કોરોનાના XFG વેરિયન્ટથી હાહાકાર, સ્ટ્રોન્ગ ઇમ્યૂનિટી પણ કામ નથી આવતી, 160 લોકોને બનાવી ચૂક્યો છે શિકાર

દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં તેજી આવી ગઈ છે. અત્યાર સુધી JN.1ના મ્યૂટેશન વેરિયન્ટ NB.1.8.1 અને NF.7ના સંક્રમણને લઈને એક્સપર્ટ વધુ ચિંતા વ્યક્ત કરતા નહોતા. જોકે, તેની ઝડપથી ફેલાવાની ક્ષમતાએ જરૂર હાઇ એલર્ટવાળી સ્થિતિ લાવી દીધી છે, પરંતુ હવે ભારતમાં વધુ એક વેરિયન્ટ આવી ચૂક્યો છે, જેના કારણે પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. આ વધારો ત્યારે સામે આવ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં એક નવો વેરિયન્ટ XFGની ઓળખ થઈ છે. આ વેરિયન્ટની સૌથી પહેલા ઓળખ કેનેડામાં થઈ હતી. તે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, ચાલો સમજીએ.

શું છે XFG વેરિયન્ટ?

XFG વેરિયન્ટ ઓમીક્રોનનો એક નવો સબ-વેરિયન્ટ છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સ્ટડી મુજબ, આ વેરિયન્ટ LF.7 અને LP.8.1.2માંથી ઉત્પન્ન થયો છે. તેમાં 4 મુખ્ય મ્યૂટેશન (His445Arg, Asn487Asp, Gln493Glu, Thr572Ile) છે, જે તેને ઝડપથી ફેલાવામાં મદદ કરે છે.

corona2
health.economictimes.indiatimes.com

 

XFG વેરિયન્ટના કેસ ક્યાં-ક્યાં મળ્યા?

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અનુસાર, દેશભરમાં અત્યાર સુધી XFG વેરિયન્ટના 163 કેસ મળ્યા છે. તેમાં, સૌથી વધુ 89 કેસ મહારાષ્ટ્રથી છે, ત્યારબાદ તામિલનાડુ (16), કેરળ (15) અને ગુજરાત (11) છે. તો, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે.

કેટલો ખતરનાક છે XFG

કોરોનાનો સામે આવેલો નવો વેરિયન્ટ, XFG, ઇમ્યૂનિટીને છેતરવામાં માહિર છે. તેનો અર્થ એ છે કે આ વેરિયન્ટ એ લોકોને પણ શિકાર બનાવી શકે છે જેમની ઇમ્યૂનિટી સ્ટ્રોન્ગ છે. તેનાથી, દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે છે.

corona
moneycontrol.com

 

કેરળ બાદ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને હરિયાણામાં પણ સક્રિય કેસોની સંખ્યા વધુ છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોઈ નવું મોત નોંધાયું નથી. 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 65 લોકોના મોત થયા છે. આ મોતોની જાણકારી  ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીથી મળી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે નવા વેરિયન્ટને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. જોકે અત્યાર સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તકેદારી રાખવી જરૂરી છે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની સલાહનું પાલન કરીને જ આ સંક્રમણને રોકી શકાય છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.