KRKની એરપોર્ટ પરથી ધરપકડ, ટ્વીટ કરીને કહ્યું તેનો જીવ જોખમમાં, સલમાન ખાને...

અભિનેતા-ફિલ્મ નિર્માતા કમાલ રાશિદ ખાનની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેની સામે 2016માં કેસ નોંધવામાં આવ્યો હતો, જે અંતર્ગત તે દેશ છોડી શકે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ન્યૂ યર સેલિબ્રેટ કરવા દુબઈ જઈ રહ્યો હતો, તે પહેલા પોલીસે તેની એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી. કમાલે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સાથે જ લખ્યું છે કે, જો તેમને કંઇ થશે તો તેની જવાબદારી કોણ રહેશે.

પોતાના વિવાદાસ્પદ ટ્વિટ માટે પ્રખ્યાત કમાલે તાજેતરમાં જ ટ્વિટ કરીને પોતાના જૂના કેસ અને ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો. કમાલે ટ્વીટમાં સંપૂર્ણ વિગતો આપી હતી. કમાલે લખ્યું, હું એક વર્ષથી મુંબઈમાં છું. હું કોર્ટની તમામ તારીખોમાં સમયસર હાજર રહું છું. આજે હું નવા વર્ષની ઉજવણી માટે દુબઈ જઈ રહ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી જ મારી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હું 2016માં નોંધાયેલા કેસમાં વોન્ટેડ છું.

આ સાથે કમાલે પોતાના ટ્વીટમાં સલમાન ખાનનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું, સલમાન ખાન કહે છે કે તેની ફિલ્મ ટાઈગર 3 મારા કારણે ફ્લોપ થઈ છે. જો કોઈ પણ સંજોગોમાં હું પોલીસ સ્ટેશન કે જેલની અંદર મૃત્યુ પામું તો તમે બધા જાણી લો કે તે હત્યા છે. અને તમે બધા જાણો છો કે કોણ જવાબદાર છે. આ સાથે કમાલે પોતાના ટ્વિટમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ન્યૂઝ ચેનલોને પણ ટેગ કર્યા છે.

કમાલ ઘણીવાર સેલેબ્સ વિશે વિવાદાસ્પદ ટ્વિટ કરે છે. કમાલ પર કોઈ કારણ વગર સેલેબ્સને બદનામ કરતી ટ્વિટ કરવાનો આરોપ છે. આ કેસમાં તે ઘણી વખત જેલ જઈ ચુક્યો છે. કમાલની 2022માં પણ બે વખત ધરપકડ થઈ ચૂકી છે. સૌથી પહેલા ઈરફાન ખાન અને ઋષિ કપૂરને લઈને વિવાદાસ્પદ ટ્વીટ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 2016માં વિક્રમ ભટ્ટે પણ કમાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કમાલના ફિટનેસ ટ્રેનરે પણ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ પછી કમાલની ધરપકડ કરવામાં આવી હતી.

હિન્દી ફિલ્મો સિવાય કમાલ રાશિદ ખાને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બિગ બોસથી અભિનેતાને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. તે એવી ફિલ્મો પર પોતાના રિવ્યુ પણ આપે છે જેના માટે તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.