KBCમાં 50 લાખ જીત્યા પછી નોકરી છોડી શુભમ ગંગરાડે કરશે આ કામ

સોની ટેલિવિઝનના રિઆલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’ સીઝન 15ના લેટેસ્ટ એપિસોડમાં તમે જોયું હશે કે મધ્ય પ્રદેશના ઈંદોર સ્થિત સ્પર્ધક સુભમ ગંગરાડે 1 કરોડ રૂપિયા જીતી શક્યો નહીં. પણ તેણે 50 લાખ રૂપિયા પોતાના નામે કરી લીધા છે. નબળી આર્થિક સ્થિતિને કારણે શુભમે નાની ઉંમરે જ અભ્યાસથી થોડા સમયનો બ્રેક લીધો હતો અને તેણે ટેલિકોમ કંપનીમાં નોકરી કરી હતી. જોકે, હવે કેબીસીમાં 50 લાખ રૂપિયા જીત્યા પછી તે પોતાની નોકરીમાંથી બ્રેક લઇ ફરી અભ્યાસ શરૂ કરવા માગે છે. તેણે નોકરી છોડીને અભ્યાસ પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

કેબીસીની 15મી સીઝનમાં 50 લાખ રૂપિયા જીતનાર શુભમે કહ્યું કે, થોડા સમય માટે અભ્યાસમાંથી બ્રેક લીધા પછી મેં નોકરીની સાથે ફરી ભણતર શરૂ કરી દીધું હતું. પણ નોકરી અને અભ્યાસ બંને એકસાથે મેનેજ કરવું મારા માટે અઘરું બની ગયું હતું. હવે કેબીસીમાંથી એક સારી રકમ જીત્યા પછી, હું મારી નોકરીમાંથી બ્રેક લઇને અભ્યાસ પર ધ્યાન આપીશ. મારે MPSCની પરીક્ષા આપવી છે, કારણ કે હું ડેપ્યુટી કલેક્ટર બનવા માગું છું. જણાવીએ કે, શુભમ પોલિટીકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.

સરળ નહોતી કરોડપતિ બનવાની સફર

કેબીસીથી 50 લાખ રૂપિયા જીતનારા શુભમ ગંગરાડે માટે આ સફર જરા પણ સરળ રહી નહોતી. પોતાના સપનાને હાંસલ કરવા માટે તેણે કડી મહેનત કરી. સવારે 5.30 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી તે કાર ધોતો હતો અને પછી ટેલીકોમ કંપનીમાં કામ કરતો હતો. અમિતાભ બચ્ચન પણ શુભમની જર્ની જોઇ ભાવુક થયા હતા. બચ્ચને સવાલ-જવાબ દરમિયાન શુભમને પૂછ્યું હતું કે, તેને ઘર લેવા માટે કેટલા રૂપિયા જોઇએ છે. આ સવાલનો જવાબ આપતા શુભમે કહ્યું કે, જે ઘર તેણે જોયું છે તે 25 લાખ રૂપિયાનું છે.

શુભમની સફળતાથી ખુશ બચ્ચન

જ્યારે શુભમે કેબીસીમાં 50 લાખ રૂપિયા જીત્યા, તો તેની સાથે જ અમિતાભ બચ્ચન પણ ખૂબ ખુશ જોવા મળ્યા. ઊભા થઇને અમિતાભ બચ્ચને શુભમ માટે તાળી વગાડી તેનું અભિવાદન કર્યું. સાથે જ શુભમને કહ્યું કે, હવે તે એક નહીં પણ બે-બે ઘર લઇ શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.