'હું સુશાંતના આત્માનો અવાજ સાંભળી રહ્યો છું', મુકેશ ખન્નાએ કેસ ખોલવાની માગ કરી

સુશાંત સિંહ રાજપૂત સાથે શું થયું? 3 વર્ષ પછી પણ આ સવાલ માત્ર પરિવારના જ નહીં ચાહકોના મનમાં પણ છે. હાલમાં જ સુશાંતની બહેન શ્વેતાએ PM મોદીને આ કેસમાં મદદ માટે વિનંતી કરી હતી. હવે શક્તિમાન બનીને લોકોના દિલો પર રાજ કરનાર મુકેશ ખન્નાએ આ કેસની ફાઇલ ફરીથી ખોલવાની માંગ કરી છે. બોલિવૂડ પર આકરા પ્રહારો કરતાં તેણે કહ્યું કે, સુશાંતના ગુનેગારો આઝાદ ફરે છે અને તેનો આત્મા ભટકી રહ્યો છે.

મુકેશ ખન્ના પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક વીડિયો દ્વારા તેણે ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની અપીલ કરી છે. તેણે દાવો કર્યો હતો કે, તે આત્મહત્યા કરી શકે તેમ નથી અને તેના હત્યારાઓ ખુલે આમ ફરી રહ્યા છે.

તેણે યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે આ માંગણી કરી હતી. 10 મિનિટથી વધુના આ વીડિયોમાં તેણે કહ્યું, 'કેટલાક લોકો કહેશે કે જે વાત સમાપ્ત થઇ ગઈ છે તેને ફરીથી  હું જીવંત તો નથી કરી રહ્યો, હું સુશાંતની આત્માનો અવાજ સાંભળી રહ્યો છું. તેનો આત્મા હજુ પણ ન્યાયથી વંચિત છે. તેની સાથે જે કંઈ પણ થયું તે હજુ શંકાના ઘેરામાં છે. ક્યારેક કોઈએ કહ્યું કે, રિયા ચક્રવર્તી જવાબદાર છે તો રિયાએ કહ્યું કે હું જવાબદાર નથી. પછી રિયાને બચાવી લેવામાં આવી અને આજે તે આઝાદ થઇને બેઠી છે. લોકો કહે છે કે, રિયાએ કર્યું છે, પણ હું કહું છું કે રિયા એકલી નથી, તેની પાછળ એક, બે, ત્રણ, ચાર આખો મહોલ્લો છે. તેઓ બધા બચી ગયા છે.'

પોતાના વીડિયોમાં તેણે બોલિવૂડ પર પણ કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું કે, હું એક આત્મા માટે ન્યાય મેળવવા આવ્યો છું. કેટલાક કહેતા હતા કે આ કોઈ પ્રતિષ્ઠિત પરિવારનું કામ છે, કેટલાક કહેતા હતા કે, આ નેપોટિઝ્મનું ચક્કર ચાલ્યું છે. તેઓએ જ સુશાંતને આગળ આવવા દીધો ન હતો. કેટલાક લોકો છે, હું એનું નામ નહીં લઉં, પરંતુ તેઓ કહે છે કે, તેમને તેમની સાથે મુશ્કેલી હતી. તે ઈચ્છતો હતો કે તે તેઓની જી હજુરી કરે, પરંતુ સુશાંતે તેમ ન કર્યું.

તેણે શક્તિમાન વિશે પણ વાત કરી. મુકેશ ખન્નાએ કહ્યું કે, તેમણે કહ્યું, 'શું તમને યાદ છે 'શક્તિમાન'ના સમયમાં સમાચાર આવવા લાગ્યા કે, બાળકો ધાબા પરથી કૂદવા લાગ્યા હતા, કારણ કે, તેમને લાગતું હતું કે શક્તિમાન તેમને બચાવવા આવશે. મેં તે સમયે એક એવી એજન્સીને હાયર કરી હતી અને મને ખબર પડી કે, આવી કોઈ ઘટના બની જ નથી. તે સમયે એક લોબી હતી, જેની સામે હું બોલ્યો હતો. સુશાંત સાથે પણ આવું જ થયું.

તેણે વધુમાં કહ્યું કે, જો આવા સારા અભિનેતા સાથે અન્યાય થતો હોય તો દરેક અભિનેતાએ ઊભા થવું જોઈએ, પરંતુ અમારી ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઊભું થયું નહીં. કોઈ પણ ખુલ્લેઆમ બહાર ન આવ્યું, માત્ર હું જ આવ્યો. પાણી માથાથી ઉપર નીકળી ચૂક્યું છે, જેણે પણ ગુનો કર્યો છે તેને સજા થવી જોઈએ. આ કેસ ફરીથી ખોલવો જોઈએ. આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોની ફરી પૂછપરછ થવી જોઈએ. જો આમ થશે તો લોકોને લાગશે કે આપણા દેશમાં કાયદો છે. એક ભટકતી આત્માને ન્યાય અપાવવાની મારી આ માંગ છે.

About The Author

Related Posts

Top News

‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંધલા શહેરમાં એક પરચુરણ (કરિયાણા)ની દુકાન છે. હવે આ દુકાનમાં સામાન્ય...
National 
‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

કેશવ પ્રસાદ મૌર્યનું હેલિકોપ્ટર ધુમાડાથી ભરાઈ ગયું, આ જગ્યાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાયબ livemint.com મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના...
Politics 
કેશવ પ્રસાદ મૌર્યનું હેલિકોપ્ટર ધુમાડાથી ભરાઈ ગયું, આ જગ્યાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.