કોરોનાના XFG વેરિયન્ટથી હાહાકાર, સ્ટ્રોન્ગ ઇમ્યૂનિટી પણ કામ નથી આવતી, 160 લોકોને બનાવી ચૂક્યો છે શિકાર

દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં તેજી આવી ગઈ છે. અત્યાર સુધી JN.1ના મ્યૂટેશન વેરિયન્ટ NB.1.8.1 અને NF.7ના સંક્રમણને લઈને એક્સપર્ટ વધુ ચિંતા વ્યક્ત કરતા નહોતા. જોકે, તેની ઝડપથી ફેલાવાની ક્ષમતાએ જરૂર હાઇ એલર્ટવાળી સ્થિતિ લાવી દીધી છે, પરંતુ હવે ભારતમાં વધુ એક વેરિયન્ટ આવી ચૂક્યો છે, જેના કારણે પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. આ વધારો ત્યારે સામે આવ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં એક નવો વેરિયન્ટ XFGની ઓળખ થઈ છે. આ વેરિયન્ટની સૌથી પહેલા ઓળખ કેનેડામાં થઈ હતી. તે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, ચાલો સમજીએ.

શું છે XFG વેરિયન્ટ?

XFG વેરિયન્ટ ઓમીક્રોનનો એક નવો સબ-વેરિયન્ટ છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સ્ટડી મુજબ, આ વેરિયન્ટ LF.7 અને LP.8.1.2માંથી ઉત્પન્ન થયો છે. તેમાં 4 મુખ્ય મ્યૂટેશન (His445Arg, Asn487Asp, Gln493Glu, Thr572Ile) છે, જે તેને ઝડપથી ફેલાવામાં મદદ કરે છે.

corona2
health.economictimes.indiatimes.com

 

XFG વેરિયન્ટના કેસ ક્યાં-ક્યાં મળ્યા?

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અનુસાર, દેશભરમાં અત્યાર સુધી XFG વેરિયન્ટના 163 કેસ મળ્યા છે. તેમાં, સૌથી વધુ 89 કેસ મહારાષ્ટ્રથી છે, ત્યારબાદ તામિલનાડુ (16), કેરળ (15) અને ગુજરાત (11) છે. તો, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે.

કેટલો ખતરનાક છે XFG

કોરોનાનો સામે આવેલો નવો વેરિયન્ટ, XFG, ઇમ્યૂનિટીને છેતરવામાં માહિર છે. તેનો અર્થ એ છે કે આ વેરિયન્ટ એ લોકોને પણ શિકાર બનાવી શકે છે જેમની ઇમ્યૂનિટી સ્ટ્રોન્ગ છે. તેનાથી, દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે છે.

corona
moneycontrol.com

 

કેરળ બાદ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને હરિયાણામાં પણ સક્રિય કેસોની સંખ્યા વધુ છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોઈ નવું મોત નોંધાયું નથી. 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 65 લોકોના મોત થયા છે. આ મોતોની જાણકારી  ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીથી મળી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે નવા વેરિયન્ટને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. જોકે અત્યાર સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તકેદારી રાખવી જરૂરી છે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની સલાહનું પાલન કરીને જ આ સંક્રમણને રોકી શકાય છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.