કોરોનાના આ નવા વેરિયન્ટથી ફરી મંડરાયું જોખમ? વૈજ્ઞાનિકોએ જુઓ શું કહ્યું

કોરોના વાયરસનું જોખમ અત્યાર સુધી આખી દુનિયા પરથી ટળ્યું નથી. તેના નવા નવા વેરિયન્ટ આખી દુનિયામાં ફરીથી ડરનો માહોલ બનાવી રહ્યા છે. આ દરમિયાન ઇન્ડોનેશિયામાં કોરોના વાયરસનો એક એવો કેસ સામે આવ્યો છે જે પ્રસારની બાબતે ઓમીક્રોનથી અનેક ગણો આગળ છે. આ વેરિયન્ટ અત્યાર સુધી 110 વખત કરતા વધુ મ્યૂટેટ થઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિકો મુજબ, ઇન્ડોનેશિયામાં જોવા મળ્યું કે, આ વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી વધુ મ્યૂટેડ વેરિયન્ટ છે.

જકાર્તામાં એક દર્દીના સ્વાબથી ડેલ્ટા વેરિયન્ટનો મોરફડ ડેલ્ટા વર્ઝન મળ્યું છે. તે ઓછામાં ઓછો 113 વખત મ્યૂટેટ કરી ચૂક્યો છે. રિસર્ચર્સે જણાવ્યું કે, અત્યાર સુધી સૌથી ખતરનાક કોરોના વેરિયન્ટ થઈ શકે છે. આ વેરિયન્ટનીની તુલનામાં ઓમીક્રોન 50 વખત મ્યૂટેડ થયો છે. તો વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, અત્યાર સુધી તેના પુરાવા મળ્યા નથી, જેથી તે સમાપ્ત થઈ જશે. આ ખતરનાક વેરિયન્ટને જોતા આખી દુનિયામાં લોકના મનમાં ડર ફેલાઈ ગયો છે. એવામાં સવાલ ઉઠે છે કે શું આ વેરિયન્ટ ઓમીક્રોનની જેમ લોકડાઉન લગાવવાની સંભાવના વધારી શકે છે?

આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેના પ્રસારને લઈને લોકડાઉનની જરૂરિયાત નહીં પડે. જે દર્દીમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. તેમાં કોરોનાના લક્ષણ દેખાય છે. તે એક નવા સંક્રમણથી ઝઝૂમી રહ્યો હતો. તો નવા વાયરસના રેકોર્ડને જુલાઇના પહેલા અઠવાડિયામાં ઇન્ટરનેશનલ ડેટાબેઝમાં અપલોડ કરી દીધો છે. આ નવા વેરિયન્ટથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે તો તેને સારા થવામાં લગભગ એક મહિનો સુધી લાગી શકે છે. આ કોરોનાના વેરિયન્ટથી લોકોની ઇમ્યુનિટી ખૂબ નબળી થઈ જાય છે.

તેનાથી વૈજ્ઞાનિક ચિંતિત છે. જો કોઈ એડ્સ કે કેન્સર પીડિત દર્દી આ વેરિયન્ટથી સંક્રમિત થઈ જાય છે. તેની સારવારમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વારવિક યુનિવર્સિટીના વાયરોલૉજિસ્ટ પ્રોફેસર લોરેન્સ યંગે જણાવ્યું કે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે નવા શોધવામાં આવેલા સ્ટ્રેનમાં આગળ વધવા અને બીજાઓને સંક્રમિત કરવાની કોઈ ક્ષમતા છે કે નહીં. આ નવા વેરિયન્ટને લઈને બેદરકારી ન રાખવી જોઈએ. તેની બાબતે ખૂબ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

About The Author

Top News

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય? આ સવાલ ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી પૂછાતો થયો છે. શું ગુજરાતમાં લોકશાહી...
National 
વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

સુરત શહેરના આંગણે આગામી 1લી મે, 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઇ...
Gujarat 
ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા....
National 
'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા...
Gujarat 
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’
Copyright (c) Khabarchhe All Rights Reserved.