વાણી અને વર્તન શીખીએ શ્રી રામથી, વ્યવહાર શીખીએ શ્રી કૃષ્ણથી… 

જીવન મળ્યું, જીવી જાણવું સૌને ગમે પણ કેમ જીવવું એ શીખવાનું જે ચૂકીગયા તેઓ હંમેશા પસ્તાયા. 

કલયુગે આપણે વિચાર ભલે નવા રાખીએ પરંતુ વાણી, વર્તન અને વ્યવહાર તો જુનવાણી જ રાખવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવુ છે. 

આજે આપણે પ્રથમ વાત કરીએ વાણી અને વર્તનની…

પ્રભુ શ્રી રામ એક આદર્શ પુત્ર, ભાઈ, પતિ, રાજા તરીકે તેમનું નામ યુગે યુગે યાદ કરવામાં આવ્યું અને યાદ કરવામાં આવશે. સમગ્ર જીવન શ્રી રામ સત્ય, ધર્મ, દયા અને મર્યાદાના માર્ગ પર ચાલ્યા હતા. અને આ બધુજ તેમની વાણી અને વર્તન ની મર્યાદાને આભારી હતું. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર એવા પ્રભુ શ્રી રામના જીવનથી આપણે વાણી અને વર્તન ની મર્યાદા શીખી લેવી જોઈએ. થોડો પ્રયાસ કરશો અને જીવન વ્યવહારમાં લાવશો તો કરી શકશો. જીભથી નિકળ્યા બોલ એટલે આપણી વાણી એ બધીજ સમસ્યાઓનું કારક પણ બની શકે અને સમાધાન પણ બની શકે. 

હવે વાત કરીએ વ્યવહારની… 

દ્વાપર યુગમાં અસંખ્ય રાક્ષસો માનવ સ્વરૂપે પૃથ્વી પર અવતર્યા હતા. જેમ કે દુર્યોધન કળિયુગનો અવતાર હતો અન્યમાં નરકાસુર અને કલયવાન પણ ભગવાનના ભક્તોને રાક્ષસોના રૂપમાં રંજાડતા હતા, પરિણામ સ્વરૂપે અધર્મ વધતો ગયો. ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ રૂપે આઠમે અવતાર અવતર્યા અને વ્યવહાર કુશળતાથી અધર્મીઓનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા ઉપદેશ રૂપે જીવન વ્યવહારની નીતિ શીખવાડી અને અધર્મ પર ધર્મ નો વિજય સંભવ બનાવ્યો. પ્રભુ શ્રી કૃષ્ણના જીવનથી આપણે શીખી લેવા જેવી વાત એ છે કે જીવનમાં ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સૌમ્ય સ્મિત સાથે પ્રેમ, સામ, દામ, દંડ, ભેદના વ્યવહારથી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય છે. 

મારી વ્યક્તિગત વાત કરું તો… 

જન્મે કુળે વ્યવહાર કર્મે હું રહ્યો હિન્દુ અને ધર્મ રક્ષાર્થે કાર્યરત રહેવું એ મને મારા લોહીમાં મળેલા સંસ્કાર છે એટલે હું રામાયણ મહાભારત અને ગીતાના ડાયરામાજ રહું છું. અન્ય ધર્મગ્રંથોમાં પણ સારા જીવન ઉપદેશ હશે એમને સમજવાનો અવસર મળશે તો એ પણ જાણવાનું સમજવાનું મને ગમશે.

પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણના જીવન સંદર્ભે વડીલો, ગુણીજનો અને પૂજ્ય સંતો મહંતો પાસેથી વાણી, વર્તન અને વ્યવહારનું અંગત જીવન અને સામાજિક જીવન સંદર્ભે જે મહત્ત્વ હું સમજ્યો શીખ્યો અને એ મુજબનું જીવન જીવતા મને સુખ સંતોષ મળે છે. 

હૃદયમાં શ્રી રામ તો વાણી અને વર્તન રહે મર્યાદામાં. 

અને મનમાં રાખીએ શ્રી કૃષ્ણ તો સમયને અનુકૂળ નીતિ મુજબ મર્યાદા પૂર્વક શાંત ચિત્તે પ્રેમ, સામ, દામ, દંડ, ભેદના વ્યવહાર મુજબ ધાર્યુ કાર્ય પરિપૂર્ણ કરી શકાય. 

અગત્યનું: 

હૃદય અને મનનું અનુક્રમે શ્રી રામ અને શ્રી કૃષ્ણની નીતિ મુજબ સંતુલન કરીને જીભનો ઉપયોગ કરીએ તો દુનિયા જીતવા માટે અસ્ત્ર શસ્ત્રની જરૂર છેજ નહીં આપણી જીભ બધીજ પરિસ્થિને નિયંત્રિત કરી શકે છે!! 

જય શ્રી રામ 

About The Author

UD Picture

Related Posts

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.