ઇશરત જહાં કેસમાં નિર્દોષ છૂટેલા IPS સિંઘલે નિવૃતિ પહેલા જ નોકરી કેમ છોડી દીધી

ગુજરાતના ચર્ચિત IPS ઓફિસરમાં સામેલ GS સિંઘલ ફરી એકવાર ચર્ચામાં છે. ગુજરાત પોલીસ સેવામાંથી બઢતી મેળવીને IPS બનેલા સિંઘલે નિવૃત્તિના 2 વર્ષ પહેલાં જ પોલીસની નોકરીને અલવિદા કરી દીધું છે. દેશભરમાં ચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સિંઘલની ધરપકડ બાદ નિર્દોષ છુટ્યા હતા. તેમણે ત્રણ મહિના પહેલા સરકારમાં નિવૃત્તિ માટે અરજી કરી હતી જે સરકારે મંજૂર કર્યા બાદ હવે તેઓ આગામી દિવસોમાં સમાજ સેવામાં સક્રિય થઈ શકે તેવી ચર્ચા છે. સિંઘલ આત્મહત્યા રોકવા માટે NGO બનાવીને કામ કરવા માંગે છે.

ગુજરાતમાં IGP તરીકે કમાન્ડોને તાલીમ આપી રહેલા સિનિયર IPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વરિષ્ઠ IPS અધિકારી જીએલ સિંઘલને જ્યારે આરોપી બનાવવામાં આવ્યા ત્યારે તે દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. હવે તેણે સમય પહેલા નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે.

સિંઘલ 1996માં ગુજરાત કેડરના અધિકારી તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા. તેમને 2001માં ભારતીય પોલીસ સેવા (IPS)માં સામેલ કરવામાં આવ્યા હતા. સરકારે તેમની નિવૃત્તિ માટેની વિનંતી સ્વીકારી લીધા બાદ હવે નિવૃત્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. સંભવતઃ 5 ઓગસ્ટ તેમનો નોકરીનો છેલ્લો દિવસ હશે.

IPS સિંઘલે 21 એપ્રિલે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG)ને નોટીસ મોકલીને સ્વેચ્છા નિવૃતિની મંજૂરી માંગી હતી અને રાજ્યપાલને FR-56 હેઠળ સ્વૈચ્છિત નિવૃતિની વિનંતી કરી હતી. તેમણે 22 વર્ષથી વધારે સમય પોલીસમાં સેવા કરી છે. 11 મેના રોજ, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડમીનીસ્ટ્રેશન) એ ગૃહ સચિવને સિંઘલના અકાળે નિવૃત્ત થવાના ઇરાદા વિશે જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેમના સામે તેની સામે કોઈ વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી.

ઇશરત જહાં કેસ પછી IPS સિંઘલની ઇમેજ એનકાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તરીકે ઉભી થઇ હતી. જો કે, આ કેસમાં સૌથી પહેલા પોલીસ ઓફીસર તરીકે સિંઘલની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી તેમણે જેલ જવાની સાથે 14 મહિના સસ્પેન્ડ રહેવું પડ્યું હતું. વર્ષ 2015માં તેમને ફરીથી નોકરી પર લેવામાં આવ્યા હતા.

ઈશરત જહાં કેસમાં CBIએ IPS સિંઘલની આરોપી તરીકે ધરપકડ કરી હતી. આ પછી તેમને 2001માં IPS તરીકે બઢતી મળી હતી. આખરે એપ્રિલ 2021માં CBI કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારે કોર્ટે કહ્યું હતું કે પોલીસે તેમની ફરજ મુજબ જ કાર્યવાહી કરી હતી.

સરકારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે IPS સિંઘલ સમે કોઇ વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી. મૂળ રીતે અમદાવાદથી સંબંધ ધરાવનાર જી એસ સિંઘલે  એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો.સરકારે તેમની સ્વેચ્છા નિવૃતિ અરજીનો સ્વીકાર કરી લીધો છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.