ અંતર્ગત 15 મહિનાની બાળકીને એની માતાને સોંપી દેવાનો હુકમ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી તા21 માર્ચે શરૂ થશે. અરજદારના વકીલ મહેશ પૂજારાએ કહ્યું કે, રૂહીના બીજા પતિએ પહેલી પત્નીને છૂટાછેડા દીધા વગર લગ્ન કર્યા છે. પહેલી જોડેથી કોઈ સંતાન ન હતું એટલે બીજા લગ્ન કર્યા. પછી બાળકીનો જન્મ થયો હતો.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 10-9-2025 વાર- બુધવાર મેષ - પેટને લગતી બીમારીઓમાં રાહત મળે, કોર્ટ કચેરીના કામમાં સાચવવું, આજે કોઈની સલાહ વગર કામ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.