શહેનશાહ અમિતાભ બચ્ચને એક ઝાટકે દારૂ અને સિગારેટની લત કેવી રીતે છોડી હતી?

બોલિવુડના શહેનશાહ અમિતાભે પોતાના વ્યસન છોડવાની વાત કરી છે જે અનેક એવા લોકો માટે કામ લાગી શકે છે જેઓ લાંબા સમયથી વ્યસની છે. બચ્ચને કહ્યું કે, એક ઝાટકે આદત છુટી શકે છે અને સાવ સરળ છે.

બોલિવુડમાં નશામાં ધૂત હીરોના ટોપ સીન યાદ કરીએ તો 10માંથી 8 સીન અમિતાભ બચ્ચનનાજ તમને જોવા મળશે.એટલું જ નહીં, તેમણે વર્ષ 1984માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'શરાબી'માં લીડ એકટર તરીકે બધાનું દિલ જીતી લીધું હતું. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે વર્ષોથી શહેનશાહ બીગ બીને દારૂ અને સિગારેટ જેવા વ્યસન સાથે કોઈ સંબંધ નથી. અમિતાભ બચ્ચને પોતે તે સમયની વાત કરી છે જ્યારે તેમણે એક જ ઝાટકે દારૂ અને સિગારેટની લત છોડી દીધી હતી.

તેણે આગળ બંને આદતો છોડવાના નિર્ણય વિશે શેર કરતા લખ્યું, "સિગારેટની જેમ,નવરાશના વર્ષોમાં પુષ્કળ પ્રમાણમાં, અને છોડવાનો અચાનક અને તાત્કાલિક નિર્ણય અને છોડવાનો માર્ગ ખરેખર ખૂબ જ સરળ છે. તેમણે કહ્યું કે, એ નશાના ગ્લાસને વચ્ચેમાં જ છોડો અને તે જ સમયે ‘સિગ્ગી’ ક્રશ કરો અને પછી સાયોનારા એટલે કે વ્યસનને બાય બાય. વ્યસનછી છુટકારો મેળવવાનો સૌથી સારો ઉપાય. કશું પાર્ટ ટાઇમ નહી.

તેમણે કહ્યું કે, વ્યસન છોડવું જરૂરી છે, એ એક વખતમાં કેન્સર દુર કરી શકે છે અને એક જ ઝાટકે વ્યસન છોડી શકાય છે. જેટલું આપણે ટાળતા રહીશું એટલી લત વધવાની સંભાવના વધારે રહેશે.

અમિતાભ બચ્ચન પોતાના બ્લોગ પર દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. આવી સ્થિતિમાં સોમવારે તેમણે પોતાના બ્લોગ પર દારૂ અને ધૂમ્રપાનની લત સાથે જોડાયેલી એક ઘટના વિશે લખ્યું. આ બ્લોગમાં, મેગાસ્ટારે જણાવ્યું હતું કે કેવી રીતે એકવાર કોલેજના દિવસો દરમિયાન કેટલાક મિત્રોનું જૂથ સાયન્સ લેબમાં દારૂ પીવા માટે એકત્ર થયું હતું. પરંતુ એ ઘટના પછી એવું બન્યું કે અમિતાભની દારૂ અને સિગારેટની લત છુટી ગઇ. અમિતાભને આ ઘટનાથી જિંદગીનો મોટો સબક શિખવા મળ્યો. બચ્ચને કહ્યું કે, પરીક્ષા જેવી પુરી થઇ ત્યારે કેટલાંક મિત્રોએ પાર્ટી રાખી હતી,પરંતુ પ્રેક્ટીકલની પરીક્ષા બાકી હતી. આ પાર્ટીમાં બચ્ચન જોડાયા હતા, પરંતુ દારૂ પીધા પછી તેમની તબિયત લથડી ગઇ હતી એ પછી તેમણે હમેંશા માટે દારૂ છોડવાનો નિર્ણય લીધો હતો.

જો કે પોતાની પોસ્ટમાં અમિતાભ બચ્ચેને અંતે કહ્યું છે કે દારૂ અને સિગારેટ છોડવી કે પીવી એ દરેક વ્યકિતની અગંત પસંદગી છે. તેમણે આગળ લખ્યુ કે, મેં દારૂ અને સિગારેટ છોડ્યા કારણકે એ મારી પર્સનલ ચોઇસ હતી. વર્ષોથી અમિતાભ બચ્ચને દારૂ અને સિગારેટને હાથ અડાડ્યો નથી.

બીગ બી છેલ્લાં દોઢ મહિનાથી આરામ કરી રહ્યા છે. તાજેતરમાં ‘પ્રોજેક્ટ K’ ફિલ્મની શૂટીંગ દરમિયાન તેમને ઇજા થઇ હતી. તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભ પોતાના ચાહકો સાથે હંમેશા કનેક્શન રાખતા રહે છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.