જૂના ક્લાસિક ગીતોનું રિમિક્સ બનાવવા પર જાવેદ અખ્તરનો કટાક્ષ, બોલ્યા- એ તાજ મહલ..

On

જાણીતા લિરિસિસ્ટ અને સોંગ રાઇટર જાવેદ અખ્તર પોતાના ગીતોથી વધારે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. જાવેદ અખ્તરના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમની લેખનીનો જાદુ યુવા પેઢી પર પણ જોવા મળે છે. અત્યારે હાલમાં જ ગીતકાર જાવેદ અખ્તરે જૂના ગીતોને રિમિક્સ બનાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે રિમિક્સની તુલના તાજમહલ સાથે કરી છે. ગીતકારનું કહેવું છે કે, જૂના ક્લાસિકનું રિમિક્સ માત્ર તેમને ફરીથી યાદ કરવા માટે થવું જોઇએ, ન કે વ્યાવસાયિક કારણોથી.

કેમ કે એ આગળ જઇને ખૂબ ચિંતાજનક બની જાય છે. આજે પણ એક વર્ગ છે, જે ક્લાસિક મ્યૂઝિકને ખૂબ પસંદ કરે છે. એવામાં જૂના ગીતો સાથે છેડછાડ કરવું, તેમાં રેપ મિક્સ કરવું સારું નથી. જાવેદ અખ્તરને એક વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, તેઓ બોલિવુડમાં રિમિક્સને કેવી રીતે જુએ છે, જેમની છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકોએ નિંદા કરી છે. તેના પર જાવેદ અખ્તરે કહ્યું કે, ‘ભૂતકાળને નજરઅંદાજ કરવો સારો છે, પરંતુ તેની ખરાબ અસર પડે છે, જ્યારે તમે તેની સાથે છેડછાડ કરો છો.’

જાવેદ અખ્તરે કહ્યું કે, જૂના ગીતોને યાદ કરવા, જૂના ક્લાસિકને નવી ટ્રીટમેન્ટ મળવી જરાય ખોટું નથી, પરંતુ જૂના મ્યૂઝિકને વ્યાવસાયિક નજરિયાથી જોવું ખોટું છે. ઓછામાં ઓછી તેની ગરિમા તો બનાવી રાખો. જેમ તમે એક સુંદર બોલ અને સારી લિરિક્સવાળું સોંગ લો અને તેમાં ફાલતુ અંતરા જોડી દો તો તે ખૂબ જ અજીબ છે. એ બિલકુલ એવું છે જેમ અજંતામાં સાઇકેડેલિક લાઇટ કે તાજ મહલમાં ડિસ્કો થઇ રહ્યો હોય. આ બધા મહાન ગાયકોના ગીત છે, તમારે તેમનું સન્માન કરવું જોઇએ.

તેમણે આગળ કહ્યું કે, આ એક સાંસ્કૃતિક વારસો છે. તમે ઇચ્છો છો કે કોઇ બીજા તેને નવા ઓર્કેસ્ટ્રા અને વ્યવસ્થા સાથે ગવાડો તેમ કોઇ સમસ્યા નથી. જેમ તમે સહગલ સાહેબના ગીત લો અને અરિજિત પાસે ગવાડો, એ બરાબર છે, પરંતુ તમે એ ગીત લો છો અને વચ્ચે એક રેપ જોડો છો, એ બધુ સારું નથી.

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.