કોરોનાના આ નવા વેરિયન્ટથી ફરી મંડરાયું જોખમ? વૈજ્ઞાનિકોએ જુઓ શું કહ્યું

કોરોના વાયરસનું જોખમ અત્યાર સુધી આખી દુનિયા પરથી ટળ્યું નથી. તેના નવા નવા વેરિયન્ટ આખી દુનિયામાં ફરીથી ડરનો માહોલ બનાવી રહ્યા છે. આ દરમિયાન ઇન્ડોનેશિયામાં કોરોના વાયરસનો એક એવો કેસ સામે આવ્યો છે જે પ્રસારની બાબતે ઓમીક્રોનથી અનેક ગણો આગળ છે. આ વેરિયન્ટ અત્યાર સુધી 110 વખત કરતા વધુ મ્યૂટેટ થઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિકો મુજબ, ઇન્ડોનેશિયામાં જોવા મળ્યું કે, આ વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી વધુ મ્યૂટેડ વેરિયન્ટ છે.

જકાર્તામાં એક દર્દીના સ્વાબથી ડેલ્ટા વેરિયન્ટનો મોરફડ ડેલ્ટા વર્ઝન મળ્યું છે. તે ઓછામાં ઓછો 113 વખત મ્યૂટેટ કરી ચૂક્યો છે. રિસર્ચર્સે જણાવ્યું કે, અત્યાર સુધી સૌથી ખતરનાક કોરોના વેરિયન્ટ થઈ શકે છે. આ વેરિયન્ટનીની તુલનામાં ઓમીક્રોન 50 વખત મ્યૂટેડ થયો છે. તો વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, અત્યાર સુધી તેના પુરાવા મળ્યા નથી, જેથી તે સમાપ્ત થઈ જશે. આ ખતરનાક વેરિયન્ટને જોતા આખી દુનિયામાં લોકના મનમાં ડર ફેલાઈ ગયો છે. એવામાં સવાલ ઉઠે છે કે શું આ વેરિયન્ટ ઓમીક્રોનની જેમ લોકડાઉન લગાવવાની સંભાવના વધારી શકે છે?

આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેના પ્રસારને લઈને લોકડાઉનની જરૂરિયાત નહીં પડે. જે દર્દીમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. તેમાં કોરોનાના લક્ષણ દેખાય છે. તે એક નવા સંક્રમણથી ઝઝૂમી રહ્યો હતો. તો નવા વાયરસના રેકોર્ડને જુલાઇના પહેલા અઠવાડિયામાં ઇન્ટરનેશનલ ડેટાબેઝમાં અપલોડ કરી દીધો છે. આ નવા વેરિયન્ટથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે તો તેને સારા થવામાં લગભગ એક મહિનો સુધી લાગી શકે છે. આ કોરોનાના વેરિયન્ટથી લોકોની ઇમ્યુનિટી ખૂબ નબળી થઈ જાય છે.

તેનાથી વૈજ્ઞાનિક ચિંતિત છે. જો કોઈ એડ્સ કે કેન્સર પીડિત દર્દી આ વેરિયન્ટથી સંક્રમિત થઈ જાય છે. તેની સારવારમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વારવિક યુનિવર્સિટીના વાયરોલૉજિસ્ટ પ્રોફેસર લોરેન્સ યંગે જણાવ્યું કે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે નવા શોધવામાં આવેલા સ્ટ્રેનમાં આગળ વધવા અને બીજાઓને સંક્રમિત કરવાની કોઈ ક્ષમતા છે કે નહીં. આ નવા વેરિયન્ટને લઈને બેદરકારી ન રાખવી જોઈએ. તેની બાબતે ખૂબ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.