ફરાહ ખાનના રસોઈયાએ નીતિન ગડકરીને કહ્યું- સાહેબ મારા ગામમાં એક રોડ બનાવી આપોને...

બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાનના યૂટ્યૂબ વ્લોગમાં તાજેતરમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો જોવા મળ્યો હતો. ફરાહના લેટેસ્ટ એપિસોડમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી મહેમાન બન્યા હતા. આ મુલાકાત દરમિયાન ફરાહના રસોઈયા દિલીપે મંત્રી પાસે કરેલી એક માસૂમ વિનંતીએ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.

ગામમાં રસ્તા બનાવવાની કરી વિનંતી ફરાહ ખાન તેના રસોઈયા દિલીપ સાથે નીતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. જ્યારે ફરાહ નીતિન ગડકરી સાથે હાથ મિલાવી રહી હતી, ત્યારે દિલીપે તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. ફરાહ ખાને મજાકિયા અંદાજમાં ગડકરીજીને કહ્યું, "આટલા મોટા માણસ અત્યાર સુધી અમારા વ્લોગ પર ક્યારેય આવ્યા નથી. દિલીપની એક રિક્વેસ્ટ છે, તે તમને વારંવાર કદાચ હેરાન કરશે પણ તમે જરા સાંભળી લેજો."

photo_2026-01-02_19-18-47

તક મળતા જ બિહારના દરભંગા શહેરના વતની એવા દિલીપે સીધી જ માંગ કરી દીધી કે, "સાહેબ, મારા ગામમાં એક રોડ બનાવી આપોને!"

ફરાહ ખાનનું રમુજી રિએક્શન દિલીપની આ વાત સાંભળીને ફરાહ ખાને રમુજી અંદાજમાં પોતાનું માથું પકડી લીધું અને કહ્યું, "અરે! સાહેબ આટલા મોટા મોટા ફ્લાયઓવર અને એક્સપ્રેસવે બનાવી રહ્યા છે (અને તું ગામના રોડની વાત કરે છે)!" દિલીપે વળતો જવાબ આપ્યો કે જો ગામમાં રસ્તા બની જાય તો બહુ મોટી મદદ થશે. આ સાંભળી નીતિન ગડકરી પણ સ્મિત રોકી શક્યા નહોતા.

સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે દિલીપ ઉલ્લેખનીય છે કે ફરાહ ખાને વર્ષ 2024માં પોતાની યૂટ્યૂબ સફર શરૂ કરી હતી. ફિલ્મોના કામમાંથી ફ્રી સમયમાં તેણે બનાવેલા કુકિંગ વીડિયોઝમાં દિલીપ સાથેની તેની મજેદાર વાતચીત લોકોને ખૂબ પસંદ આવે છે. આજે દિલીપ એક ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો છે અને તે ફરાહ સાથે અનેક જાહેરાતો તેમજ શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ સાથે પણ જોવા મળ્યો છે.

About The Author

Top News

ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે....
National 
ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં લોકો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાને બદલે સીધું નળમાંથી જ  પાણી પીવે છે. આ સાત...
National 
દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

ડાયટિંગ કરનારા અને સંતુલિત આહાર ખનારા લોકો પોતાના દરેક કોળિયાને લઈને ધ્યાન રાખે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેટલું  સુગર...
Lifestyle 
અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો

જો તમે પીવાના શોખીન હોવ તો તમે ઘણી બ્રાન્ડના બીયરનો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય એવી બીયર...
Lifestyle 
આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.