કેજરીવાલ સરકારે લગાવેલા 2.5 લાખથી વધુ CCTV કેમેરા દિલ્હીની ભાજપ સરકાર હટાવી દેશે

રાજધાની દિલ્હીમાં લગાવવામાં આવેલા હજારો CCTV કેમેરા અંગે એક નવો વિવાદ ઉભો થયો છે, જેના કારણે સરકારે તેમને દૂર કરવા અને બદલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે દિલ્હીના જાહેર બાંધકામ વિભાગ (PWD) મંત્રી, પરવેશ સાહિબ સિંહે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકાળ દરમિયાન લગાવવામાં આવેલા ચાઇનીઝ CCTV કેમેરાને તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને રાજધાનીની સુરક્ષા સાથે જોડાયેલો મહત્ત્વપૂર્ણ સુધારાત્મક પગલા ગણવામાં આવી રહ્યો છે.

PWDના નેજા હેઠળ દિલ્હીમાં CCTV કેમેરાનું વિશાળ નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું હતું. સત્તાવાર આંકડા અનુસાર, રાજધાનીમાં કુલ 274,389 CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમને બે મુખ્ય તબક્કામાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2020થી નવેમ્બર 2022 સુધી પહેલા ચરણમાં 140,000 કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, જ્યારે બીજા તબક્કામાં જૂન 2025 થી માર્ચ 2026 સુધીમાં 134,389 કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે પ્રથમ તબક્કા દરમિયાન ઇન્સ્ટોલ કરેલા બધા 140,000 કેમેરા ચીની કંપની હિકવિઝનના છે, જેના પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ડેટા સુરક્ષા અને દેખરેખને લઈને અનેક વખત સવાલ ઉઠી ચૂક્યા છે.

jharkhand-police1
jagran.com

પરવેશ સાહિબ સિંહે આ મુદ્દા પર મક્કમ વલણ અપનાવતા જણાવ્યું હતું કે અગાઉની સરકારે આટલી મોટી તકનીકી વ્યવસ્થા સ્થાપિત કરતી વખતે લાંબા ગાળાના સુરક્ષા પહેલુઓને ધ્યાનમાં ન લીધા. તેમના મતે, CCTV ફક્ત દેખરેખ માટેનું સાધન નથી પરંતુ સંવેદનશીલ ડેટા સાથે જોડાયેલી એક મહત્ત્વપૂર્ણ સિસ્ટમ છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર શહેરમાં આટલા મોટા પાયે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે સીધો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો નિર્ણય બની જાય છે, જેને હળવાશથી નહીં લઈ શકાય. સરકારે નિર્ણય લીધો છે કે, ચાઇનીઝ મૂળના કેમેરા તાત્કાલિક  દૂર કરવાને બદલે, તેમને તબક્કાવાર રીતે બદલવામાં આવશે, જેથી હાલના સર્વેલન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત ન થાય. પહેલા તબક્કામાં, 50,000 કેમેરા બદલવામાં આવશે; બધા ચાઇનીઝ કેમેરા ક્રમબદ્ધ રીતે દૂર કરીને નવી, સુરક્ષિત અને આધુનિક સિસ્ટમ લગાવવામાં આવશે.

CCTV-Cameras5
infra.economictimes.indiatimes.com

આ નવી સિસ્ટમો ડેટા સુરક્ષાના ઉચ્ચ ધોરણો અને શ્રેષ્ઠ તકનીકી સપોર્ટ સાથે આવશે. અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર પ્રક્રિયા એવી રીતે ચલાવવામાં આવશે કે તે શહેરના સુરક્ષા માળખામાં કોઈ વિક્ષેપ ન પહોંચાડે. આ આખા નિર્ણય પાછળ કેન્દ્ર સરકારના નવા સુરક્ષા ધોરણો પણ એક મુખ્ય કારણ છે. સરકારે હવે CCTV કેમેરા માટે STQC પ્રમાણપત્ર ફરજિયાત કરી દીધું છે.

નવા નિયમો અનુસાર, 1 એપ્રિલ, 2026 થી STQC પ્રમાણપત્ર વિના કોઈપણ CCTV કેમેરા વેચી કે આયાત કરી શકાશે નહીં. આ નિયમ બધી કંપનીઓને લાગુ પડશે, પછી ભલે તે સ્થાનિક હોય કે વિદેશી. આ નિર્ણય બાદ રાજધાનીમાં રાજકીય બહેસ તેજ થઈ ગઈ છે; જ્યાં એક તરફ તેને સુરક્ષાના દૃષ્ટિકોણથી જરૂરી પગલું માનવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ, અગાઉના વહીવટીતંત્રની નીતિઓ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, અગાઉ, આ ફક્ત આંકડા અને પ્રચારનો વિષય હતો, પરંતુ અમારા માટે, તે દિલ્હીના નાગરિકોની સુરક્ષા અને જવાબદારીનો મુદ્દો છે.

About The Author

Related Posts

Top News

ઈન્ડિગોએ વિમાનના ભાડા પણ વધારી દીધા

ભારતમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાનો બોજ હવે પેસેન્જરો પર પડવાનું શરૂ...
Business 
ઈન્ડિગોએ વિમાનના ભાડા પણ વધારી દીધા

ઝવેરીને ત્યાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલમાં લૂંટ, સૂટ-બૂટ-પોલીસ યુનિફોર્મમાં પહોંચ્યા આરોપીઓ

ફિલ્મ ‘સ્પેશિયલ 26’માં અક્ષય કુમાર નકલી આવકવેરા અધિકારીઓની ટીમ સાથે ઝવેરીઓ અને મોટા વેપારીઓની દુકાનો પર દરોડા...
National 
ઝવેરીને ત્યાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલમાં લૂંટ, સૂટ-બૂટ-પોલીસ યુનિફોર્મમાં પહોંચ્યા આરોપીઓ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ સાથે એવું શું થયું કે CJI પણ નારાજ થયા, 9 કલાક સુધી...

ચૂંટણીને કારણે પશ્ચિમ બંગાળ આ દિવસોમાં રાષ્ટ્રીય રાજકારણમાં વધારે ગરમી પેદા કરતુ રાજ્ય બની ગયું છે. રાજ્યમાં જયારથી SIR પ્રક્રિયા...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ સાથે એવું શું થયું કે CJI પણ નારાજ થયા, 9 કલાક સુધી...

'સાંભળ, તનુ, રડ નહીં બેટા, હું આવતો રહીશ..' SP સાહેબનું ટ્રાન્સફર થયું તો અન્ય પોલીસકર્મીઓ રડી પડ્યા

'સાહેબ, આવતા રહેજો, આવશોને?, આવીશ... હું ચોક્કસ આવીશ..., સાહેબ તમે ન જાવ, અરે રડ...
National 
'સાંભળ, તનુ, રડ નહીં બેટા, હું આવતો રહીશ..' SP સાહેબનું ટ્રાન્સફર થયું તો અન્ય પોલીસકર્મીઓ રડી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.