ફરાહ ખાનના રસોઈયાએ નીતિન ગડકરીને કહ્યું- સાહેબ મારા ગામમાં એક રોડ બનાવી આપોને...

બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાનના યૂટ્યૂબ વ્લોગમાં તાજેતરમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો જોવા મળ્યો હતો. ફરાહના લેટેસ્ટ એપિસોડમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી મહેમાન બન્યા હતા. આ મુલાકાત દરમિયાન ફરાહના રસોઈયા દિલીપે મંત્રી પાસે કરેલી એક માસૂમ વિનંતીએ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.

ગામમાં રસ્તા બનાવવાની કરી વિનંતી ફરાહ ખાન તેના રસોઈયા દિલીપ સાથે નીતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. જ્યારે ફરાહ નીતિન ગડકરી સાથે હાથ મિલાવી રહી હતી, ત્યારે દિલીપે તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. ફરાહ ખાને મજાકિયા અંદાજમાં ગડકરીજીને કહ્યું, "આટલા મોટા માણસ અત્યાર સુધી અમારા વ્લોગ પર ક્યારેય આવ્યા નથી. દિલીપની એક રિક્વેસ્ટ છે, તે તમને વારંવાર કદાચ હેરાન કરશે પણ તમે જરા સાંભળી લેજો."

photo_2026-01-02_19-18-47

તક મળતા જ બિહારના દરભંગા શહેરના વતની એવા દિલીપે સીધી જ માંગ કરી દીધી કે, "સાહેબ, મારા ગામમાં એક રોડ બનાવી આપોને!"

ફરાહ ખાનનું રમુજી રિએક્શન દિલીપની આ વાત સાંભળીને ફરાહ ખાને રમુજી અંદાજમાં પોતાનું માથું પકડી લીધું અને કહ્યું, "અરે! સાહેબ આટલા મોટા મોટા ફ્લાયઓવર અને એક્સપ્રેસવે બનાવી રહ્યા છે (અને તું ગામના રોડની વાત કરે છે)!" દિલીપે વળતો જવાબ આપ્યો કે જો ગામમાં રસ્તા બની જાય તો બહુ મોટી મદદ થશે. આ સાંભળી નીતિન ગડકરી પણ સ્મિત રોકી શક્યા નહોતા.

સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે દિલીપ ઉલ્લેખનીય છે કે ફરાહ ખાને વર્ષ 2024માં પોતાની યૂટ્યૂબ સફર શરૂ કરી હતી. ફિલ્મોના કામમાંથી ફ્રી સમયમાં તેણે બનાવેલા કુકિંગ વીડિયોઝમાં દિલીપ સાથેની તેની મજેદાર વાતચીત લોકોને ખૂબ પસંદ આવે છે. આજે દિલીપ એક ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો છે અને તે ફરાહ સાથે અનેક જાહેરાતો તેમજ શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ સાથે પણ જોવા મળ્યો છે.

About The Author

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.