છૂટાછેડા પછી બગડી તબિયત, એ.આર.રહેમાને કહ્યું- હું જીવતો રહું કે...


સંગીતના ઉસ્તાદ તરીકે જાણીતા એ.આર. રહેમાન થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જણાલલામાં આવ્યું કે અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર અને ડોક્ટરોની ટીમે પાછળથી કહ્યું કે આ ડિહાઇડ્રેશનને કારણે થયું હતું. અગાઉ પણ તેમનું અંગત જીવન પણ ચર્ચામાં હતું, જ્યારે તેમણે તેમની પત્ની સાયરા બાનુથી છૂટાછેડાની જાહેરાત કરી હતી.

ઇન્ડિયા ટુડે સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, રહેમાને તેમના અંગત જીવનની ચર્તાઓ વિશે વાત કરી હતી. રહેમાને કહ્યું કે મારા ત્રણ દાયકા લાંબા કરિયરમાં આવું પહેલી વાર બન્યું છે. 

AR-Rahman
songsall.com

ચાહકો ઇચ્છે છે કે હું જીવંત રહું

પોતાના સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરતાં રહેમાને કહ્યું કે તે તેમની પોતાની મસ્તી હતી. ગાયકે આગળ કહ્યું- હું ઉપવાસ કરતો હતો અને શાકાહારી પણ બની ગયો હતો. મને ગેસ્ટ્રિક એટેક આવ્યો અને હું હોસ્પિટલમાં હતો. બીજી વાત જે મને ખબર પડી કે તેમણે એક પ્રેસ નોટ મોકલી હતી. જોકે, લોકો તરફથી આટલા બધા સુંદર સંદેશાઓ મળ્યા અને તે અનુભવવું ખુબ સારુ હતુ કે તે લોકો ઈચ્છે છે કે હું જીવતો રહું.

જાહેર થયું અંગત જીવન 

જ્યારે તેમને તેમના અંગત જીવનના સમાચારો ચર્ચામાં રહેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'આ માનવતા છે.' ક્યારેક તમે એવી વ્યક્તિને નફરત કરવા લાગો છો જે પોતાને માણસ નથી માનતો. મેં મારા જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. તે સાચું છે. આપણામાંથી દરેકમાં એક ખાસ ગુણ છે, તેઓ પોતાના ઘરમાં સુપરહીરો છે. પણ મારા ચાહકોએ મને સુપરહીરો બનાવ્યો છે. એટલા માટે મેં મારા આગામી પ્રવાસનું નામ 'વન્ડરમેન્ટ' રાખ્યું છે, કારણ કે તે હેરાનીની વાત છે કે મને લોકો તરફથી આટલો બધો પ્રેમ અને આશીર્વાદ મળે છે.

AR-Rahman2
dailyexcelsior.com

એઆર રહેમાને વધુમાં જણાવ્યું કે તેઓ આ પ્રવાસ માટે અમેરિકાના 18 શહેરોની મુલાકાત લેશે. મુંબઈથી કાર્યક્રમ શરૂ કરવા વિશે વાત કરતાં તેમણે કહ્યું, 'પહેલો કાર્યક્રમ મુંબઈમાં કરવો જરૂરી હતો. 'છાવા' ની સફળતા પછી શહેરમાં પાછા આવીને ખરેખર સારું લાગે છે.

 

About The Author

Related Posts

Top News

GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના...
Education 
GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.