જૂના ક્લાસિક ગીતોનું રિમિક્સ બનાવવા પર જાવેદ અખ્તરનો કટાક્ષ, બોલ્યા- એ તાજ મહલ..

જાણીતા લિરિસિસ્ટ અને સોંગ રાઇટર જાવેદ અખ્તર પોતાના ગીતોથી વધારે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. જાવેદ અખ્તરના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમની લેખનીનો જાદુ યુવા પેઢી પર પણ જોવા મળે છે. અત્યારે હાલમાં જ ગીતકાર જાવેદ અખ્તરે જૂના ગીતોને રિમિક્સ બનાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે રિમિક્સની તુલના તાજમહલ સાથે કરી છે. ગીતકારનું કહેવું છે કે, જૂના ક્લાસિકનું રિમિક્સ માત્ર તેમને ફરીથી યાદ કરવા માટે થવું જોઇએ, ન કે વ્યાવસાયિક કારણોથી.

કેમ કે એ આગળ જઇને ખૂબ ચિંતાજનક બની જાય છે. આજે પણ એક વર્ગ છે, જે ક્લાસિક મ્યૂઝિકને ખૂબ પસંદ કરે છે. એવામાં જૂના ગીતો સાથે છેડછાડ કરવું, તેમાં રેપ મિક્સ કરવું સારું નથી. જાવેદ અખ્તરને એક વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, તેઓ બોલિવુડમાં રિમિક્સને કેવી રીતે જુએ છે, જેમની છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકોએ નિંદા કરી છે. તેના પર જાવેદ અખ્તરે કહ્યું કે, ‘ભૂતકાળને નજરઅંદાજ કરવો સારો છે, પરંતુ તેની ખરાબ અસર પડે છે, જ્યારે તમે તેની સાથે છેડછાડ કરો છો.’

જાવેદ અખ્તરે કહ્યું કે, જૂના ગીતોને યાદ કરવા, જૂના ક્લાસિકને નવી ટ્રીટમેન્ટ મળવી જરાય ખોટું નથી, પરંતુ જૂના મ્યૂઝિકને વ્યાવસાયિક નજરિયાથી જોવું ખોટું છે. ઓછામાં ઓછી તેની ગરિમા તો બનાવી રાખો. જેમ તમે એક સુંદર બોલ અને સારી લિરિક્સવાળું સોંગ લો અને તેમાં ફાલતુ અંતરા જોડી દો તો તે ખૂબ જ અજીબ છે. એ બિલકુલ એવું છે જેમ અજંતામાં સાઇકેડેલિક લાઇટ કે તાજ મહલમાં ડિસ્કો થઇ રહ્યો હોય. આ બધા મહાન ગાયકોના ગીત છે, તમારે તેમનું સન્માન કરવું જોઇએ.

તેમણે આગળ કહ્યું કે, આ એક સાંસ્કૃતિક વારસો છે. તમે ઇચ્છો છો કે કોઇ બીજા તેને નવા ઓર્કેસ્ટ્રા અને વ્યવસ્થા સાથે ગવાડો તેમ કોઇ સમસ્યા નથી. જેમ તમે સહગલ સાહેબના ગીત લો અને અરિજિત પાસે ગવાડો, એ બરાબર છે, પરંતુ તમે એ ગીત લો છો અને વચ્ચે એક રેપ જોડો છો, એ બધુ સારું નથી.

About The Author

Related Posts

Top News

વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

એક ખૂબ પ્રખ્યાત ફિલ્મી ડાયલોગ છે- ‘કાનૂન કે હાથ બડે લાંબે હોતે હૈ...’ એટલે કે ભલે ગમે તેટલી...
Gujarat 
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

અભિનેતા અને કાર શોખીન અજિત કુમારે મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની ડિલિવરી લઇ લીધી છે. મહિન્દ્રાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ...
Tech and Auto 
સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

મલાડ રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ, ભાજપના નેતાએ નોંધાવી ફરિયાદ

મુંબઈમાં જાહેર સ્થળોએ નમાઝ અદા કરવાની વધુ એક ઘટના સામે આવી છે. તાજેતરમાં જ થયેલો એરપોર્ટ પરનો વિવાદ હજુ શમ્યો...
National 
મલાડ રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ, ભાજપના નેતાએ નોંધાવી ફરિયાદ

સ્પેશિયલ 26 જેવો મામલો: નકલી આવકવેરા વિભાગના દરોડા, સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થયા આરોપી

મધ્ય પ્રદેશના ધારમાં શુક્રવારે સવારે એક સનસનાટીભર્યો ગુનો સામે આવ્યો, જ્યાં બદમાશોએ કોન્ટ્રાક્ટરના નિવાસસ્થાને નકલી ઇનકમ ટેક્સનો દરોડો પાડીને...
National 
સ્પેશિયલ 26 જેવો મામલો: નકલી આવકવેરા વિભાગના દરોડા, સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થયા આરોપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.