જૂના ક્લાસિક ગીતોનું રિમિક્સ બનાવવા પર જાવેદ અખ્તરનો કટાક્ષ, બોલ્યા- એ તાજ મહલ..

જાણીતા લિરિસિસ્ટ અને સોંગ રાઇટર જાવેદ અખ્તર પોતાના ગીતોથી વધારે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. જાવેદ અખ્તરના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમની લેખનીનો જાદુ યુવા પેઢી પર પણ જોવા મળે છે. અત્યારે હાલમાં જ ગીતકાર જાવેદ અખ્તરે જૂના ગીતોને રિમિક્સ બનાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે રિમિક્સની તુલના તાજમહલ સાથે કરી છે. ગીતકારનું કહેવું છે કે, જૂના ક્લાસિકનું રિમિક્સ માત્ર તેમને ફરીથી યાદ કરવા માટે થવું જોઇએ, ન કે વ્યાવસાયિક કારણોથી.

કેમ કે એ આગળ જઇને ખૂબ ચિંતાજનક બની જાય છે. આજે પણ એક વર્ગ છે, જે ક્લાસિક મ્યૂઝિકને ખૂબ પસંદ કરે છે. એવામાં જૂના ગીતો સાથે છેડછાડ કરવું, તેમાં રેપ મિક્સ કરવું સારું નથી. જાવેદ અખ્તરને એક વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, તેઓ બોલિવુડમાં રિમિક્સને કેવી રીતે જુએ છે, જેમની છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકોએ નિંદા કરી છે. તેના પર જાવેદ અખ્તરે કહ્યું કે, ‘ભૂતકાળને નજરઅંદાજ કરવો સારો છે, પરંતુ તેની ખરાબ અસર પડે છે, જ્યારે તમે તેની સાથે છેડછાડ કરો છો.’

જાવેદ અખ્તરે કહ્યું કે, જૂના ગીતોને યાદ કરવા, જૂના ક્લાસિકને નવી ટ્રીટમેન્ટ મળવી જરાય ખોટું નથી, પરંતુ જૂના મ્યૂઝિકને વ્યાવસાયિક નજરિયાથી જોવું ખોટું છે. ઓછામાં ઓછી તેની ગરિમા તો બનાવી રાખો. જેમ તમે એક સુંદર બોલ અને સારી લિરિક્સવાળું સોંગ લો અને તેમાં ફાલતુ અંતરા જોડી દો તો તે ખૂબ જ અજીબ છે. એ બિલકુલ એવું છે જેમ અજંતામાં સાઇકેડેલિક લાઇટ કે તાજ મહલમાં ડિસ્કો થઇ રહ્યો હોય. આ બધા મહાન ગાયકોના ગીત છે, તમારે તેમનું સન્માન કરવું જોઇએ.

તેમણે આગળ કહ્યું કે, આ એક સાંસ્કૃતિક વારસો છે. તમે ઇચ્છો છો કે કોઇ બીજા તેને નવા ઓર્કેસ્ટ્રા અને વ્યવસ્થા સાથે ગવાડો તેમ કોઇ સમસ્યા નથી. જેમ તમે સહગલ સાહેબના ગીત લો અને અરિજિત પાસે ગવાડો, એ બરાબર છે, પરંતુ તમે એ ગીત લો છો અને વચ્ચે એક રેપ જોડો છો, એ બધુ સારું નથી.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.