ભણેલા-ગણેલા નથી નેતા, કાજોલે એવું તો શું કહ્યું છે જેના કારણે ટ્રોલ થઈ રહી છે

કાજોલ હિન્દી સિનેમાની એ કેટલીક એક્ટ્રેસોમાં સામેલ છે જે પોતાની શાનદાર એક્ટિંગ સાથે નીડર વિચાર અને બિન્દાસ એટિટ્યુડ માટે પણ જાણીતી છે. કાજોલ હંમેશાં પોતાની વાત ખૂલીને સામે રાખે છે, પરંતુ આ વખત પોતાના એક નિવેદમાં દેશના નેતાઓને અશિક્ષિત કહી દીધા, જેના પર હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસને તેની વાયરલ કમેન્ટ પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલિંગ પર હવે એક્ટ્રેસે મૌન તોડ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે કાજોલે શું કહ્યું છે.

કાજોલ જલદી જ વેબ સીરિઝ 'ધ ટ્રાયલ'થી OTT પર પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસ વેબ સીરિઝનું ફૂલ જોશમાં પ્રમોશન કરવા માટે વ્યસ્ત છે. આ દરમિયાન એક વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે દેશના નેતાઓના અભ્યાસ અને સ્લો ગ્રોથ પર કમેન્ટ કરી દીધી, જેના પર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. એક્ટ્રેસે કહ્યું કે, બદલાવ, ખાસ કરીને ભારત જેવા દેશમાં ધીમો છે. એ ખૂબ જ વધારે સ્લો છે કેમ કે આપણે પોતાની પરંપરાઓ અને વિચારોમાં ડૂબેલા છીએ અને નિશ્ચિત રૂપે તેનો સંબંધ શિક્ષણ સાથે છે.

કાજોલે આગળ કહ્યું કે, તમારી પાસે એવા રાજનીતિક નેતા છે, જેમનું કોઈ એજ્યૂકેશનલ બેકગ્રાઉન્ડ નથી. મને દુઃખ છે, પરંતુ હું બહાર જઈને એમ કહીશ, દેશ પર નેતાઓનું શાસન છે. તેમાંથી ઘણા નેતા એવા છે જેમની પાસે યોગ્ય દૃષ્ટિકોણ પણ નથી, જે માત્ર શિક્ષણથી આવે છે. નેતાઓના શિક્ષણ પર કાજોલનું આ નિવેદન તેજીથી વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

એક યુઝરે કાજોલને ટ્રોલ કરતા લખ્યું કે, ડિયર કાજોલ, એક નિશ્ચિત અંદાજમાં ઇંગ્લિશ બોલવું એજ્યૂકેશન નથી. એ એક સ્કિલ હોય શકે છે. દુર્ભાગ્યથી આપણાં પર અશ્વિની વૈષ્ણવ, ડૉ. જયશંકર, નિર્મલા મેમ, કિરણ રિજિજુ, પિયુષ ગોયલ, નીતિન ગડકરી જેવા શિક્ષિત નેતાઓનું શાસન છે, જે તામરી જેમ અંગ્રેજી બોલી શકતા નથી. શરમ કરો.

એક અન્ય યુઝરે કાજોલને ટ્રોલ કરતા યાદ અપાવ્યું કે તે પોતે એક સ્કૂલ ડ્રોપઆઉટ છે. ટ્રોલિંગ બાદ કાજોલે ટ્વીટના માધ્યમથી પોતાના વાયરલ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. એક્ટ્રેસે ટ્વીટ કરીને લખ્યું કે, હું માત્ર શિક્ષણ અને તેના મહત્ત્વ બાબતે વાત કરી રહી હતી. મારું ઉદ્દેશ્ય કોઈ પણ રાજનીતિક નેતાને નીચું દેખાડવાનું નહોતું. આપણી પાસે મહાન નેતા છે જે દેશને યોગ્ય રસ્તા પર લઈ જઈ રહ્યા છે.

કાજોલના નિવેદનને લઈને હવે શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના વિચાર રાખ્યા છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, તો કાજોલનું કહેવું છે કે અમે એ નેતાઓ દ્વારા શાસિત છીએ, જે અશિક્ષિત અને જેમની પાસે કોઈ વિઝન નથી. કોઈ પણ નારાજ નથી કેમ કે તેમનું મંતવ્ય છે, કોઈ સત્ય નથી. તેણે કોઈનું નામ પણ લીધું નથી, પરંતુ બધા ભક્ત નારાજ છે. કાજોલના વર્કફ્રન્ટની વાત કરીએ તો વેબ સીરિઝ ‘ધ ટ્રાયલ’માં નજરે પડવાની છે. વેબ સીરિઝ 14 જુલાઇના રોજ રીલિઝ થવાની છે. ‘ધ ટ્રાયલ’ અમેરિકન કોર્ટ રૂમ ડ્રામા ‘ધ ગુડ વાઇફ’નું હિન્દી વર્ઝન છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને અપડેટ્સ માટે કાર્યરત સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ @PoliceAhmedabad ને X (અગાઉનું ટ્વિટર) દ્વારા હાલ...
Gujarat 
અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

Viral Mahakumbh Girl Monalisa Marries Boyfriend Farman Khan At Kerala Temple Amid Police Protection
Entertainment 
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.