કોરોનાના XFG વેરિયન્ટથી હાહાકાર, સ્ટ્રોન્ગ ઇમ્યૂનિટી પણ કામ નથી આવતી, 160 લોકોને બનાવી ચૂક્યો છે શિકાર

દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં તેજી આવી ગઈ છે. અત્યાર સુધી JN.1ના મ્યૂટેશન વેરિયન્ટ NB.1.8.1 અને NF.7ના સંક્રમણને લઈને એક્સપર્ટ વધુ ચિંતા વ્યક્ત કરતા નહોતા. જોકે, તેની ઝડપથી ફેલાવાની ક્ષમતાએ જરૂર હાઇ એલર્ટવાળી સ્થિતિ લાવી દીધી છે, પરંતુ હવે ભારતમાં વધુ એક વેરિયન્ટ આવી ચૂક્યો છે, જેના કારણે પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. આ વધારો ત્યારે સામે આવ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં એક નવો વેરિયન્ટ XFGની ઓળખ થઈ છે. આ વેરિયન્ટની સૌથી પહેલા ઓળખ કેનેડામાં થઈ હતી. તે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, ચાલો સમજીએ.

શું છે XFG વેરિયન્ટ?

XFG વેરિયન્ટ ઓમીક્રોનનો એક નવો સબ-વેરિયન્ટ છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સ્ટડી મુજબ, આ વેરિયન્ટ LF.7 અને LP.8.1.2માંથી ઉત્પન્ન થયો છે. તેમાં 4 મુખ્ય મ્યૂટેશન (His445Arg, Asn487Asp, Gln493Glu, Thr572Ile) છે, જે તેને ઝડપથી ફેલાવામાં મદદ કરે છે.

corona2
health.economictimes.indiatimes.com

 

XFG વેરિયન્ટના કેસ ક્યાં-ક્યાં મળ્યા?

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અનુસાર, દેશભરમાં અત્યાર સુધી XFG વેરિયન્ટના 163 કેસ મળ્યા છે. તેમાં, સૌથી વધુ 89 કેસ મહારાષ્ટ્રથી છે, ત્યારબાદ તામિલનાડુ (16), કેરળ (15) અને ગુજરાત (11) છે. તો, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે.

કેટલો ખતરનાક છે XFG

કોરોનાનો સામે આવેલો નવો વેરિયન્ટ, XFG, ઇમ્યૂનિટીને છેતરવામાં માહિર છે. તેનો અર્થ એ છે કે આ વેરિયન્ટ એ લોકોને પણ શિકાર બનાવી શકે છે જેમની ઇમ્યૂનિટી સ્ટ્રોન્ગ છે. તેનાથી, દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે છે.

corona
moneycontrol.com

 

કેરળ બાદ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને હરિયાણામાં પણ સક્રિય કેસોની સંખ્યા વધુ છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોઈ નવું મોત નોંધાયું નથી. 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 65 લોકોના મોત થયા છે. આ મોતોની જાણકારી  ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીથી મળી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે નવા વેરિયન્ટને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. જોકે અત્યાર સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તકેદારી રાખવી જરૂરી છે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની સલાહનું પાલન કરીને જ આ સંક્રમણને રોકી શકાય છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.