પાકિસ્તાન પર કાર્યવાહી હજુ પૂરી નથી થઈ, જાણો શું અર્થ છે PM મોદીના સંબોધનનો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યા બાદ દેશને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ આ સંબોધનમાં પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે પરમાણુ બોમ્બની ચીમકી નહીં ચાલે. તેમણે કહ્યું કે જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાનો બનાવવાના ચાલુ કર્યું તો પાકિસ્તાને આજીજી કરવા લાગ્યું. ભારતના ડ્રોન્સ અને મિસાઇલોએ ચોકસાઇથી હુમલા કર્યા. પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર પાકિસ્તાનને ખૂબ ઘમંડ હતું. ભારતે પહેલા 3 દિવસમાં પાકિસ્તાનને તબાહ કરી દીધું, જેનો તેને અંદાજો પણ નહોતો. ભારતની આક્રમક કાર્યવાહી બાદ, પાકિસ્તાને બચવાના રસ્તા શોધવા લાગ્યું અને ખરાબ રીતે માર ખાધા બાદ, 10 મેની બપોરે, પાકિસ્તાની સેનાએ આપણાં DGMOનો સંપર્ક કર્યો. ચાલો જાણીએ વડાપ્રધાનના સંબોધનની 10 મોટી વાતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે બધાએ ગત દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનું સંયમ બંને જોયું. સશસ્ત્ર બળોને આપણી ગુપ્તચર એજન્સીઓને, આપણા વૈજ્ઞાનિકોને દરેક ભારતીવાસી તરફથી સલામ કરું છુ. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યોની પ્રાપ્તિ માટે અસીમ શૌર્યનું પ્રદર્શન કર્યું છે. હું તેમની વીરતા, તેમના સાહસ અને તેમના પરાક્રમને આજે આપણા દેશની દરેક માતા, બહેન અને દીકરીને સમર્પિત કરું છું. ઓપરેશન સિંદૂર માત્ર નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર, ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતા જોઈ. આતંકવાદીઓને ખતમ કરવા માટે અમે આપણા ભારતીય સશસ્ત્ર દળોને પૂર્ણ અધિકાર આપ્યા છે. આજે, દરેક આતંકવાદી અને આતંકી સંગઠન આપણી દીકરીઓ અને બહેનોની ગરિમા અને ગૌરવને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાના પરિણામોને સમજે છે. ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી. આ દેશની સામૂહિક ભાવનાઓ અને લચીલાપણાનું એક શક્તિશાળી પ્રતિક છે.

narendra modi

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ આતંકવાદનો ખૂબ જ ભયાનક ચહેરો હતો. ક્રૂરતા હતી. આ દેશનો સદભાવ તોડવાનો પ્રયાસ હતો. મારા માટે આ પીડા ખૂબ મોટી હતી. આખું રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજનીતિક પાર્ટી આતંક વિરુદ્ધ કડક કાર્યવાહી માટે ઉભા થયા. અમે ભારતીય દળોને આતંકવાદીઓનો માટીમાં મળાવવા માટે છૂટ આપી દીધી. આજે, દરેક આતંકી, આતંકનું દરેક સંગઠન જાણી ચૂક્યું છે કે આપણી બહેનો અને દીકરીઓના કપાળમાંથી સિંદૂર હટાવવાનો અંજામ શું હોય છે.

વડાપ્રધાને કહ્યું કે, ઓપરેશન સિંદૂર માત્ર નામ નથી, આ દેશના કોટિ-કોટિ લોકોની લાગણીઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેની મોડી રાતથી 7 મેના મધ્યમાં  આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી થતી જોઈ. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના ટ્રેનિંગ સેન્ટર પર સચોટ હુમલા કર્યા. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે. પરંતુ જ્યારે દેશ એકજૂથ હોય છે તો રાષ્ટ્ર સર્વોપરિ હોય છે. તો મજબૂત નિર્ણયો લેવામાં આવે છે. પરિણામો લાવીને દેખાડવામાં આવે છે.

જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના મિસાઇલો અને ડ્રોન્સથી હુમલા કર્યા તો, ત્યારે આતંકવાદી સંગઠનોની ઇમારતો જ નહીં, પરંતુ તેમનું મનોબળ પણ કાપી ઉઠ્યું. બહાવલપુર અને મુરીદકે જેવા આતંકવાદી ઠેકાણા એક રીતે વૈશ્વિક આતંકવાદના યુનિવર્સિટી રહી છે. દુનિયામાં ગમે ત્યાં મોટા આતંકવાદી હુમલા થયા છે, પછી ભલે તે 9/11 હોય કે લંડનમાં થયેલા બોમ્બ હુમલો હોય કે દાયકાઓથી ભારતમાં જે મોટા આતંકવાદી હુમલા થયા હોય, તે બધાના તાર ક્યાંક ને ક્યાંક આજ સ્થળો સાથે જોડાતા રહ્યા છે.

narendra modi

ભારતના આ હુમલાઓમાં 100થી વધુ ખતરનાક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આતંકના ઘણા બધા આકા છેલ્લા અઢી થી ત્રણ દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા, જે ભારત વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હતા; ભારતે તેમને એક જ ઝટકામાં ખતમ કરી દીધા. ભારતનની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘેરા નિરાશામાં ડૂબી ગયું. બોખલાઈ ગયું હતું અને બોખલાહટમાં તેણે વધુ એક દુસ્સાહસ કર્યું; આતંકવાદ પર ભારતની કાર્યવાહી પર સાથ આપવાને બદલે, પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું.

