મલાડ રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ, ભાજપના નેતાએ નોંધાવી ફરિયાદ

મુંબઈમાં જાહેર સ્થળોએ નમાઝ અદા કરવાની વધુ એક ઘટના સામે આવી છે. તાજેતરમાં જ થયેલો એરપોર્ટ પરનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો મલાડ સ્ટેશન નજીક નમાઝ અદા કરતા લોકોનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Salman Agha
freepressjournal.in

અહેવાલો અનુસાર, ગઈકાલે મુંબઈના મલાડ સ્ટેશનના રેલવે પરિસરમાં નમાઝ અદા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવું ઘણી વખત થયું છે, અને ભાજપના નેતા કિરીટ સોમૈયાએ તેની સામે લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. કિરીટ સોમૈયાએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મુંબઈના મલાડ રેલવે સ્ટેશન પર કેટલાક લોકોનો નમાઝ અદા કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રેલવે સ્ટેશન પર હાજર કોઈ વ્યક્તિએ ત્યાં નમાઝ અદા કરતા લોકોનો વીડિયો બનાવી લીધો, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં મલાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ની બાજુમાં એક કામચલાઉ શેડ નીચે કેટલાક લોકો નમાઝ અદા કરતા જોવા મળે છે. આ વીડિયોના આધારે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ રેલવે અધિકારીઓ અને પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે.

Kirit Somaiya
indiatoday.in

ભાજપના નેતા કિરીટ સોમૈયાનું કહેવું છે કે રેલવે પરિસરમાં અથવા જાહેર સ્થળોએ આ રીતે નમાઝ અદા કરવી એ નિયમોની વિરુદ્ધ છે અને તેમાં સામેલ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દા પર બોલતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે, મુંબઈનું ઈસ્લામીકરણ થઈ રહ્યું છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઇમિગ્રન્ટ્સ શહેરમાં વિવિધ રીતે સક્રિય છે અને સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ મુદ્દા પર રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ ગઈ છે. હાલમાં રેલવે અને પોલીસ અધિકારીઓ તરફથી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.