KBCમાં 50 લાખ જીત્યા પછી નોકરી છોડી શુભમ ગંગરાડે કરશે આ કામ

સોની ટેલિવિઝનના રિઆલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’ સીઝન 15ના લેટેસ્ટ એપિસોડમાં તમે જોયું હશે કે મધ્ય પ્રદેશના ઈંદોર સ્થિત સ્પર્ધક સુભમ ગંગરાડે 1 કરોડ રૂપિયા જીતી શક્યો નહીં. પણ તેણે 50 લાખ રૂપિયા પોતાના નામે કરી લીધા છે. નબળી આર્થિક સ્થિતિને કારણે શુભમે નાની ઉંમરે જ અભ્યાસથી થોડા સમયનો બ્રેક લીધો હતો અને તેણે ટેલિકોમ કંપનીમાં નોકરી કરી હતી. જોકે, હવે કેબીસીમાં 50 લાખ રૂપિયા જીત્યા પછી તે પોતાની નોકરીમાંથી બ્રેક લઇ ફરી અભ્યાસ શરૂ કરવા માગે છે. તેણે નોકરી છોડીને અભ્યાસ પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

કેબીસીની 15મી સીઝનમાં 50 લાખ રૂપિયા જીતનાર શુભમે કહ્યું કે, થોડા સમય માટે અભ્યાસમાંથી બ્રેક લીધા પછી મેં નોકરીની સાથે ફરી ભણતર શરૂ કરી દીધું હતું. પણ નોકરી અને અભ્યાસ બંને એકસાથે મેનેજ કરવું મારા માટે અઘરું બની ગયું હતું. હવે કેબીસીમાંથી એક સારી રકમ જીત્યા પછી, હું મારી નોકરીમાંથી બ્રેક લઇને અભ્યાસ પર ધ્યાન આપીશ. મારે MPSCની પરીક્ષા આપવી છે, કારણ કે હું ડેપ્યુટી કલેક્ટર બનવા માગું છું. જણાવીએ કે, શુભમ પોલિટીકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.

સરળ નહોતી કરોડપતિ બનવાની સફર

કેબીસીથી 50 લાખ રૂપિયા જીતનારા શુભમ ગંગરાડે માટે આ સફર જરા પણ સરળ રહી નહોતી. પોતાના સપનાને હાંસલ કરવા માટે તેણે કડી મહેનત કરી. સવારે 5.30 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી તે કાર ધોતો હતો અને પછી ટેલીકોમ કંપનીમાં કામ કરતો હતો. અમિતાભ બચ્ચન પણ શુભમની જર્ની જોઇ ભાવુક થયા હતા. બચ્ચને સવાલ-જવાબ દરમિયાન શુભમને પૂછ્યું હતું કે, તેને ઘર લેવા માટે કેટલા રૂપિયા જોઇએ છે. આ સવાલનો જવાબ આપતા શુભમે કહ્યું કે, જે ઘર તેણે જોયું છે તે 25 લાખ રૂપિયાનું છે.

શુભમની સફળતાથી ખુશ બચ્ચન

જ્યારે શુભમે કેબીસીમાં 50 લાખ રૂપિયા જીત્યા, તો તેની સાથે જ અમિતાભ બચ્ચન પણ ખૂબ ખુશ જોવા મળ્યા. ઊભા થઇને અમિતાભ બચ્ચને શુભમ માટે તાળી વગાડી તેનું અભિવાદન કર્યું. સાથે જ શુભમને કહ્યું કે, હવે તે એક નહીં પણ બે-બે ઘર લઇ શકે છે.

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.