જૂના ક્લાસિક ગીતોનું રિમિક્સ બનાવવા પર જાવેદ અખ્તરનો કટાક્ષ, બોલ્યા- એ તાજ મહલ..

જાણીતા લિરિસિસ્ટ અને સોંગ રાઇટર જાવેદ અખ્તર પોતાના ગીતોથી વધારે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. જાવેદ અખ્તરના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમની લેખનીનો જાદુ યુવા પેઢી પર પણ જોવા મળે છે. અત્યારે હાલમાં જ ગીતકાર જાવેદ અખ્તરે જૂના ગીતોને રિમિક્સ બનાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે રિમિક્સની તુલના તાજમહલ સાથે કરી છે. ગીતકારનું કહેવું છે કે, જૂના ક્લાસિકનું રિમિક્સ માત્ર તેમને ફરીથી યાદ કરવા માટે થવું જોઇએ, ન કે વ્યાવસાયિક કારણોથી.

કેમ કે એ આગળ જઇને ખૂબ ચિંતાજનક બની જાય છે. આજે પણ એક વર્ગ છે, જે ક્લાસિક મ્યૂઝિકને ખૂબ પસંદ કરે છે. એવામાં જૂના ગીતો સાથે છેડછાડ કરવું, તેમાં રેપ મિક્સ કરવું સારું નથી. જાવેદ અખ્તરને એક વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, તેઓ બોલિવુડમાં રિમિક્સને કેવી રીતે જુએ છે, જેમની છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકોએ નિંદા કરી છે. તેના પર જાવેદ અખ્તરે કહ્યું કે, ‘ભૂતકાળને નજરઅંદાજ કરવો સારો છે, પરંતુ તેની ખરાબ અસર પડે છે, જ્યારે તમે તેની સાથે છેડછાડ કરો છો.’

જાવેદ અખ્તરે કહ્યું કે, જૂના ગીતોને યાદ કરવા, જૂના ક્લાસિકને નવી ટ્રીટમેન્ટ મળવી જરાય ખોટું નથી, પરંતુ જૂના મ્યૂઝિકને વ્યાવસાયિક નજરિયાથી જોવું ખોટું છે. ઓછામાં ઓછી તેની ગરિમા તો બનાવી રાખો. જેમ તમે એક સુંદર બોલ અને સારી લિરિક્સવાળું સોંગ લો અને તેમાં ફાલતુ અંતરા જોડી દો તો તે ખૂબ જ અજીબ છે. એ બિલકુલ એવું છે જેમ અજંતામાં સાઇકેડેલિક લાઇટ કે તાજ મહલમાં ડિસ્કો થઇ રહ્યો હોય. આ બધા મહાન ગાયકોના ગીત છે, તમારે તેમનું સન્માન કરવું જોઇએ.

તેમણે આગળ કહ્યું કે, આ એક સાંસ્કૃતિક વારસો છે. તમે ઇચ્છો છો કે કોઇ બીજા તેને નવા ઓર્કેસ્ટ્રા અને વ્યવસ્થા સાથે ગવાડો તેમ કોઇ સમસ્યા નથી. જેમ તમે સહગલ સાહેબના ગીત લો અને અરિજિત પાસે ગવાડો, એ બરાબર છે, પરંતુ તમે એ ગીત લો છો અને વચ્ચે એક રેપ જોડો છો, એ બધુ સારું નથી.

Related Posts

Top News

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.