ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી ડો.કિરણ પંડ્યા સાર્વજનિક યુનિ. ના પ્રો-વોસ્ટ બન્યા

સૂરત: ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેનના સભ્ય રહી ચૂકેલા ડો. કિરણ પંડ્યાને ગુજરાતની અગ્રણી સાર્વજનિક સોસાયટી દ્વારા સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમણે શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.

ડો. પંડ્યા ઇંગ્લેંડની સસેક્સ યુનિવર્સિટીમાંથી પીએચડી થયા છે અને પછી વર્ષો સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપન ઇનચાર્જ કુલસચિવ, એચઆરડી વિભાગના વડા સહિત જુદા જુદા પદો પર કામ કરી ચૂક્યા છે. અધ્યાપન ઉપરાંત તેમણે દેશભરમાંથી કેન્દ્ર સરકાર માટેના આંકડાનું કામ કરતી સંસ્થા સેન્ટ્રલ સ્ટેટિસ્કિટકલ ઓર્ગેનાઇઝેશન, ગુજરાત સરકારના જુદા જુદા પ્રોજેક્ટ્સના ફીલ્ડ એસેસમેન્ટ સહિતના કાર્યો સક્રિય રીતે કર્યા છે. આમ માત્ર અધ્યાપન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ફિલ્ડની તાલીમમાં જોતરનાર ડો. પંડ્યા હવે પ્રતિષ્ઠિત સાર્વજનિક યુનિવર્સિટીમાં પોતાની સેવાઓ આપશે. તેઓ વડોદરાની કે.પી. યુનિવર્સિટી અને બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં પણ સેવા આપી ચૂક્યા છે.

સાર્વજનિક યુનિવર્સિટીએ ગુજરાતની અગ્રણી અને સૌથી જૂની સંસ્થાઓમાંની એક સાર્વજનિક સોસાયટી દ્વારા સંચાલિત યુનિવર્સિટી છે.  આ પ્રસંગે ડો. પંડ્યાએ કહ્યું કે, "112 વર્ષ જૂની સંસ્થા ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. આવી સંસ્થા માટે કામ કરવું તે એક ગૌરવપૂર્ણ વાત છે. આ સંસ્થામાં ખૂબ જ અનુભવી અને નિષ્ણાત અધ્યાપકો તો છે જ તેની સાથે ઉત્તમ ઇન્ફાસ્ટ્રક્ચર પણ છે. શહેરની વચ્ચોવચ હોવાથી તેને લોકેશનલ એડવાન્ટેજ પણ છે. સૌથી મહત્ત્વની વાત સંસ્થા ચલાવનાર ટ્રસ્ટી ખૂબ જ અનુભવી અને ઉચ્ચશિક્ષિત છે જેમાં શહેરના જાણીતા લોયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને બિઝનેસમેન છે.

Related Posts

Top News

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.