પાકિસ્તાને આપણી શાળાઓ, કોલેજો, ગુરુદ્વારા, મંદિરો અને સામાન્ય નાગરિકોના ઘરોને નિશાનો બનાવ્યા. પાકિસ્તાને આપણા સૈન્ય છાવણીઓને નિશાનો બનાવ્યા. પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું. દુનિયાએ જોયું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન્સ અને પાકિસ્તાનની મિસાઇલો ભારત સામે તણખાની જેમ વિખેરાઈ ગઈ. ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા. પાકિસ્તાનની તૈયારી સીમા પર યુદ્ધની હતી, પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર વાર કર્યો.

ભારતીય ડ્રોન્સ દ્વારા સચોટ હુમલો કર્યો. પાકિસ્તાની સેનાના એરબેઝને નુકસાન પહોંચાડ્યું. ભારતે પહેલા 3 દિવસમાં પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજો પણ નહોતો.. એટલે ભારતની આક્રમક કાર્યવાહી બાદ, પાકિસ્તાને બચવાના રસ્તા શોધવા લાગ્યું. પાકિસ્તાન દુનિયાભર્મ તણાવ ઓછો કરવા આજીજી કરી રહ્યું હતું અને પૂરી રીતે માર ખાધા બાદ મજબૂરીમાં, 10 મેની બપોરે, પાકિસ્તાની સેનાએ આપણાં DGMOનો સંપર્ક કર્યો, ત્યાં સુધીમાં આપણે મોટા પાયે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી ચૂક્યા હતા. પાકિસ્તાનની છાતીમાં વસાવવામાં આવેલા આતંકવાદી ઠેકાણાઓને આપણે ખંડેરમાં ફેરવી દીધા. એટલા માટે જ્યારે પાકિસ્તાન તરફથી આજીજી કરવામાં આવી. જ્યારે કહેવામાં આવ્યું કે તેમના તરફથી કોઈ આતંકવાદી ગતિવિધિ અને સૈન્ય દુસ્સાહસ નહીં દેખાડવામાં આવે, ત્યારે ભારતે પણ તેના પર વિચાર કર્યો. અને હું ફરીથી રીપિટ કરી રહ્યો છું કે અમે માત્ર પાકિસ્તાનના આતંકવાદી અને સૈન્ય ઠેકાણાઓ પર પોતાની જવાબી કાર્યવાહી સ્થગિત રાખી છે. આગામી દિવસોમાં, અમે પાકિસ્તાનના દરેક પગલાને આ કસોટી પર માપીશું કે તે કેવું વલણ અપનાવે છે.

narendra modi

આપણી વાયુસેના, આપણું નૌકાદળ, આપણી BSF, ભારતના સુરક્ષાબળ સતત એલર્ટ પર છે. હવે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની નીતિ છે. ઓપરેશન સિંદૂરે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં એક નવી લકિર ખેંચી દીધી છે. એક નવું પ્રમાણ નક્કી કરી દીધું છે. ભારત પર આતંકવાદી હુમલો થયો તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે પોતાની રીતે અને પોતાની શરતો પર જવાબ આપીને રહીશું. દરેક એ જગ્યાએ જઈને કડક કાર્યવાહી કરીશું. જ્યાથી આતંકી મૂળ નીકળે છે. બીજું, કોઈ પણ ન્યૂક્લિયર બ્લેકમેલ ભારત સહન નહીં કરે; ન્યૂક્લિયર બ્લેકમેલના નામે વિકસતા ઠેકાણાઓ પર ભારત પ્રહાર કરશે. આપણે આતંકવાદીઓને સમર્થન આપતી સરકાર અને આતંકના આકાઓને અલગ-અલગ નહીં જોઇએ. ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ એ પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયેલા આતંકવાદીઓને ખરાબ સત્ય પણ જોયું કે જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાઇ અપાવા પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારી ઉમટી પડ્યા. સ્ટેટ સ્પોન્સર ટેરેરિઝ્મનો આ ખૂબ મોટો પુરાવો છે. અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખીશું.

યુદ્ધના મેદાનમાં આપણે વારંવાર ધૂળ ચટાવી છે. આપણે રણ અને પર્વતોમાં પોતાની ક્ષમતાઓનું શાનદાર પ્રદર્શન કર્યું. આપણે પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે. આપણાં મેડ ઇન ઈન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સિદ્ધ થઈ ગઈ છે. 21મી સદીના વોરફેરમાં મેડ ઇન ઈન્ડિયા ઉપકરણોનો સમય આવી ચૂક્યો છે. તમામ પ્રકારના આતંકવાદ વિરુદ્ધ આપના બધાએ એકજૂથ રહેવું આપણી સૌથી મોટી સફળતા હશે. નિશ્ચિત રૂપે આ યુગ યુદ્ધનો નથી, પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સ છે. પાકિસ્તાની સેના આતંકવાદને દાણો-પાણી આપી રહી છે, તે એક દિવસે પાકિસ્તાનને જ ખતમ કરી દેશે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.