‘ગદર 2’ના સેટ પર સની દેઓલ-અમિષાનો ડિરેક્ટર સાથે થયો ઝઘડો, એક્ટ્રેસે બતાવ્યુ કારણ

અમીષા પટેલ અને સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’, વર્ષ 2023માં રીલિઝ થઈ હતી અને તેણે ચારેય તરફ ધૂમ મચાવી દીધી હતી. બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 500 કરોડ રૂપિયાથી પણ વધારાનો તેણે બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ વર્ષ 2001માં આવેલી ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ હતી. પ્રેમ અને પેટ્રિયોટિઝ્મને તેણે પ્રોત્સાહન આપ્યું હતું. આ આ ફિલ્મની હાઈલાઈટ્સ પણ હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અમીષા પટેલે ફિલ્મની મેકિંગ દરમિયાનની કેટલીક વસ્તુ બતાવી, જે ખૂબ ખરાબ છે.

બોલિવુડ હંગામાં સાથે વાતચીતમાં અમીષા પટેલે જણાવ્યું કે, ફિલ્મના ડિરેકટર અનિલ શર્મા સાથે સની દેઓલ અને તેનું ખૂબ ક્રિએટિવ ડિસ્કમ્ફર્ટ રહેતું હતું. દલીલબાજી, ઝઘડા અને ઇશ્યૂ થતા હતા. અમીષા પટેલે કહ્યું કે, કોઈ માટે પણ આ જર્ની વધારે સરળ રહી નથી. ઘણી બધી એડિટિંગ બાદ કંઈક ફાઇનલ આઉટપુટ નીકળતું હતું. ઘણી વખત અમને લોકોને વસ્તુ રી-શુટ કરવી પડી. કેટલા ક્રિએટિવ ડિસ્કશન્સ થયા. ડિરેક્ટર સાથે દલીલ થઈ, ત્યારે જઈને ગદર બની શકી હતી.

તેણે કહ્યું કે, સની દેઓલ અને હું પ્રયાસ કરતા હતા કે ડિરેક્ટર પોતાના લક્ષ્યથી ન ભટકે. તેમને વારંવાર અમને લોકોને વસ્તુઓ પર લાવવા પડતા હતા. એ વિચારીને કે ઓડિયન્સ શું જોવા માગે છે. અમારા લોકો વચ્ચે એ વાતની સૌથી વધુ દલીલ થતી હોય છે કે સની અને મારા સ્ક્રીનસ્પેસમાં જમીન આસમાનનો ફરક હતો. બેલેન્સ નહોતું. જ્યારે હીરો-હિરોઇનના સ્ક્રીનસ્પેસમાં એટલો ફરક હોય છે તો કહેવા માટે એ માત્ર એક ફિલ્મ થઈ જાય. એ પ્રકારનું મહત્ત્વ રહેતું નથી. જો આગળ ‘ગદર 3’ બને છે તો હું ઈચ્છું છું કે તારા અને સકીનાનું સ્ક્રીનસ્પેસ એક સમાન હોય, કેમ કે એ જ તો ‘ગદર’નો અર્થ છે.

ગદર 2’માં અમીષા પટેલનો બેસ્ટ ફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર કૃણાલ ઘૂમરનો ખૂબ મોટો હાથ રહ્યો છે. તેણે સની દેઓલને ‘ગદર’ની ઓરિજિનાલિટી ન બતાવી હોત તો આજના સમયમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી ઓછી કમાણી કરનારી ફિલ્મ બનતી. એટલી સક્સેસફૂલ ન થતી. ઉલ્લેખનીય છે કે ગદર 2’માં અમીષા પટેલ અને સની દેઓલ સિવાય અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ લીડ રોલમાં નજરે પડ્યો હતો. તારા અને સકીનાના દીકરાનો તેણે રોલ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

જો તમે સવારથી સાંજ સુધી WhatsApp પર સંદેશા અને વીડિયોઝ મોકલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ...
Tech and Auto 
મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.